Immigrants Identified US: ટ્રમ્પે ગેરકાયદેસર રહેતા ભારતીયોનો કર્યો દેશનિકાલ, અમેરિકાએ આટલા ભારતીય ઈમિગ્રેન્ટ્સની કરી ઓળખ?

  • World
  • February 4, 2025
  • 0 Comments

 Immigrants Identified US: ડોનાલ્ડ ટ્રમ્પના તેમના દેશમાં પાછા મોકલવાના આદેશ બાદ મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે  ત્યારે ડ્રમ્પે ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને દેશનિકાલ કરવાનું શરૂ કરી દીધું છે. ટ્રમ્પે અમેરિકાને ગેરકાયદેસર રહેતાં લોકોનો દેશનિકાલ કરવા ચૂંટમીમાં વચન આપ્યું હતુ. તે પૂર્ણ કરતાં દેખાઈ રહ્યા છે. જેથી ગેરકાયદેસર રહેતાં ભારતીયો માટે સંકટ ઉભુ થયું છે.

 

ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને અમેરિકન સેનાનું એક C-17 વિમાન ભારત માટે રવાના થયું છે. જોકે, આ ફ્લાઇટમાં કેટલા લોકો સવાર હતા તેની પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી. રોઇટર્સે વિમાનના ટેકઓફ સમયનો પણ ખુલાસો કર્યો નથી.

યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ, પેન્ટાગોને કહ્યું છે કે લશ્કરી વિમાનો ટૂંક સમયમાં અલ પાસો, ટેક્સાસ અને સાન ડિએગો, કેલિફોર્નિયાથી ઉડાન ભરશે, જેમાં 5,000 થી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરત પોતાના દેશ મોકલાશે.  રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા પછી તરત જ, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાથી લગભગ 11 મિલિયન ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાની વાત કરી હતી.

અમેરિકાએ લગભગ 18,000 ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ કરી

ગયા અઠવાડિયે જ, અમેરિકન સૈન્યએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પકડવા માટે લેટિન અમેરિકન દેશોમાં છ ફ્લાઇટ્સ ઉડાવી હતી. જોકે કોલંબિયાએ અમેરિકન વિમાનોને પોતાના દેશમાં ઉતરવાની મંજૂરી આપી ન હતી, પરંતુ ટ્રમ્પના કડક વલણ બાદ, કોલંબિયાએ પોતાના નાગરિકોને પરત લાવવા માટે પોતાના વિમાનો મોકલ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાએ લગભગ 18,000 ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ કરી છે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહે છે.

લશ્કરી વિમાનોનો ઉપયોગ

ટ્રમ્પ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કાર્યવાહી કરવા માટે લશ્કરનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે. તેમણે મેક્સિકન સરહદ પર સૈન્ય ટુકડીઓ તૈનાત કરી છે. તે જ સમયે, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રાખવા માટે લશ્કરી થાણાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને લશ્કરી વિમાનનો ઉપયોગ કરીને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે. જોકે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે લશ્કરી વિમાનો દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને મોકલવાનો ખર્ચ નાગરિક વિમાનો કરતા ઘણો વધારે છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા ઉપરાંત, ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન પર પણ ટેરિફ લાદ્યા છે, અને યુરોપ પર ટેરિફ લાદવાની ધમકી આપી છે.

 

 

આ પણ વાંચોઃ Gujarat Weather: ગુજરાતના વાતાવરણમાં પલટો? શું વરસાદ પડશે?

Related Posts

Israel-Iran Conflict: ઈરાનમાં ઇઝરાયલી હુમલામાં 2 કાશ્મીરી વિદ્યાર્થીઓ ઘાયલ, 10,000 ભારતીયોને કરાશે રેસ્ક્યૂ
  • June 16, 2025

Israel-Iran Conflict: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે રાતોરાત લડાઈ વધુ તીવ્ર બની, કારણ કે બંને દેશોએ તેમના હુમલા ચાલુ રાખ્યા. બંને દેશોમાં નાગરિકોની હત્યાથી વિશ્વભરમાં ચિંતા વધી છે કે જૂના દુશ્મનો…

Continue reading
Australia: ધરપકડ વખતે પોલીસે ગરદન પર ઘૂંટણ ટેકવી દેતાં ભારતીય મૂળના નાગરિકનું મોત
  • June 15, 2025

Australia: ઓસ્ટ્રેલિયાના એડિલેડના રોયસ્ટન પાર્કમાં પોલીસ એન્કાઉન્ટર દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલા ભારતીય મૂળના નાગરિક ગૌરવ કુંદી (ઉ.વ. 42)નું અવસાન થયું છે. આ ઘટનાએ ઓસ્ટ્રેલિયન પોલીસ દ્વારા કથિત રીતે વધુ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 8 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 14 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 11 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 25 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 19 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી