UP: વરુએ પતિ-પત્નીને ફાડી ખાધા, મૃતદેહો વિકૃત હાલતમાં મળ્યા, ગ્રામજનોએ વન વિભાગની લગાડી દીધી વાટ

  • India
  • September 30, 2025
  • 0 Comments

UP Wolf Couple Attack: યોગી સરકારના રાજમાં ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં સતત વરુઓના હુમલાઓ વધી રહ્યા છે. આ જીલ્લામાં મુખ્યમંત્રીએ યોગીએ બે દિવસ પહેલા જ મુલાકાત લીધા બાદ ફરી એકવાર માંઝરા તૌકલીમાં આદમખોર વરુએ વૃદ્ધ દંપતીને મોતને ઘાટ ઉતાર્યું છે. આ ઘટના સોમવારે રાત્રે બની જ્યારે દંપતી તેમના ખેતર પાસેના ઘરમાં સૂઈ રહ્યું હતું. વરુએ તેમના પર હુમલો કર્યો અને તેમના હાથ-પગ ચાવી નાખ્યા, જેના પરિણામે તેમનું મૃત્યુ થયું. બીજા હુમલામાં ત્રણ વધુ લોકો ઘાયલ થયા હતા.

સવારે જ્યારે પરિવારના સભ્યો ખેતરના ઘરે પહોંચ્યા ત્યારે દંપતિના મૃતદેહને જોઈ ચોકી ગયા હતા. તેમના મૃતદેહો વિકૃત હાલતમાં પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ગ્રામજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ વન વિભાગના રેન્જરના વાહનમાં તોડફોડ કરી અને પીછો કરી ભગાડ્યા હતા. ગ્રામજનો મૃતદેહો પોલીસને સોંપતા પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટને બોલાવવા માટે માંગ કરી હતી.

આ વખતે માનવભક્ષી વરુએ હુમલો કરવાની પદ્ધતિ બદલી નાખી છે. અગાઉ તે નિર્દોષ બાળકોને નિશાન બનાવતો હતો, પરંતુ આ વખતે પહેલી વાર તેણે બે પુખ્ત વયના લોકોને ફાડી ખાધા છે. મૃતદેહોના આધારે એવું લાગે છે કે વરુએ પહેલા તેમના ગળા પર હુમલો કરીને અને પછી તેમના હાથ અને પગ ચાવીને મોતને ઘાટ ઉતાર્યા છે. કરી હતી. આનાથી શંકા ઉભી થઈ છે કે હુમલામાં એક કરતાં વધુ વરુ સામેલ હોઈ શકે છે.

અત્યાર સુધીમાં 6 લોકોના મોત, 16 થી વધુ ઘાયલ

ઉલ્લેખનીય છે કે આ ઘટના પહેલી નથી. અહીં વારંવાર વરુઓ હુમલા કરે છે. જેથી વરુના હુમલામાં મૃત્યુઆંક વધીને 6 થઈ ગયો છે, જેમાં ચાર માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. 16 થી વધુ લોકો ઈજાઓનો ભોગ પણ બન્યા છે. બે દિવસ પહેલા વન વિભાગને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને એક નર વરુનો મૃતદેહ કબજે કર્યો હતો. જેનાથી રાહતની આશા જાગી હતી. જોકે, આજની ઘટનાએ ફરી એકવાર ભય ફેલાવ્યો છે.

યોગીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી

લગભગ ચાર દિવસ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વરુના ત્રાસથી પીડાતા માંઝરા તૌકલીનો હવાઈ સર્વે કર્યો હતો. તેમણે પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને મૃતકો માટે 5 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ વન વિભાગને વરુઓને જીવતા પકડવા અથવા ગોળી મારવાનો આદેશ પણ આપ્યો હતો.

આ પણ વાંચો:

UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….

‘હું નસીબદાર હતી કે બાબાના ફાંદામાં ફસાઈ નહીં’, 17 છોકરીઓનું શોષણ કરનાર બાબા ચૈતન્યાનંદના મોબાઈલમાંથી મોટા ખૂલાસા | Chaitanyananda Saraswati

Gujarat ના વિકાસની બત્તી ગુલ કરવામાં નેતાઓના વૈભવી ખર્ચા!, અમદાવાદનું વીજ બિલ 400 કરોડ

Related Posts

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’
  • June 16, 2026

Akal Takht Bhagwant Mann: પંજાબના રાજકીય ઇતિહાસમાં આ એક એવો વળાંક છે જેણે રાજ્યના શાસન અને ધર્મ વચ્ચેની પાતળી રેખાને સંપૂર્ણપણે ભૂંસી નાખી છે. અકાલ તખ્ત દ્વારા મુખ્યમંત્રી ભગવંત માનને…

Continue reading
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ
  • June 16, 2026

NEET re exam Telegram ban: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ ફરી એકવાર વિવાદના વંટોળમાં પોતાની જાતને મૂકી દીધી છે. ૨૧ જૂન ૨૦૨૬ના રોજ યોજાનારી નીટ (યુજી) ૨૦૨૬ની પુનઃ પરીક્ષા (રી-એક્ઝામ)…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 5 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 9 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 8 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 6 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?

  • June 16, 2026
  • 7 views
India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?

Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો

  • June 16, 2026
  • 9 views
Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો