Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • Sports
  • December 13, 2025
  • 0 Comments

Cricket Match Fixing: ભારતીય ઘરેલુ ક્રિકેટમાં મેચ ફિક્સિંગની એક ઘટના સામે આવી છે,આસામ ક્રિકેટ એસોસિએશને તેના ચાર ખેલાડીઓને સસ્પેન્ડ કરી દીધા છે,મેચ ફિક્સિંગ કૌભાંડથી ક્રિકેટ જગત ફરી એકવાર શરમજનક સ્થિતિમાં મુકાયું છે.

શુક્રવારે, આસામ ક્રિકેટ એસોસિએશનના સચિવ સનાતન દાસે મીડિયાને જણાવ્યું હતું કે ચાર ખેલાડીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ ચાર ખેલાડીઓ અમિત સિંહા, ઇશાન અહેમદ, અમન ત્રિપાઠી અને અભિષેક ઠાકુર છે.સનાતન દાસે જણાવ્યું હતું કે આ ચાર ખેલાડીઓ ક્રિકેટમાં મેચ ફિક્સિંગ જેવી ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની વાતનો ખુલાસો થયો છે,આ મામલો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025 સાથે સંબંધિત છે.

આસામ ક્રિકેટ એસોસિએશન (ACA) ના સચિવ સનાતન દાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિવિધ સ્તરે આસામનું પ્રતિનિધિત્વ કરનારા આ ચાર ક્રિકેટરો પર સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025 માં આસામ માટે રમનારા કેટલાક ખેલાડીઓને પ્રભાવિત કરવાનો આરોપ છે.આરોપો પર, BCCI ના ભ્રષ્ટાચાર વિરોધી એકમે આ મામલાની તપાસ કરી હતી હવે ACA એ ફોજદારી કાર્યવાહી પણ શરૂ કરી છે.ACA એ જણાવ્યું હતું કે તેઓએ મેચ ફિક્સિંગમાં સંડોવાયેલા ચાર ખેલાડીઓ સામે ગુવાહાટી ક્રાઈમ બ્રાન્ચમાં FIR દાખલ કરી છે.

આસામની ટીમને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના એલીટ ગ્રુપ Aમાં મૂકવામાં આવી હતી.
ભારતના સ્ટાર ક્રિકેટર રિયાન પરાગ પણ આ ટીમ માટે રમે છે. આસામ સાત મેચમાં ફક્ત ત્રણ જીત મેળવી શક્યું હતું અને તેના ગ્રુપમાં આઠ ટીમોમાંથી સાતમા સ્થાને રહ્યું હતું.

નોંધનીય છે કે મેચ ફિક્સિંગ કૌભાંડમાં નામ આપવામાં આવેલા ચાર ખેલાડીઓમાંથી કોઈ પણ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે આસામ ટીમનો ભાગ નહોતો.

આ પણ વાંચો:

Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો

Gujarat Education: શિક્ષણ પાછળ કરોડોનું આંધણ છતાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ શાળા છોડી! આખરે કરોડો રૂપિયા ક્યાં જાય છે?

Russia Ukraine war: 21 વર્ષના યુવકની અજીબો ગરીબ કરુણ કહાની;પરિવારની સ્થિતિ સુધારવા રશિયાતો ગયો પણ પછી જે થયું તે જાણી ધ્રુજી જશો!!

Related Posts

IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
  • March 9, 2026

IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

Continue reading
India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
  • March 8, 2026

India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat Textile Child Labor Rescue: સુરતના ટેક્સટાઈલ હબમાં બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ, 84 બાળકો જોખમી મશીનો વચ્ચે કામ કરતા મળ્યા

  • May 14, 2026
  • 2 views
Surat Textile Child Labor Rescue: સુરતના ટેક્સટાઈલ હબમાં બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ, 84 બાળકો જોખમી મશીનો વચ્ચે કામ કરતા મળ્યા

Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

  • May 13, 2026
  • 7 views
Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

  • May 13, 2026
  • 4 views
Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

  • May 13, 2026
  • 9 views
Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

  • May 13, 2026
  • 12 views
Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

  • May 13, 2026
  • 12 views
Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ