Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

મહેશ ઓડ

Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે આખું વિમાન તૂટી ગયું, લોકો મરી ગયા પણ ભગવત ગીતાને કઈ ન થયું. આ પ્રકારની ઘણી રિલ્સ અને સમાચાર સોશિયલ મિડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.  જોકે સવાલ એ થાય છે કે ભગવત  ગીતા બચી તો પ્લેનમાં બેસનાર લોકો અને હોસ્ટેલમાં રહેનારા લોકોએ શું ગુનો કર્યો હતો કે તેમના મોત થયા?.

મિડિયા ભગવત ગીતા પુસ્તક સહીસલાત મળી આવવાના કારણને ચમત્કાર ગણાવી રહ્યું છે. ચત્કાર હોય તો કોઈએ પોતાના સ્વજનોન ગુમાવ્યા હોત?.

લોકો ભગવત ગીતા સલામત મળતાં શ્રધ્ધા અને આસ્થા સાથે જોડી રહ્યા છે અને તે ઠેરવી રહ્યું છે કે તે ભગવન ગીતા હતી એટેલ કંઈ ન થયું. તો વિમાનમાં બેસનારા અને હોસ્ટેલમાં રેહનારા ઈન્ટર્ન ડોક્ટરોએ શું પાપ કર્યા હશે!

મિડિયાને દરેક મુદ્દાને ધાર્મિક સંવેદનાનો સાથે જોડી ચગાવવામાં મજા આવે છે. તે સરકારને સવાલ પૂછતું નથી કે, કેમ વિમાન તૂટ્યું?, વિમાનનું સંચાલન કરતી કંપનીની શું બેદરકારી છે?

દાવો કરાઈ રહ્યા છે કે વિમાનમાં અગાઉ પણ ખામી હોવાનું બહાર આવ્યું હતુ. પણ ધ્યાન ન આપવામાં આવ્યું. જેના કારણે લોકો જીવ ગુમાવવાનો વારો આવ્યો. જો પહેલેથી જ સરકારે ધ્યાન આપ્યુ હોત તો આવી ઘટના ન સર્જાઈ હોત. હવે તંત્ર એકબીજા પર દોષનો ટોપલો ઢાલવવા બેસી ગયું છે.

લોકો હજુ પણ એ માનવા તૈયાર નથી કે ભગવદ ગીતા બચી હોય તો તેનું કારણ ભૌતિક હોઈ શકે. ઉદાહરણ તરીકે, પુસ્તક કોઈ બેગ, લગેજ કે ધાતુના કન્ટેનરમાં હોઈ શકે, જે ગરમી અને આગથી થોડું સુરક્ષિત રહ્યું હોય કે પછી બીજું કંઈ કરાણ હોય. પણ લોકોને પણ કોઈપણ ઘટનાને ધર્મ સાથે જોડી દેવાની મજા આવે છે.

આ ઘટનામાં માત્ર એક વ્યક્તિ બચી છે. જેને પોતાની આપવીતી વર્ણવી છે. તે કેવી રીતે બહાર નિકળ્યો. તેમાં પણ નેતાઓ અને લોકો શંકા કરી રહ્યા છે. બચી ગયેલા લોકોને મિડિયા અને નેતાઓ જીવવા દેતા નથી.

ઈજાગ્રસ્તની સારવાર ચાલી રહી હોવા છતાં હોસ્પિટલમાં ઘૂસી ઘૂસીને તેને વાત કરાવવાનો પ્રયાસ કરે છે. મિડિયા પણ તમે કેવી રીતે બચી ગયાના સવાલો સતત કરતી રહે છે. આવા સમયે કોઈ નેતા કે મિડિયાને હોસ્પિટલની અંદર ઘૂસવા ન દેવા જોઈએ. આ માટે કડક નિયમો પણ બનાવવા જોઈએ. મિડિયા કે નેતાઓ અંદર ઘૂસે એટલે સારવાર કરતાં ડોક્ટરોને જ મુશ્કેલી સર્જાઈ છે. સાથે સાથે ઈજાગ્રસ્ત વ્યક્તિ પણ ખૂબ હેરાન પરેશાન થાય છે. વિમાન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત વિશ્વાસકુમાર રમેશના હાવાભાવ પરથી ખબર પડી રહી હતી કે તે નેતાઓ અને મડિયાએ તેને કેટલો હેરાન કર્યો છે.

તેમાં પણ દેશના વડાપ્રધાન મોદી મળવા ગયા. જેમાં પણ ઘણી અગવડ પડી હશે!. અહીં મોદીએ અલગ અલગ એંગલથી પોતાના ફોટા લેવડાવ્યા. અલગ અલગ એંગલથી જ ફોટો શૂટીંગમાં જ જાણે રસ હોય. મોતનો મલજો પણ જળવાયો ન હોય તેવા દ્રશ્ય સર્જાયા છે.  આવા લોકો માટે શું કરવું તે તમે નક્કી કરો.

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Related Posts

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!
  • June 17, 2026

Morbi Farmers Hunger Strike: મોરબીના ખેડૂતો ફરી એકવાર અન્યાય સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. જેતપર ગામે મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં ખેડૂતોએ સરકારી દમન અને કોર્પોરેટ કંપનીઓની દાદાગીરી સામે ‘આંદોલન…

Continue reading
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!
  • June 17, 2026

Ahmedabad Congress Protest: અમદાવાદની ગલીઓ અને બજારોમાં આજે સામાન્ય જનતાનો અવાજ ગુંજ્યો હતો. વધતી જતી કમરતોડ મોંઘવારી અને તાજેતરમાં થયેલા નીટ (NEET) પેપર લીક કૌભાંડના વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

  • June 17, 2026
  • 3 views
Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

  • June 17, 2026
  • 4 views
Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

  • June 17, 2026
  • 6 views
Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

  • June 17, 2026
  • 11 views
China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

  • June 17, 2026
  • 10 views
Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 11 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ