જયપુરમાં ડરામણો માર્ગ અકસ્માતમાં; 16 લોકોના મોત 35 ઇજાગ્રસ્ત

  • India
  • December 22, 2024
  • 0 Comments

રાજસ્થાનની રાજધાની જયપુરમાં શુક્રવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત અને આગની ઘટના ઘટી, જેનાથી સમગ્ર શહેર ચોંકી ઉઠ્યું. આ દુર્ઘટના અજમેર હાઈવે પર દિલ્હી પબ્લિક સ્કૂલની સામે બની હતી. દુર્ઘટનાના દ્રશ્યો એટલા ભયાનક હતા કે ત્યાં હાજર લોકો આ વાતને યાદ કરીને હચમચી ગયા હતા. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોનાર કોઈપણ વ્યક્તિ ડરી જાય તેવું દ્રશ્ય છે.

આ અકસ્માતમાં મૃત્યુઆંક 16 પર પહોંચી ગયો છે, જ્યારે 35 જેટલા લોકો ખરાબ રીતે દાઝી ગયા છે અને તેઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સ્થળ પર તાત્કાલિક સહાય માટે ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમે રાત્રે ભારે જહેમત સાથે આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં કેટલાક લોકોની હાલત ગંભીર છે.

વિસ્ફોટનો અવાજ આવતા જ લોકોએ દોડધામ શરૂ કરી દીધી હતી. ઘટનામાં ગેસ ટેન્કર અને ટ્રક વચ્ચે થયેલી અથડામણ બાદ ઘણા વિસ્ફોટો થયા, જેના અવાજ 10 કિલોમીટર દૂર સુધી સંભળાયા હતા. લોકોએ અકસ્માતનો ભોગ બનેલા લોકોને જીવતા બળી જતા જોયા. આ ઘટનાના કારણે 200 મીટર લાંબો રસ્તો આગના ગોળામાં ફેરવાઈ ગયો હતો. ઘટનાના કારણે આકાશમાં ધુમાડાના કાળા વાદળો છવાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે ભારે મહેનત બાદ લગભગ 8 કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો. હતો ઘટનાને કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ દુર્ઘટના સવારે 5.45 વાગ્યે જયપુરના ભાંકરોટા વિસ્તારમાં બની હતી. ભારત પેટ્રોલિયમ કંપનીનું એક LPG ટેન્કર અજમેરથી જયપુર તરફ આવી રહ્યું હતું. યૂટર્ન લેવા દરમિયાન તે અજમેર તરફ જતી ટ્રક સાથે અથડાયું, જેના કારણે ટેન્કરની 5 નોઝલ તૂટી ગઈ અને લગભગ 18 ટન ગેસ લીક થયો હતો. ગેસના લીકેજના કારણે ગંભીર આગ ફાટી નીકળી અને એક પછી એક વિસ્ફોટ થવા લાગ્યા.

જો કે પાછળ આવતું બીજું ટેન્કર અને માચીસના લાકડાઓ ભરેલી ટ્રક સમયસર રોકાઈ ગયા, જેના કારણે આ ઘટના વધુ ભયાનક બનતા અટકી. જણાવી દઇએ કે, આ દુર્ઘટનાના ઘાયલોને તાત્કાલિક સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કેટલાક લોકો 80-90 ટકા સુધી દાઝી ગયા છે. અત્યાર સુધીમાં 13 લોકોના સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે, જ્યારે અન્ય 3 લોકોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. 9 મૃતકોની ઓળખ કરવામાં આવી છે.

  • Related Posts

    Rahul Gandhi Indore: ઇન્દોરમાં રાહુલ ગાંધીનો મોટો દાવો, ‘દેશની સિસ્ટમ 6 લોકો ચલાવી રહ્યા છે’
    • September 20, 2026

    Rahul Gandhi Indore: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે ઇન્દોરમાં યોજાયેલા ‘વિદ્યાર્થીઓની ગૂંજ’ કાર્યક્રમમાં કેન્દ્ર સરકાર અને દેશની રાજકીય-આર્થિક વ્યવસ્થાને લઈને અનેક ગંભીર આક્ષેપો કર્યા. ‘સિસ્ટમ વિરુદ્ધ સ્ટુડન્ટ્સ’ થીમ હેઠળ…

    Continue reading
    DUSU Election 2026 માં ABVPનો દબદબો યથાવત, 4માંથી 3 સીટો જીતી, NSUIનું ખાતું પણ ન ખુલ્યું
    • September 20, 2026

    DUSU Election 2026: દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ એટલે કે DUSU ચૂંટણી 2026ના પરિણામો જાહેર થઈ ગયા છે. ચાર કેન્દ્રીય પદોમાંથી ત્રણ પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVPના ઉમેદવારોએ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Rahul Gandhi Indore: ઇન્દોરમાં રાહુલ ગાંધીનો મોટો દાવો, ‘દેશની સિસ્ટમ 6 લોકો ચલાવી રહ્યા છે’

    • September 20, 2026
    • 5 views
    Rahul Gandhi Indore: ઇન્દોરમાં રાહુલ ગાંધીનો મોટો દાવો, ‘દેશની સિસ્ટમ 6 લોકો ચલાવી રહ્યા છે’

    DUSU Election 2026 માં ABVPનો દબદબો યથાવત, 4માંથી 3 સીટો જીતી, NSUIનું ખાતું પણ ન ખુલ્યું

    • September 20, 2026
    • 6 views
    DUSU Election 2026 માં ABVPનો દબદબો યથાવત, 4માંથી 3 સીટો જીતી, NSUIનું ખાતું પણ ન ખુલ્યું

    Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

    • September 20, 2026
    • 6 views
    Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

    West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

    • September 19, 2026
    • 6 views
    West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

    Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

    • September 19, 2026
    • 7 views
    Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

    West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

    • September 19, 2026
    • 8 views
    West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી