
IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો હતો.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારે ઉત્સુકતા વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 256 રનનો ટાર્ગેટ આપતા તેની સામે ન્યૂઝીલેન્ડની ટીમ 19 ઓવરમાં 159 રન કરી ઓલઆઉટ થઈ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી અને ભારતે ન્યૂઝીલેન્ડને 96 રને હરાવ્યું હતું.
આ મેચમાં ખાસ વાત એ હતી કે ન્યુઝીલેન્ડ અને ભારતની ટીમનો ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રથમવાર મુકાબલો હતો.ભારતીય ટીમના ખેલાડી સંજૂ સેમસને સૌથી વધારે 89 રન જ્યારે અભિષેક શર્માએ 52 અને ઈશાન કિશને 54 રન ફટકાર્યા હતા.જ્યારે શિબમ દુબેએ 26, હાર્દિક પંડ્યાએ 18 રનની ઈનિંગ રમી હતી.
■ ICC T20 વર્લ્ડ કપ 2026માં ભારતની જીતથી અનેક રેકોર્ડ સર્જાયા
● ભારત ઉપર ઉપરી ત્રણ વખત T20 વર્લ્ડ કપ જીતનારી એકમાત્ર ટીમ બની ગઈ છે, ઉલ્લેખનીય છે કે કોઈ પણ ટીમે બે થી વધુ વખત T20 વર્લ્ડ કપ જીત્યો નથી.અગાઉ ભારતે 2007માં એમએસ ધોની અને 2004માં રોહિત શર્માની કપ્તાની હેઠળ ખિતાબ જીત્યો હતો.
●ભારતીય ટીમ ટૂર્નામેન્ટના 19 વર્ષના ઈતિહાસમાં ખિતાબ ડિફેન્ડ કરનારી પ્રથમ ટીમ બની છે.
●T20 વર્લ્ડ કપ ફાઈનલમાં સૌથી મોટો સ્કોર ભારતીય ટીમે કર્યો, અગાઉ T20 વર્લ્ડ કપ 2024 વખતે પણ ભારતનો હાઈએસ્ટ સ્કોર 176 રન હતો.
●વર્લ્ડકપ ફાઈનલમાં ભારતીય ટીમના પહેલા ત્રણેય બેટ્સમેને ફિફ્ટી ફિફટી રન ફટકારીને ઈતિહાસ સર્જ્યો છે.
● છેલ્લે ખાસ મહત્વની વાત એ કે ભારતીય ટીમ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વખત મેચ જીતી છે.
● જસપ્રીત બુમરાહ પ્લેયર ઑફ ધ મેચ,સંજુ સેમસન પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યા.
ફાઈનલ મેચમાં 15 રન આપીને 4 વિકેટ લેનાર જસપ્રીત બુમરાહ પ્લેયર ઑફ ધ મેચ રહ્યો. બીજી તરફ, 5 મેચમાં 3 ફિફ્ટીની મદદથી 321 રન બનાવનાર સંજુ સેમસનને પ્લેયર ઑફ ધ સિરીઝ પસંદ કરાયો હતો.
■ ભારતની ભવ્ય જીત બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ શ્રી હનુમાન મંદિરે ટ્રોફી લઈને પહોંચ્યા અને દર્શન કર્યા
કેપ્ટન સૂર્યકુમાર યાદવ મોડી રાત્રે અમદાવાદના શ્રી હનુમાન મંદિરમાં વર્લ્ડ કપ ટ્રોફી લઈને પહોંચ્યા હતા અને દર્શન કરી પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી.સમગ્ર દેશમાં ક્રિકેટ રસિયાઓએ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!










