
- મુખ્ય ચૂંટણી કમિશનર અંગે રાહુલ ગાંધીના વાંધા પર ઓમર અબ્દુલ્લાએ શું કહ્યું?
મુખ્ય ચૂંટણી પંચ (સીઈસી) જ્ઞાનેશ કુમારની નિયુક્ત પર લોકસભામા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની આપત્તિ પર જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહે પ્રતિક્રિયા આપી છે.
ઉમર અબ્દુલ્લાહે કહ્યું કે વિપક્ષના નેતા (એલઓપી) હોવાના કારણે તે તેમનો અધિકાર છે. તેઓ (રાહુલ ગાંધી) પોતાના મંતવ્ય આપવા ગયા હતા ન કે સરકારના નિર્ણય પર સહમતિ વ્યક્ત કરવા.
તે તેમનો હક છે. એવું ક્યાં કહેવામાં આવ્યું છે કે જે સત્તા કરે છે તે એલઓપીને માનવું જ પડશે. અસંમતિ વ્યક્ત કરવાનો LoPનો અધિકાર છે. તેમણે (રાહુલ ગાંધી) પોતાના અધિકારનો ઉપયોગ કર્યો.”
ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનો સવાલ છે, તે ચાલી રહી છે.
જ્ઞાનેશ કુમારને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ આજે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેની જવાબદારી સંભાળશે.
સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટેના નવા નિયમોને પડકારતી અરજીની સુનાવણી પહેલા આ જાહેરાત કરવામાં આવી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની પસંદગી કરતી પેનલના અધ્યક્ષ વડા પ્રધાન હોય છે જ્યારે તેના એક સભ્ય ગૃહમંત્રી અમિત શાહ હોય છે અને બીજા સભ્ય વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી હોય છે.
આ પણ વાંચો-ફ્રિ વિજળી 100 યૂનિટથી વધારીને 150 યૂનિટ; ફ્રિ સોલાર.. રાજસ્થાન બજેટમાં મોટી જાહેરાતો