Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB ટીમ ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ને તપાસમાં સહાય કરવા અમદાવાદ આવી છે. આ ટીમ બોઇંગ વિમાનના ઉત્પાદક દેશ તરીકે સામેલ છે, કારણ કે ક્રેશ થયેલું વિમાન બોઇંગ 787-8 હતું.

તુર્કીએ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ક્રેશ થયેલ બોઇંગ 787-8 વિમાન તુર્કીએ ટેકનિક દ્વારા જાળવવામાં આવ્યું હતું, પરંતુ આ સાચુ નથી. આ દાવો તુર્કીએ-ભારત સંબંધોને પ્રભાવિત કરવા માટે કરવામાં આવ્યો છે.

‘આજ સુધી એર ઇન્ડિયા વિમાનની જાળવણી કરી નથી’

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 2024 અને 2025 માટે એર ઇન્ડિયા અને તુર્કીયે ટેકનિક વચ્ચે થયેલા કરારો હેઠળ ફક્ત B777 પ્રકારના વાઇડ-બોડી એરક્રાફ્ટની જાળવણી કરવામાં આવી રહી છે. અકસ્માતમાં સામેલ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર એરક્રાફ્ટ કરારની બહાર છે. તુર્કીયે ટેકનિકે’ (Turkish Technic) આજ સુધી આવા કોઈ એર ઇન્ડિયા વિમાનની જાળવણી કરી નથી. અમે જાણીએ છીએ કે ક્રેશ થયેલા વિમાનનું છેલ્લું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું હતું, પરંતુ અમે આ બાબતે કોઈ નિવેદન ઇચ્છતા નથી.

તુર્કીએ કહ્યું કે ખોટી માહિતી ફેલાવવાના કેન્દ્ર તરીકે અમે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં તુર્કીનું પ્રતિનિધિત્વ કરતી બ્રાન્ડ્સની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના હેતુથી થતી પ્રવૃત્તિઓ પર નજર રાખીશું અને જરૂરી પગલાં લઈશું. તુર્કી રાષ્ટ્ર તરીકે, અમે દુ:ખદ વિમાન દુર્ઘટના અંગે ભારતીય લોકોના દુ:ખમાં નિષ્ઠાપૂર્વક ભાગીદાર છીએ.

ઉલ્લેખનીય છે કે બાબા રામદેવે આરોપ લગાવ્યો હતો કે મને જાણવા મળ્યું છે કે વિમાનનું જાળવણી અને સેવા તુર્કીની એક એજન્સી કરે છે. ભારતે ઉડ્ડયન ક્ષેત્ર પર નજીકથી નજર રાખવી પડશે. તે એજન્સી દ્વારા કાવતરું હોવાની શક્યતા છે. ભારતે આવા સંવેદનશીલ બાબતોમાં વિદેશી કંપનીઓની દખલગીરી બંધ કરવી પડશે. જો કે બાબા રામદેવના આ નિવેદમનું તુર્કીએ ખંડન કર્યું છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 270 લોકોના મોત

એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં કુલ 270 લોકોના મોત થયા છે. વિમાનમાં સવાર 230 મુસાફરોમાં 217 પુખ્ત વયના, 11 બાળકો અને બે શિશુઓનો સમાવેશ થાય છે. આમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ, સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં 241 લોકોની સાથે વિમાનના 12 ક્રૂ સભ્યોનું પણ મોત થયું હતું. ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો હતો. મેડિકલ હોસ્ટેલ અને નજીકના વિસ્તારોમાં હાજર 29 અન્ય લોકોનું પણ મોત થયું હતું અને ઘણા ઘાયલોની સારવાર ચાલી રહી છે.

 

Related Posts

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા
  • June 16, 2025

Vijay Rupani : અમદાવાદમાં વિમાન દુર્ઘટના પછી, મૃતદેહોની ઓળખ માટે એકત્રિત કરાયેલા સંબંધીઓના ડીએનએ નમૂનાઓ સાથે 90 મૃતદેહોના ડીએનએ નમૂનાઓ મેચ થયા છે, જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ…

Continue reading
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

  • June 16, 2025
  • 3 views
પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

  • June 16, 2025
  • 4 views
Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા,  એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 25 views
Adani’s Haifa port attack: ઈરાનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 15 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ