
- ગાંધીનગરમાં ઉમેદવારોએ મચાવ્યો હંગામો
- ઉમેદવારોને ગોળગોળ ફેરવતી સરકારનો રોષ પર ઠંઠો પાડનો પ્રયાસ
- શિક્ષણમંત્રીએ કહ્યું ભરતી કરાશે, ક્યારે ખબર નહીં?
Education Minister Praful Pansheriya: ગાંધીનગરમાં આજે(24 ફેબ્રુઆરીએ) TET-TAT પાસ ઉમેદવારોએ હંગામો મચાવ્યો છે. છેલ્લા બે વર્ષથી ઉમેદવારની આગળ સરકારે આશાનું ગાજર લટકાવતાં રોષે ભરાયા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સૂત્રોચ્ચાર સાથે સરકારને બાનમાં લીધી છે. સૂત્રોચ્ચાર દરમિયાન ઉમેદવારો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતુ. પોલીસ 200થી વધુ ઉમેદવારોને ટીંગાટોળી કરી લઈ ગઈ છે. હાલ TET-TAT ઉમેદવારની ચાલતી ધીમી ભરતી પ્રક્રિયાને લઈ ગાંધીનગરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે શિક્ષણમંત્રીએ ભરતી પ્રક્રિયાને નિર્ણય લેવો પડ્યો છે.
ભરતી પ્રક્રિયાને લઈ શિક્ષમંત્રીએ બહાનું કાઢ્યું
શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ શિક્ષકોની ભરતીની બાંહેધરી આપતાં કહ્યું રાજ્ય સરકાર 24,700 શિક્ષકોની ભરતી કરશે. આચાર સંહિતાના કારણે ભરતી પ્રક્રિયામાં મોડું થયું છે. સરકાર દ્વારા ભરતી અંગે જે સત્તાવાર જાહેરાત કરી છે તે ખાલી જગ્યાઓ પર ચોક્કસ ભરતી કરવામાં આવશે. જો કે આ ભરતી ક્યારે કરાશે તેનો કોઈ ચોક્કસ સમય આપવામાં આવ્યો નથી.
શિક્ષણ મંત્રી બાંહેધરી આપી ફરી ન જાય જો…જો!
ઉલ્લેખનીય છે કે તારીખ 16/01/2025 ના રોજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે જાહેર મંચ પરથી શિક્ષણ મંત્રીએ નિવેદન હતું કે, “24,700 ની અન્ય માધ્યમ સહિત ધો.1 થી 12ની તમામ ભરતી પ્રક્રિયા એક મહિનામાં પારદર્શકતાથી પૂર્ણ કરી તમામને નિમણુકપત્રો એનાયત કરીશું.” આ નિવેદનને આજે 40 દિવસથી વધુનો સમય વિતી ગયો છે. ત્યારે વિરોધ થતાં નિર્ણય લીધો છે. જેથી હવે ભરતીની બાંહેધરી તો આપી છે પણ પછી પણ ઢીલાશ નહીં કરે તેની કોઈ ખાતરી આપી નથી. જો કે હાલ ઉમેદવારોને રોષ પર ઠંડુ પાણી રેડી દેવાનો પ્રાયસ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હવે પ્રશ્ન એ છે કે શિક્ષણમંત્રીની જાહેરાત બાદ ઉમેદવારો દેખાવ બંધ કરશે કે નહીં?
આ પણ વાંચોઃ TET-TAT પાસ ઉમેદવારો ગાંધીનગરના રસ્તાઓ પર ઉતર્યા, શું છે પડતર માંગણીઓ, વાંચો
આ પણ વાંચોઃ Surat: હજીરાની AM/NS કંપનીને રૂપિયા 106 કરોડનો દંડ ફટકાર્યો, જાણો સૌથી મોટું કારણ
આ પણ વાંચોઃ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2025: ભોપાલ પહોંચ્યા ગૌતમ અદાણી; CM મોહન યાદવે કર્યું સ્વાગત