
Delhi: દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓએ સોમવારે પાણીમાં એમોનિયાના સ્તર અંગે ચૂંટણી પંચ(EC)ને રજૂઆત કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે હરિયાણાથી દિલ્હીને પૂરા પાડવામાં આવતા પાણીમાં એમોનિયાનું પ્રમાણ વધુ હોય છે. જેના કારણે વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જ પાણી પુરવઠા પર અસર પડી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચે હરિયાણા સરકારને મંગળવાર બપોર સુધીમાં આ મામલે અહેવાલ રજૂ કરવા કહ્યું છે.
પાણીને જાણી જોઈને પ્રદૂષિત કરવાનો આરોપ
દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ સંયુક્ત રીતે ચૂંટણી પંચને રજૂઆત કરી છે. ભાજપની હરિયાણા સરકાર પર દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા યમુનાના પાણીને જાણી જોઈને પ્રદૂષિત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ KATCH: આડા સંબંધમાં 25 વર્ષિય યુવાનની હત્યા, જાણો કારણ?
કેજરીવાલના ભાજપ પર પ્રહાર
AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આ મુદ્દા પર ભાજપ(BJP) પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે હરિયાણા સરકાર પર દિલ્હીના પાણી પુરવઠાને વિક્ષેપિત કરવા માટે યમુનાના પાણીમાં “ઝેર” ઉમેરવાનો આરોપ લગાવ્યો. હાલ પુરતુ યમુના નદીમાંથી દિલ્હીના લોકોને પાણી વિતરણ નહીં કરવામાં આવે.
લોકોને પાણીથી વંચિત રાખવાથી મોટું કોઈ પાપ નથી
કેજરીવાલે આરોપ લગાવ્યો કે લોકોને પાણીથી વંચિત રાખવાથી મોટું કોઈ પાપ નથી. ભાજપ પોતાનું ગંદુ રાજકારણ કરી દિલ્હીના લોકોને તરસ્યા રાખવા માંગે છે. તેઓ હરિયાણાથી મોકલવામાં આવી રહેલા પાણીમાં ઝેર ભેળવી રહ્યા છે. આ દૂષિત પાણી એટલું ઝેરી છે કે શુદ્ધિકરણ પ્લાન્ટથી પણ શુધ્ધ થતું નથી. ભાજપ દિલ્હીના લોકોનો સામૂહિક નરસંહાર કરવા માંગે છે. અમે આ નહીં થવા દઈએ.
આ પણ વાંચોઃ Waqf Bill: વિપક્ષના હોબાળા વચ્ચે JPCએ વકફ સુધારા Billને આપી મંજૂરી, 14 ફેરફારો કરાશે