
UP Wolf Couple Attack: યોગી સરકારના રાજમાં ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં સતત વરુઓના હુમલાઓ વધી રહ્યા છે. આ જીલ્લામાં મુખ્યમંત્રીએ યોગીએ બે દિવસ પહેલા જ મુલાકાત લીધા બાદ ફરી એકવાર માંઝરા તૌકલીમાં આદમખોર વરુએ વૃદ્ધ દંપતીને મોતને ઘાટ ઉતાર્યું છે. આ ઘટના સોમવારે રાત્રે બની જ્યારે દંપતી તેમના ખેતર પાસેના ઘરમાં સૂઈ રહ્યું હતું. વરુએ તેમના પર હુમલો કર્યો અને તેમના હાથ-પગ ચાવી નાખ્યા, જેના પરિણામે તેમનું મૃત્યુ થયું. બીજા હુમલામાં ત્રણ વધુ લોકો ઘાયલ થયા હતા.
भाजपा सरकार में CM के दौरे के कुछ दिन बाद ही भेड़ियों के हमले में दंपत्ति की मौत।
हवा-हवाई दौरे, दावे और वायदे तो खूब, लेकिन सच्चाई यह है कि इस भ्रष्ट सरकार में जनता असुरक्षित ।#नहीं_चाहिए_भाजपा pic.twitter.com/Ili3adEnQ9— Dhanraj Yadav (@DhnrajY) September 30, 2025
સવારે જ્યારે પરિવારના સભ્યો ખેતરના ઘરે પહોંચ્યા ત્યારે દંપતિના મૃતદેહને જોઈ ચોકી ગયા હતા. તેમના મૃતદેહો વિકૃત હાલતમાં પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ગ્રામજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ વન વિભાગના રેન્જરના વાહનમાં તોડફોડ કરી અને પીછો કરી ભગાડ્યા હતા. ગ્રામજનો મૃતદેહો પોલીસને સોંપતા પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટને બોલાવવા માટે માંગ કરી હતી.
આ વખતે માનવભક્ષી વરુએ હુમલો કરવાની પદ્ધતિ બદલી નાખી છે. અગાઉ તે નિર્દોષ બાળકોને નિશાન બનાવતો હતો, પરંતુ આ વખતે પહેલી વાર તેણે બે પુખ્ત વયના લોકોને ફાડી ખાધા છે. મૃતદેહોના આધારે એવું લાગે છે કે વરુએ પહેલા તેમના ગળા પર હુમલો કરીને અને પછી તેમના હાથ અને પગ ચાવીને મોતને ઘાટ ઉતાર્યા છે. કરી હતી. આનાથી શંકા ઉભી થઈ છે કે હુમલામાં એક કરતાં વધુ વરુ સામેલ હોઈ શકે છે.
અત્યાર સુધીમાં 6 લોકોના મોત, 16 થી વધુ ઘાયલ
ઉલ્લેખનીય છે કે આ ઘટના પહેલી નથી. અહીં વારંવાર વરુઓ હુમલા કરે છે. જેથી વરુના હુમલામાં મૃત્યુઆંક વધીને 6 થઈ ગયો છે, જેમાં ચાર માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. 16 થી વધુ લોકો ઈજાઓનો ભોગ પણ બન્યા છે. બે દિવસ પહેલા વન વિભાગને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને એક નર વરુનો મૃતદેહ કબજે કર્યો હતો. જેનાથી રાહતની આશા જાગી હતી. જોકે, આજની ઘટનાએ ફરી એકવાર ભય ફેલાવ્યો છે.
યોગીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી
લગભગ ચાર દિવસ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વરુના ત્રાસથી પીડાતા માંઝરા તૌકલીનો હવાઈ સર્વે કર્યો હતો. તેમણે પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને મૃતકો માટે 5 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ વન વિભાગને વરુઓને જીવતા પકડવા અથવા ગોળી મારવાનો આદેશ પણ આપ્યો હતો.
આ પણ વાંચો:
UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….
Gujarat ના વિકાસની બત્તી ગુલ કરવામાં નેતાઓના વૈભવી ખર્ચા!, અમદાવાદનું વીજ બિલ 400 કરોડ








