
Vadodara: વડોદરામાં કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવની કામગીરી ચાલુ કરાઈ છે. ખાસ કરીને હરણી બોટ કાંડની બે મહિલાઓને સપોર્ટ કરનાર ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને પણ નોટીસ આપવમાં આવી છે, જો કે હાલ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે મહાદેવ મંદિરના પૂજારીને પણ નોટીસ આપમાં આવી છે. જાણવ મળી રહ્યું છે કે આશિષ જોશીએ હરણી બોટ કાંડની પિડિતોને મુખ્યમંત્રી સામે બોલવા ટેકો કરતાં આ કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નોટીસ દ્વારા તંત્રએ કલેક્ટર કચેરી 17 મેએ હાજર રહેવા જણાવાયું છે.
કલેક્ટર કચેરીએ હાજર રહેવા નોટીસ
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા કલાદર્શન ચાર રસ્તા પાસે સરકારી જમીન પાસે રહેતા ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા કોર્પોરેટર આશિષ જોષી, પશુપતિનાથ મહાદેવ મંદિર સહિત 20 સ્થાનિક રહીશોને જિલ્લા કલેક્ટર દ્વારા લેન્ડગ્રેબિંગ હેઠળ નોટીસ ફટકારી છે. તમામને 17, મે ના રોજ સાંજે 5 કલાકે કલેક્ટર કચેરીએ હાજર રહેવા જણાવાયું છે.
શહેરના કલાદર્શન પાસે 1100 થી વધુ ચોરસ મીટર સરકારી જમીન આવેલી છે. જેમાં 60 વર્ષથી લોકો પોતાના મકાન બાંધીને રહે છે. આ જગ્યાએ પશુપતિનાથ મહાદેવનું મંદિર આવેલું છે, સાથે જ નજીકમાં કોર્પોરેટર આશિષ જોષી રહે છે. જિલ્લા કલેક્ટર દ્વારા આ જમીનની માપણી કરીને તેમાં રહેતા 20 લોકોને નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં 20 લોકોને 17, મે ના રોજ જરૂરી આધાર-પુરાવા લઇને કલેક્ટર સમક્ષ હાજર રહેવા જણાવાયું છે.
તાજેતરમાં શહેર ભાજપ દ્વારા શિસ્તના પગલાં ભરતા કોર્પોરેટર આશિષ જોષી અને અન્ય પૂર્વ કોર્પોરેટરને પાર્ટીમાંથી કાઢી મુક્યા હતા. આશિષ જોશીએ બોટકાંડ પિડિત બે મહિલાઓને મદદ કરવા બદલ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.
ભાજપાએ મંદિરને પણ ન છોડ્યું
લેન્ડ ગ્રેબિંગની નોટીસ પશુપતિનાથ મહાદેવ મંદિરને પણ મળી છે. આશિષ જોષીનું કહેવું છે કે, સત્તાધીશોએ તો ભગવાનને પણ છોડ્યા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આશિષ જોષી શરૂઆતથી જ હરણી બોટકાંડમાં મૃતકોને ન્યાય અપાવવા માટે લડી રહ્યા છે. તેમણે જ હરણી બોટકાંડની બે પિડિત મહિલાઓને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં રજૂઆત કરવા મોકલી હતી. જ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન શોભે તેવું વર્તન સ્ત્રીઓ સાથે કર્યુ્ં હતુ. અને એજન્ડા સાથે આવી હોવાનું કહ્યું હતુ.
જે બાદ આ ઘટનામાં આશિષ જોશીનો હાથ હોવાના સામે આવતાં જ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીને ભૂપેન્દ્ર પટેલ રજૂઆત કરનાર મહિલાને પણ નોટીસ
વડોદરામાં મુખ્યમંત્રીના ચાલુ કાર્યક્રમાં રજૂઆત કરનાર રોશની શિંદેને પણ દબાણ દૂર કરવાની નોટીસ આપી છે. રાજા રાણ તળાવની આસપાસ રહેતા રહિશોને નોટિસ આપી દંડનીય કાર્યવાહી કરવાની ચીમકી આપી છે, આ જ સ્થળે હરણી બોટકાંડની પીડિત મહિલા રોશની શિંદે અને તેમનો પરિવાર રહે છે. મામલતદારે જે નોટિસ આપી છે તેમાં આ વિસ્તારના રહીશોને જણાવાયું છે કે સરકારી સદરના સર્વે નંબર 849 વાળી સરકારી જમીનમાં સામાવાળાઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ દબાણ કરાયું હોવાની હકિકત બહાર આવી છે. જેથી તપાસના કામે આ દબાણ અંગે 19 તારીખે બપોરે 3 વાગે નર્મદા ભવન મામલતદાર કચેરી વડોદરા શહેર (પુર્વ) ખાતે હાજર રહેવા જણાવાયું છે.
આ પણ વાંચોઃ
મહિલા સાથે અશ્લીલતા કરનાર ઝડપાયેલા ભાજપા નેતા પાર્ટીમાંથી સસ્પેન્ડ | Babban Singh Raghuvanshi
ગુજરાત સમાચાર પર IT અને EDની રેડ પર ઈસુદાન ગઢવી શું બોલ્યા? | Gujarat Samachar
Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય
Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય
RAJKOT: લંપટ પ્રોફેસર અશ્લીલ વીડિયો જોતા ઝડપાયો, આ શું ભણાવતો હશે?
Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય
Rajasthan: ભાજપા ધારાસભ્યએ તિરંગાને હાથ રુમાલ બનાવ્યો, લૂછ્યું નાક, આ છે ભાજપાની દેશભક્તિ?
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
