છેલ્લા 10 વર્ષમાં બેંકોએ 16.35 લાખ કરોડ રૂપિયાના બેડ લોન માફ કરી દીધા: સરકાર

  • Others
  • March 18, 2025
  • 0 Comments
  • છેલ્લા 10 વર્ષમાં બેંકોએ 16.35 લાખ કરોડ રૂપિયાના બેડ લોન માફ કરી દીધા: સરકાર

કેન્દ્રની મોદી સરકારની આગેવાનીમાં પાછલા દસ વર્ષોમાં કોર્પોરેટ ક્ષેત્રને ખુબ જ મોટી રાહત આપવામાં આવી છે. આ ખુલાસો પોતે સરકારના મંત્રી નિર્મલા સિતારમણે કરી છે. વાત તેમ છે કે, મોદી સરકારના દસ વર્ષના સમયગાળા દરમિયાન દેશની બેંકોએ 16.35 લાખ કરોડ રૂપિયાની લોનના પૈસા છોડી દેવામાં આવ્યા છે. આ લોનના પૈસા પાછા આવી શકે એવા નહતા, તેથી તેને એનપીએ ખાતામાં નાંખી દીધા એટલે કે હવે આની કોઈ શક્યતા નથી. આમ સરળ શબ્દોમાં કહીએ તો સરકારે માંડી વાળ્યું કે હવે છોડો પૈસા લેવા નથી.

એક ચોંકાવનારા ખુલાસામાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે દેશની કોમર્શિયલ બેંકો (SCBs) એ છેલ્લા દાયકામાં 16.35 લાખ કરોડ રૂપિયાના બેડ લોન (નોન-પર્ફોર્મિંગ એસેટ્સ-NPA)માંડી વાળ્યા છે. આ માહિતી નાણામંત્રી (FM) નિર્મલા સીતારમણે લોકસભામાં સંસદ સભ્ય (MP) અમરા રામ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રજૂ કરી હતી.

ગૃહમાં રજૂ કરાયેલા ડેટા દર્શાવે છે કે આ મોટાભાગની રકમ મોટા ઉદ્યોગો અને સેવાઓ સંબંધિત હતી, જે આ સમયગાળા દરમિયાન કુલ NPAના લગભગ 9.26 લાખ કરોડ રૂપિયા જેટલી હતી. આ NPAs ને રાઈટ-ઓફ કરવાનું પગલું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાને અનુસરીને લેવામાં આવ્યું છે, જેમાં સંપૂર્ણ જોગવાઈ હેઠળ ચાર વર્ષ પછી ખરાબ લોનને રાઈટ-ઓફ કરવાની જોગવાઈ છે.

સંસદમાં રજૂ કરાયેલા ડેટા અનુસાર, બેંકો દ્વારા વર્ષવાર નીચેની રકમો લખવામાં આવી છે.

આ આંકડા છેલ્લા 10 વર્ષોમાં ખાસ કરીને ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રોમાં મોટા પાયે લોન માફીના સતત પેટર્નને દર્શાવે છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે ખરાબ લોન લખવાનો અર્થ એ નથી કે લોન લેનારાની જવાબદારીઓને માફ કરી દેવામાં આવી નથી, વસૂલાતના પ્રયાસો ચાલુ છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે બેંકો નાદારી સંહિતા (IBC) હેઠળ સિવિલ કોર્ટ, ડેટ રિકવરી ટ્રિબ્યુનલ (DRT) અને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) જેવા કાનૂની તંત્ર દ્વારા બાકી રકમ વસૂલવાનું ચાલુ રાખે છે. પરંતુ વસૂલી શકે છે કે નહીં તે વિશે કોઈ માહિતી આપી નહતી.

આ વચ્ચે નિર્મલા સીતારમણે પણ જણાવ્યું હતુ કે, RBI કંપની મુજબ માફ કરાયેલી લોનની યાદી રાખતું નથી અને RBI એક્ટ, 1934 ની કલમ 45E હેઠળ લોન લેનારા-વિશિષ્ટ માહિતીનો ખુલાસો પ્રતિબંધિત છે. એટલે કે નિર્મલા સિતારમણ હવે તે બતાવવા માટે પણ તૈયાર નથી કે સરકારે કયા ઔદ્યોગિક એકમોની લોન માફ કરી છે. કાળા નાણા પરત લાવવાની વાતો કરનારાઓ પોતાના દેશમાં લોન લઈને ન ચૂકવનારાઓના નામ પણ આપવા માટે તૈયાર નથી. મહત્વપૂર્ણ બાબત તે છે કે, આ લોન સરકાર દ્વારા જ માફ કરવામાં આવી રહી છે. તેથી પ્રશ્ન ઉભો થાય તે સ્વભાવિક છે.

વિપક્ષી નેતાઓએ કોર્પોરેટ ક્ષેત્રના મોટા પાયે દેવા માફી બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી છે અને તેને નબળા શાસન અને કોર્પોરેટ ડિફોલ્ટરોને જવાબદાર ઠેરવવામાં શિથિલતાનું પ્રતિબિંબ ગણાવ્યું છે. તે ઉપરાંત ટિપ્પણીકારો કહી રહ્યા છે કે સરકાર વસૂલાતનો દાવો કરે છે, પરંતુ માંડી વાળવામાં આવેલી રકમની વાસ્તવિક વસૂલાત ખૂબ ઓછી છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અસરકારક વસૂલાત પદ્ધતિ વગર માત્ર ખરાબ લોન માફ (બેડ લોન) કરવાથી દેવાદારોમાં નાણાકીય અનુશાસનહીનતાને પ્રોત્સાહન મળવાનું જોખમ રહેલું છે. ભવિષ્યમાં આટલા મોટા NPAનું પુનરાવર્તન અટકાવવા માટે કોર્પોરેટ ગવર્નન્સને મજબૂત બનાવવું અને ધિરાણમાં કડક ડ્યુ ડિલિજન્સ પ્રથાઓ લાગુ કરવી જરૂરી છે.

નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન સૌથી વધુ 2.36 લાખ કરોડ રૂપિયા, 2014-15માં 58,786 કરોડ રૂપિયાની લોન માફ કરી દેવામાં આવી હતી. 2023-24 દરમિયાન બેંકોએ 1.70 લાખ કરોડ રૂપિયાની બેડ લોન પરત લેવાનું માંડી વાળ્યું છે. જે પાછલા નાણાકીય વર્ષમાં કરવામાં આવેલા 2.16 લાખ કરોડ રૂપિયા કરતા ઓછી છે.

પરંતુ સ્પષ્ટ વાત તે છે કે, પાછલા દસ વર્ષમાં કોર્પોરેટ ક્ષેત્રને મોદી સરકાર દ્વારા ખુબ જ મોટી રાહત આપવામાં આવી છે. બેંકો દ્વારા 16.35 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દેવામાં આવી છે અથવા લેવાનું માંડી વાળવામાં આવ્યું છે. સરકાર તો કહે છે કે, અમે ઉઘરાણી કરતાં રહીશું પરંતુ જેને તમે પોતે જ એનપીએમાં નાંખી દીધી છે, તે લોનને કોણ પરત કરશે?

Related Posts

plastic polythene: તમે જે પોલિથીનમાં શાકભાજી લાવો છો તેનાથી થઈ શકે છે કેન્સર જેવા ઘાતક રોગ
  • July 5, 2025

plastic polythene: પ્લાસ્ટિકનું નામ સાંભળતાની સાથે જ આપણને બધે જ પોલીથીન દેખાય છે. કરિયાણાની દુકાનોથી લઈને શાકભાજી વેચનારાઓ સુધી અને ફૂડ પેકેજિંગથી લઈને બજાર સુધી, બધે જ પોલીથીનનો ઉપયોગ થાય…

Continue reading
Viral Video: લગ્નમાં કપલને રોલો પાડવો ભારે પડ્ચો, ફોટોશૂટના ચક્કરમાં મજાકનો શિકાર બન્યા
  • June 16, 2025

Viral Video: હાલ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ડરામણો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કપલ ગળામાં અજગર રાખીને ફોટોશૂટ કરાવતું જોવા મળે છે. આ વીડિયોએ લોકોને ચોંકાવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 3 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

  • August 6, 2025
  • 7 views
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

  • August 6, 2025
  • 15 views
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો,  પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

  • August 6, 2025
  • 26 views
Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

Kheda: ઠાસરામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા 21 હજારનું ઈનામ જાહેર, જાણો સમગ્ર ઘટના

  • August 6, 2025
  • 10 views
Kheda: ઠાસરામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા 21 હજારનું ઈનામ જાહેર, જાણો સમગ્ર ઘટના

Renuka Chowdhury : “એક ચુટકી સિંદુરની કિંમત નરેન્દ્ર બાબુ શું જાણે” રેણુકા ચૌધરીએ કેમ આવુ કહ્યું ?

  • August 6, 2025
  • 16 views
Renuka Chowdhury : “એક ચુટકી સિંદુરની કિંમત નરેન્દ્ર બાબુ શું જાણે” રેણુકા ચૌધરીએ કેમ આવુ કહ્યું ?