લોકસભામાં પીએમ મોદીનું સંબોધન તો ગૃહ બહાર રાહુલ ગાંધીનું નિવેદન; વિપક્ષને કેમ મૌન કરવામાં આવ્યું?

  • India
  • March 18, 2025
  • 0 Comments
  • લોકસભામાં પીએમ મોદીનું સંબોધન તો સંસદ બહાર રાહુલ ગાંધીનું નિવેદન; વિપક્ષને કેમ મૌન કરવામાં આવ્યું?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પર લોકસભામાં નિવેદન આપ્યું અને તેને સફળ કાર્યક્રમ ગણાવ્યો હતો.

તેમના નિવેદન પછી વિરોધ પક્ષોના કેટલાક સભ્યો પોતાનો મુદ્દો રજૂ કરવા માંગતા હતા, પરંતુ સ્પીકર ઓમ બિરલાએ તેમને તેમની બેઠકો પર બેસવા કહ્યું હતું.

આ હોબાળા બાદ ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ગૃહમાંથી બહાર આવ્યા પછી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાત કરી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું, “હું વડાપ્રધાનના નિવેદનને સમર્થન આપવા માંગતો હતો. કુંભ આપણી પરંપરા, સંસ્કૃતિ, ઇતિહાસ છે. એવી ફરિયાદ હતી કે વડાપ્રધાને મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી નથી.”

“કુંભમાં ગયેલા યુવાનો વડાપ્રધાન પાસેથી રોજગાર ઇચ્છે છે અને વડાપ્રધાને પણ તેના પર બોલવું જોઈતું હતું… લોકશાહી વ્યવસ્થામાં વિપક્ષના નેતાને બોલવાની તક આપવી જોઈતી હતી, પરંતુ તેઓ બોલતા નથી, આ નવું ભારત છે.”

કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ આ મુદ્દે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે, “સંસદમાં વડાપ્રધાનના નિવેદન પછી વિપક્ષને પણ બોલવાની મંજૂરી આપવી જોઈતી હતી, કારણ કે કુંભના વિષય પર વિપક્ષની પણ લાગણીઓ હતી, જેના પર કોઈ વાંધો ન હોવો જોઈતો હતો. તેથી, વિપક્ષને પણ આ વિશે બોલવાની મંજૂરી આપવી જોઈતી હતી.”

29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળા દરમિયાન થયેલી ભાગદોડમાં ઘણા લોકોના મોત થયા હતા. વિપક્ષી પાર્ટીઓ સતત સરકાર પર આ ભાગદોડમાં માર્યા ગયેલા લોકોની સંખ્યાના આંકડા છુપાવવાનો આરોપ લગાવી રહી છે.

ઉત્તર પ્રદેશ સરકારે આ ભાગદોડમાં 30 લોકોના મોતની પુષ્ટિ કરી હતી.

લોકસભામાં શું કહ્યું નરેન્દ્ર મોદીએ ?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પર લોકસભામાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે દેશવાસીઓના કારણે આ કાર્યક્રમ સફળ થયો છે.

તેમણે કહ્યું, “સદનના માધ્યમથી હું દેશવાસીઓને નમન કરું છું. તેમના કારણે જ મહાકુંભનું સફળતાપૂર્વક આયોજન થયું. મહાકુંભની સફળતામાં ઘણા લોકોએ યોગદાન આપ્યું છે. હું સરકાર, સમાજ અને તમામ કર્મયોગીઓને અભિનંદન આપું છું.”

તેમણે કહ્યું કે મહાકુંભમાંથી અનેક અમૃત નીકળ્યાં છે. એકતાનું અમૃત એ એનો પવિત્ર પ્રસાદ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- ગયા વર્ષે અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં અમે જોયું હતું કે કેવી રીતે દેશ આગામી 1000 વર્ષ માટે તૈયાર થઈ રહ્યો છે. એક વર્ષ પછી મહાકુંભના આયોજને આ બતાવ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “મહાકુંભમાં આપણે રાષ્ટ્રીય ચેતનાનો વિશાળ જાગૃતિ જોઈ છે. આ રાષ્ટ્રીય ચેતના રાષ્ટ્રને નવા સંકલ્પો તરફ દોરી જાય છે. મહાકુંભમાં કેટલાક લોકોના મનમાં આપણી ક્ષમતાઓ વિશે જે શંકાઓ છે તેનો પણ યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે.”

દેશની સામૂહિક ચેતના દેશની તાકાત દર્શાવે છે. આવી અનેક તકો માનવજીવન અને દેશ માટે આવે છે જે આવનારી પેઢીઓ માટે ઉદાહરણરૂપ બને છે. અમારા માટે પણ એવી ક્ષણો આવી છે જ્યારે દેશ હચમચી ગયો હતો અને એક થયો હતો.

મોદીએ કહ્યું- આ રાષ્ટ્રીય ચેતના રાષ્ટ્રના નવા સંકલ્પો તરફ દોરી જાય છે, તે તેમની સિદ્ધિ માટે પ્રેરણા આપે છે. મહાકુંભે શંકા-આશંકાઓનો પણ જવાબ આપ્યો છે. જે આપણી ક્ષમતાઓને લઈને કેટલાક લોકોના મનમાં રહે છે.

મોદીએ કહ્યું- ભક્તિ આંદોલનમાં આપણે જોયું કે દેશમાં આધ્યાત્મિક ચેતનાનો ઉદય થયો. વિવેકાનંદજીએ એક સદી પહેલા શિકાગોમાં ભાષણ આપ્યું હતું, તેમણે પણ એવું જ કર્યું હતું. 1857નો સ્વતંત્રતા સંગ્રામ, ભગતસિંહની શહાદત, નેતાજીનો દિલ્હી ચલોનો જયઘોષ, ગાંધીજીની દાંડી કૂચ. આવા પ્રયાસોથી પ્રેરિત થઈને ભારતે આઝાદી મેળવી હતી. પ્રયાગરાજનો મહાકુંભ પણ એવો જ પ્રયાસ છે. તે જાગૃત દેશનું પ્રતિબિંબ છે. અમે દોઢ મહિના સુધી મહાકુંભ ઉત્સવના સાક્ષી બન્યા અને ઉત્સાહનો અનુભવ કર્યો.

આ દરમિયાન વડા પ્રધાન મોદીના ભાષણ પછી કેટલાક વિપક્ષી સભ્યો તેમની બેઠકો પરથી ઉભા થયા અને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું હતું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સભ્યોને તેમની બેઠકો પર બેસવા કહ્યું, જ્યારે તેઓ સહમત ન થયા ત્યારે અધ્યક્ષે ગૃહને બપોરે 1 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

Related Posts

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!
  • February 3, 2026

Tariff: અમેરિકાએ ભારત પરના ટેરિફ ઘટાડ્યા છે,ભારત પરના ટેરિફ હવે 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા છે,પણ આખી વાત પાછળ તેલનો ખેલ છે ટ્રમ્પ ઈચ્છે છે કે મોદી હું…

Continue reading
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત
  • February 2, 2026

Breaking News: આખરે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવાયેલો 25 ટકા ટેરિફ ઘટાડીને 18 ટકા કરી દીધો છે,ટ્રમ્પે આજે સોમવારે ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કર્યા બાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

  • February 3, 2026
  • 3 views
Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

  • February 3, 2026
  • 5 views
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 6 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 7 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 7 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 9 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત