
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે મેન્યુઅલ સ્કેવેજિંગ અને સીવર, સેપ્ટિક ટૅન્કોની ખતરનાક સફાઈ પ્રથા ખતમ કરવા માટે “કોઈ પણ હદ સુધી” જવાની વાત કહી અને કહ્યું કે આ મુદ્દો માનવીય સન્માનના પ્રશ્ન સાથે જોડાયેલ છે.
ધ હિન્દુની રિપોર્ટ મુજબ, જસ્ટિસ સુધાંશુ ધૂળિયા અને અરવિંદ કુમારની વિશેષ પીઠે કેન્દ્ર સરકારને સંબોધીને કહ્યું, “આ મુદ્દો અમારે માટે ખૂબ જ જરૂરી છે. અમે તેને આમ જ છોડીશું નહીં. અમે તમને જણાવી રહ્યા છીએ કે અમે ઑક્ટોબર 2023ના અમારી નિર્ણયોનું અનુસરણ કરાવવા માટે કોઈ પણ હદ સુધી જઈશું, પછી ભલે કંઈ પણ થાય.”
અદાલતમાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કર્યું.
સર્વોચ્ચ ન્યાયાલય 20 ઑક્ટોબર, 2023ના તેના ફેસલાનો ઉલ્લેખ કરી રહ્યું હતું જેમાં તેમણે કેન્દ્ર અને રાજ્યોને દેશમાં મેન્યુઅલ સ્કેવેજિંગ અને ખતરનાક સફાઈ પ્રથા ખતમ કરવા માટે પગલાં લેવા માટે સૂચનાઓ આપી હતી. ન્યાયાલયે કહ્યું હતું કે આ “અમાનવીય” કામ ચાલુ છે, જેના કારણે ઘણાં વખતે ગટરમાં ગૂંગળામણના કારણે શ્રમિકોની મોત થાય છે.
અદાલતએ કહ્યું હતું કે જો મેન્યુઅલ સ્કેવેજર તરીકે રોજગારીના પ્રતિબંધ અને તેમના પુનર્વસન અધિનિયમ, 2013 લાગુ થવાનાં એક દાયકાથી વધુ સમય પછી પણ સમાજના મોટા વર્ગને જીવલેણ ખતરાઓ સાથે સીવર માં ઉતરવું પડે છે, તો નાગરિકો વચ્ચે ભાઈચારો, સમાનતા અને સન્માનના દાવા માત્ર ભ્રમ બની જાય છે.
અદાલતે કહ્યું હતુ કે, “અમારામાંથી દરેક વ્યક્તિ જનસંખ્યાના મોટા હિસ્સા પ્રત્યે ઋણી છે, જે ગાયબ અને મૌન બનેલા છે, જે વ્યવસ્થિત રીતે અમાનવીય પરિસ્થિતિમાં ફસાયેલા છે. સાથે જ અદાલતોએ ગટરમાં થનારી મોતના સામે આપવામાં આવતા વળતરને 10 લાખ રૂપિયાથી વધારેને 30 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા હતા.”
એક વર્ષથી વધુ સમય પછી બુધવારે વિશેષ પીઠએ ટિપ્પણી કરી કે રાજ્યોએ ફેસલામાં આપવામાં આવેલ સુચનો લાગુ કરવાની કોઈ કસર નથી છોડી. જો કે, જસ્ટિસ ધૂળિયાએ કહ્યું, “પરંતુ માણસો પાસેથી ગટર સફાઇનું સંપૂર્ણ નાબૂદીનો પ્રશ્ન છે, તેવું ક્યાંક થયું નથી., તે સિસ્ટમ એક પણ નગર પાલિકામાં નથી… અમને એક પણ આદર્શ નગર પાલિકા બતાવો, જ્યાં આ ખતરનાક સફાઈ પ્રથા ન હોય.”
મામલાના એમિકસ ક્યુરી વરિષ્ઠ વકીલ કે. પરમેશ્વરે કહ્યું કે સીવરમાં મૃત્યુ અટકવવાના પુરાવા દિલ્હી ઉચ્ચ ન્યાયાલયના ત્રણ તાજેતરના ફેસલામાં મળે છે, જેમાં પીડિતોના પરિવારજનને વધારેલા વળતર આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરમેશ્વરે કહ્યું, “અમને પુરાવા માટે બહુ દૂર જવાની જરૂર નથી, તેનો ઉદાહરણ રાષ્ટ્રીય રાજધાનીમાં જ હાજર છે.”
અદાલતએ પૂછ્યું કે સરકારની મકેનાઈઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ માટેની રાષ્ટ્રીય કાર્ય યોજનાના હોવા છતાં ગંદકી ઉપાડવાની પ્રથા કેવી રીતે ચાલુ રહે છે.
અદાલતે સામાજિક ન્યાય મંત્રાલયને આગામી બે અઠવાડિયામાં રાજ્યો સાથે બેઠક કરવાની અને ઑક્ટોબર 2023ના ફેસલાના અમલ માટે કાર્ય યોજના તૈયાર કરવાની સૂચના આપી. ન્યાયાલયે સરકારને અમલમાં આવતા ખામીઓ દુર કરવા અને તે ન થવાથી ઘોષણા કાર્યવાહી સામનો કરવાની વાત કરી છે.
ઉલ્લેખનિય છે કે દેશમાં પ્રથમ વખત 1993માં મેન્યુઅલ સ્કેવેજિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પછી 2013 માં કાયદો બનાવી આ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જો કે આજે પણ સમાજમાં મેન્યુઅલ સ્કેવેજિંગની પ્રથા હાજર છે.
મેન્યુઅલ સ્કેવેજિંગ અધિનિયમ 2013 હેઠળ કોઈ પણ વ્યક્તિને સીવર માં મોકલવું સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. જો કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં સફાઈકર્મી ને સીવર અંદર મોકલવામાં આવે છે, તો તેનો માટે 27 પ્રકારના નિયમોનું પાલન કરવું પડે છે. જો કે આ નિયમોના સતત ઉલ્લંઘનના કારણે દરરોજ સીવર સફાઈ દરમિયાન શ્રમિકોની જીવ જાય છે.







