
- રાજકોટની એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં લાગી આગ; ત્રણ લોકોના મોત
રાજકોટમાં એક વખત ફરીથી આગ લાગવાની ઘટના બની છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. મળી રહેલી માહિતી અનુાસર, રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલ એટ્લાન્ટિસ બિલ્ડિંગના પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી છે.
VIDEO | Three people were reportedly killed after a fire broke out at an apartment building Rajkot, Gujarat. More details awaited.
(Full video available on PTI Videos- https://t.co/dv5TRAShcC) pic.twitter.com/wA543iK1OY
— Press Trust of India (@PTI_News) March 14, 2025
પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ સાથે બચાવ કામગીરી ચાલી રહી છે. પરંતુ દુ:ખદ સમાચાર તે છે કે, આ ઘટનામાં 3 લોકોના મોત થઈ ચૂક્યા છે. લોકોને બચાવવા માટે હાઇડ્રોલિક લિફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી ઝડપી લોકોને બિલ્ડીંગમાંથી બહાર કાઢી શકાય અને વધુ લોકોના જીવ જતાં બચાવી શકાય. રાજકોટના નામાંકિત જવેલર્સના માલિકો તેમજ નામાંકિત ડોક્ટર્સ પરિવાર આ એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં રહે છે.








