
Agra: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વિમાનનું આગ્રામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ટેકનિકલ ખામીને કારણે વિમાન ઉડાન ભર્યા પછી પાછું લેન્ડિંગ કરાયું હતુ. સીએમ યોગી માટે દિલ્હીથી બીજું વિમાન મંગાવવામાં આવ્યું અને પછી તેઓ તે વિમાનથી રવાના થયા. તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી આજે આગ્રાની મુલાકાતે હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, સીએમ યોગીના ચાર્ટર્ડ વિમાનમાં આગ્રામાં ટેક ઓફ બાદ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. વિમાન આકાશ ઉડ્યા બાદ પાયલોટે સમજદારી દાખવી ખેરિયા એરપોર્ટ પર વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતુ.
આગ્રામાં સીએમ યોગીનો કાર્યક્રમ સમાપ્ત થયા પછી, તેમનું રાજ્ય વિમાન આજે બુધવારે બપોરે 3.40 વાગ્યે ઉડાન ભરી હતી. વિમાન 20 મિનિટ પછી પાછુ લેન્ડ કરાયું હતુ. આ પછી, બીજું ચાર્ટર પ્લેન દિલ્હીથી સાંજે 5.42 વાગ્યે પહોંચ્યું હતુ.
આ પણ વાંચોઃ Surat: AAPએ માગ્યું ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું, ‘ડ્રગ્સનો કરો ખુલાસો’
આ પણ વાંચોઃ Disha Salian: દિશા સલિયનના મોત મામલે 4 મોટી હસ્તીઓ સામે FIR,આદિત્ય ઠાકરે પણ સામેલ
આ પણ વાંચોઃ Delhi: દિલ્હી પોલીસ જસ્ટિસ યશવંત વર્માના ઘરે, સ્ટોર રૂમ અને આસપાસનો વિસ્તાર કર્યો સીલ, જાણો વધુ
આ પણ વાંચોઃ Amreli: શાળામાં બ્લેડથી 40થી વધુ બાળકોએ હાથ-પગની નસો કાપવાના પ્રયત્ન કર્યા, શિક્ષકો શું કરતા હતા?
આ પણ વાંચોઃ બેંકમાં થયેલા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતાં પત્રકારની ધરપકડ | Assam journalist arrest