ચેમ્પિયન ટ્રોફી યોજીને પાકિસ્તાનને શું મળ્યું? ન ફાઈનલ મળી ન નફો; થયું 851 કરોડ રૂપિયાનું નુકશાન

  • Sports
  • March 17, 2025
  • 0 Comments
  • ચેમ્પિયન ટ્રોફી યોજીને પાકિસ્તાનને શું મળ્યું? ન ફાઈનલ મળી ન નફો; થયું 851 કરોડ રૂપિયાનું નુકશાન

ગરીબીમાં આટા ગીલા કહેવત પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે સાચું ઠર્યું છે. પહેલાથી ખરાબ આર્થિક સ્થિતિ સામે ઝંઝૂમી રહેલી પીસીબીને પડ્યા ઉપર પાટું પડ્યું છે. પીસીબીએ વિચાર્યું હશે કે ચેમ્પિયન ટ્રોફી યોજવાથી તેના બધા દુ:ખ દર્દ ખત્મ થઈ જશે. વર્ષોથી ચાલી આવતી તેની ગરીબીને દૂર કરી શકશે પરંતુ થયું તેનાથી એકદમ ઉલ્ટૂં.. પહેલા ગરીબ હતા પરંતુ હવે કંગાળ થઈ ગયા છે. પાકિસ્તાનની કરમની કઠણાઇ એવી રહી કે ન તો તેને ફાઈનલ રમાડવા મળી, ન તેમની ટીમ ફાઈનલ સુધી પહોંચી શકી અને અંતે રહી જતું હતું તો ચેમ્પિયન ટ્રોફીના આયોજન થકી નફો પણ કમાવી શક્યા નહીં.

કેમ કે 29 વર્ષ બાદ પોતાની મેજબાનીમાં ICC ટુર્નામેન્ટ કરાવવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ભારે પડી છે. કંગાળી વેઠી રહેલા પાકિસ્તાની બોર્ડને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેજબાનીથી લગભગ 800 કરોડ રૂપિયાનું નુકસાન થયું. ટુર્નામેન્ટની ફાઈનલ 9 માર્ચે થઈ હતી જેમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને ખિતાબ જીત્યો હતો.

પાકિસ્તાને સ્વપ્ન જોયા હતાં કે તેને આ ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાનીથી અબજો રૂપિયાનો ફાયદો થશે પરંતુ મામલો ઉલટો જ પડી ગયો. ટુર્નામેન્ટ માટે પાકિસ્તાની બોર્ડે સ્ટેડિયમને સુધારવામાં કરોડો રૂપિયા ખર્ચ કર્યા પરંતુ તેને આખરે 85 ટકા નુકસાન વેઠવું પડ્યું છે.

PCB એ ઘરઆંગણે મેચ કરાવવા માટે લગભગ 851 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. તેમ છતાં તેને માત્ર 52 કરોડ રૂપિયાની જ કમાણી થઈ, જેનાથી તેને લગભગ 799 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવુ પડ્યું. તેની અસર ખેલાડીઓ પર જ પડી છે. પીસીબીએ આ નુકસાનની ચૂકવણી માટે ઘરેલુ ખેલાડીઓની મેચ ફી માં ભારે ઘટાડો કર્યો છે.

ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ પાકિસ્તાનના 3 વેન્યૂ લાહોર, કરાચી અને રાવલપિંડીમાં હતી જ્યારે ભારતીય ટીમે પોતાની તમામ મેચ દુબઈમાં રમી. ફાઈનલ પણ દુબઈમાં જ થઈ હતી. પાકિસ્તાની બોર્ડે ત્રણેય ઘરેલુ સ્ટેડિયમોને ઠીક કરવામાં 58 મિલિયન ડોલર (લગભગ 504 કરોડ ભારતીય રૂપિયા) ખર્ચ કર્યા હતાં.

પાકિસ્તાની ટીમે પણ કર્યો કંગાળ દેખાવ

આ પીસીબીના કુલ બજેટનું 50 ટકા વધુ છે. 40 મિલિયન ડોલર (લગભગ 347 કરોડ ભારતીય રૂપિયા) ટુર્નામેન્ટની તૈયારીમાં ખર્ચ કર્યા. આટલો કુલ ખર્ચ કર્યા બાદ પીસીબીને લગભગ 52 કરોડ રૂપિયાનો જ ફાયદો થયો છે. દરમિયાન તેને ટુર્નામેન્ટમાં લગભગ 85% નુકસાન વેઠવું પડ્યું.

પાકિસ્તાન ક્રિકેટ ટીમે પોતાના ઘરમાં થયેલી આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં શરમજનક પ્રદર્શન કર્યું હતું. આ ટીમ કોઈ મેચ જીત્યા વિના 5 દિવસમાં જ બહાર થઈ ગઈ હતી. ટીમ ગ્રૂપ સ્ટેજમાં આગળ વધી શકી નહીં. પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ અને ભારતે હરાવ્યુ જ્યારે બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ વરસાદથી ધોવાઈ ગઈ હતી.

  • Related Posts

    OLYMPICS 2028 માં ક્રિકેટનો સમાવેશ, પુરુષ અને મહિલાની 6 – 6 ક્રિકેટ ટીમો ભાગ લેશે
    • April 10, 2025

    ઓલેમ્પિકમાં T20 ફોર્મેટમાં ક્રિકેટની મેચો રમાડવામાં આવશે. ઇન્ટનેશનલ ઓલેમ્પિક કમિટી દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ. Cricket in Olympics 2028 । આગામી ઓલેમ્પિક ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હોવાની સત્તાવાર જાહેરાત ઇન્ટરનેશનલ…

    Continue reading
    NZ vs PAK: પાકિસ્તાની બેટ્સમેન ઇમામ ઉલ હકને માથામાં બોલ વાગ્યો, મેચ અટકાવી, કેવી થઈ હાલત?
    • April 5, 2025

    NZ vs PAK Player Injured: ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ODI શ્રેણીની ત્રીજી મેચમાં એક ચોકનારી ઘટના ઘટી છે. અહીં બે ઓવલ ખાતે રમાયેલી મેચમાં પાકિસ્તાની બેટ્સમેન ઇમામ ઉલ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

    • April 29, 2025
    • 10 views
    Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

    Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

    • April 29, 2025
    • 15 views
    Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

    MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

    • April 29, 2025
    • 17 views
    MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

    TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

    • April 29, 2025
    • 25 views
    TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

    Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

    • April 29, 2025
    • 28 views
    Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

    Savarkundla: APMCના ડિરેક્ટર અંકુર રામાણીનો આપઘાત

    • April 29, 2025
    • 19 views
    Savarkundla: APMCના ડિરેક્ટર અંકુર રામાણીનો આપઘાત