વિદેશી રોકાણકારો ભારત છોડીને ચીન તરફ કેમ દોડી રહ્યા છે?

  • Others
  • February 25, 2025
  • 0 Comments
  • વિદેશી રોકાણકારો ભારત છોડીને ચીન તરફ કેમ દોડી રહ્યા છે?

ભારતીય શેરબજાર કેમ ઘટી રહ્યું છે? ઓક્ટોબર 2024થી ભારતીય શેરબજારમાં $1 ટ્રિલિયનનું નુકસાન થયું છે, જ્યારે ચીની બજારમાં $2 ટ્રિલિયનનો વધારો થયો છે. ચીનનો હેંગ સેંગ ઇન્ડેક્સ માત્ર એક મહિનામાં 16% વધ્યો છે, જ્યારે ભારતનો નિફ્ટી 2% થી વધુ ઘટ્યો છે. તો શું ભારતમાંથી વિદેશી રોકાણકારો ચીન ભાગી રહ્યા છે કે પરિસ્થિતિ કંઈક બીજી છે?

ભારતીય શેરબજાર છેલ્લા કેટલાક મહિનાઓથી સંઘર્ષ કરી રહ્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરથી સેન્સેક્સમાં લગભગ 12 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા છ મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટીમાં અનુક્રમે 9% અને 10%નો ઘટાડો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટાડો એટલા માટે થયો છે કારણ કે વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાંથી મોટા પાયે તેમના પૈસા પાછા ખેંચી રહ્યા છે. જે અહેવાલો આવી રહ્યા છે તે આ વાતની પુષ્ટિ કરે છે.

સપ્ટેમ્બરમાં બજાર તેની ટોચ પર પહોંચ્યું ત્યારથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ લગભગ $25 બિલિયન પાછા ખેંચી લીધા છે. આ એવા સમયે આવ્યું છે જ્યારે શેરબજાર ઊંચા મૂલ્યાંકન અને ધીમી પડી રહેલી અર્થવ્યવસ્થા અંગે ચિંતાનો સામનો કરી રહ્યું છે. એક અહેવાલ મુજબ, ભારતીય શેરબજારમાં FIIની વેચવાલી ચાલુ છે. જાન્યુઆરીમાં એક્સચેન્જ દ્વારા 81,903 કરોડ રૂપિયાના શેર વેચ્યા બાદ FIIએ 21 ફેબ્રુઆરી સુધીમાં 30,588 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.

તો પ્રશ્ન એ છે કે વિદેશી રોકાણકારો શેરબજારમાંથી ઉપાડેલા પૈસા ક્યાં લઈ રહ્યા છે? આ પ્રશ્નનો જવાબ એમાં પણ મળે છે કે તેઓ આ પૈસા કેમ ઉપાડી રહ્યા છે?

વિદેશી રોકાણકારો વિવિધ કારણોસર ભારતીય શેરબજારમાંથી પૈસા ઉપાડી રહ્યા છે. આમાં ભારતના GDP વૃદ્ધિ દરમાં ઘટાડો, કંપનીઓના નબળા પરિણામો, અમેરિકામાં ટ્રેઝરી યીલ્ડમાં વધારો, અમેરિકામાં મજબૂત આર્થિક વૃદ્ધિ અને ડોલરમાં વધારો શામેલ છે. યુએસ માર્કેટમાં સારા વળતરને કારણે FII ભારત જેવા ઉભરતા બજારોને બદલે ત્યાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. આ દરમિયાન ચીનના શેરબજારમાં પણ જોરદાર વાપસી થઈ છે. આ કારણે ભારતીય ઇક્વિટી તુલનાત્મક રીતે ઓછા આકર્ષક લાગે છે.

આ પણ વાંચો-આઉટસોર્સિંગ-કોન્ટ્રાક્ટ પ્રથાને નામે રાજ્યના યુવાનોનું શોષણ: અમિત ચાવડા

ચીનના AI DeepSeekની એન્ટ્રી, ચીની કંપનીઓના પ્રમાણમાં સસ્તા મૂલ્યાંકન, અલીબાબા અને લેનોવો જેવી કંપનીઓના સારા પ્રદર્શનને કારણે રોકારણકારો ચીનમાં રસ દાખવી રહ્યા છે.

લાઇવ મિન્ટના અહેવાલ મુજબ જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, “‘સેલ ઈન્ડિયા, બાય ચીન’ વ્યૂહરચનાથી લાભ મળી રહ્યો છે. બજાર સાવધાન મૂડમાં છે, જ્યાં સુધી કોર્પોરેટ કમાણીમાં નોંધપાત્ર સુધારો ન થાય અને સરળ વૈશ્વિક પ્રવાહિતા અને સ્થિર ચલણ સાથે અનુકૂળ વાતાવરણ ન બને ત્યાં સુધી અનુકૂળ સ્થિતિ બની શકશે નહીં. “

FDIમાં પણ મોટો ઘટાડો થયો

FDI એટલે કે વિદેશી પ્રત્યક્ષ રોકાણ પણ દેશની આર્થિક સ્થિતિ દર્શાવતું સૂચક છે. તાજેતરના મહિનાઓમાં તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આનો અર્થ એ થયો કે FDI રોકાણકારોએ ભારતીય અર્થતંત્રમાંથી નફો કમાવવાનો વિશ્વાસ ગુમાવી દીધો છે. FDIમાં રેકોર્ડ ઘટાડાના સમાચાર છે. આ નાણાકીય વર્ષના એપ્રિલ-ઓક્ટોબર સમયગાળા દરમિયાન ભારતમાં ચોખ્ખો વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) પ્રવાહ પાછલા વર્ષોના સમાન સમયગાળાની તુલનામાં 12 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે.

RBIના ડેટા દર્શાવે છે કે એપ્રિલ-ઓક્ટોબર 2024 માં ભારતમાં ચોખ્ખો FDI પ્રવાહ ઘટીને $14.5 બિલિયન થયો, જે 2012-13 પછીનો સૌથી નીચો છે. ત્યારે તે 13.8 બિલિયન ડોલર હતું. કોરાના મહમારી પછી 2012-13 થી 2023-24 સુધી ચોખ્ખો FDI વર્ષ-દર-વર્ષ ધીમો પડી રહ્યો છે. 2020-21ના એપ્રિલ-ઓક્ટોબર સમયગાળા દરમિયાન ચોખ્ખો FDI 34 બિલિયન ડોલર હતો, જે 2021-22માં ઘટીને 32.8 બિલિયન ડોલર, 2022-23માં 27.5 બિલિયન ડોલર અને 2023-24માં 15.7 બિલિયન ડોલર થયો.

જ્યારે વિદેશી કંપનીઓ રોકાણ માટે ભારતથી દૂર જઈ રહી હોય તેવું લાગે છે, તે વચ્ચે ભારતીય કંપનીઓ પણ એવું જ કરી રહી હોય તેવું દેખાઈ રહ્યુ છે. એપ્રિલ-ઓક્ટોબર 2024 માં ભારતીય કંપનીઓ દ્વારા વિદેશી રોકાણ વધીને $12.4 બિલિયન થયું, જે ઓછામાં ઓછા 2011-12 પછી સૌથી વધુ છે. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં આ 55 ટકાનો વધારો છે.

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ ડૉ. વી કે વિજયકુમારના મતે, ભારતીય બજારો માટે સૌથી મોટી ચિંતા FII દ્વારા સતત વેચાણ છે. “ચીની શેરબજારમાં તીવ્ર તેજી એ નજીકના ભવિષ્યનો બીજો પડકાર છે,” તેમણે કહ્યું, ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ વેલ્થમિલ્સ સિક્યોરિટીઝના ઇક્વિટી સ્ટ્રેટેજીના ડિરેક્ટર ક્રાંતિ બાથિનીએ પણ જણાવ્યું હતું કે ટૂંકા ગાળામાં ચીની બજાર રોકાણકારો માટે વધુ આકર્ષક બન્યું છે. જોકે, ચીની શેરબજારમાં મજબૂત તેજી હોવા છતાં બધા નિષ્ણાતો માનતા નથી કે આ વલણ લાંબા સમય સુધી ટકશે.

આ પણ વાંચો-રાજકોટના માલિયાસણ નજીક ગમખ્વાર અકસ્માત; ઘટના સ્થળે જ પાંચ લોકોના મોત

  • Related Posts

    Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?
    • May 9, 2025

    Share Market: આજે એટલે કે શુક્રવાર, 9 મેએ અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ લગભગ 900 પોઈન્ટ (1.14%) ઘટીને 79,400 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો…

    Continue reading
    Solar eclipse: શનિવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો જોવા મળશે
    • March 25, 2025

    Solar eclipse: 29મી માર્ચ અને શનિવારના રોજ ખંડગ્રાસનો સૂર્યગ્રહણનો અદભુત અવકાશી નજારો બનવાનો છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહિ જયારે યુરોપ, ઉત્તર રશિયા, દક્ષિણ-પશ્ચિમ આફ્રિકામાં આહલાદક જોવા મળવાનું છે. આ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

    • June 15, 2025
    • 16 views
    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    • June 15, 2025
    • 17 views
    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

    • June 15, 2025
    • 22 views
    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

    Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

    • June 15, 2025
    • 12 views
    Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

    • June 15, 2025
    • 31 views
    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

    Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

    • June 15, 2025
    • 18 views
    Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ