
visavadar election: વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી નજીક આવી રહી છે, જે ગુજરાતના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ઘટના બની રહેશે. આ ચૂંટણી ભૂપેન્દ્ર ભાયાણીના રાજીનામા બાદ યોજાવા જઈ રહી છે, જેમણે આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. આ પરિસ્થિતિને કારણે રાજકીય પક્ષો વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી છે, અને મતદારોનું ધ્યાન આકર્ષવા માટે તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. હજુ સુધી ચૂંટણીની તારીખ જાહે કરાઈ નથી.
આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાએ લીલીયા, લીમધ્રા, હરીપુર, પિયાવા, ખાંભા, રતાંગ, મિયાવડલા, દાદર કામની મુલાકાત લીધી અને રાત્રે નાની મોણપરીમાં સભામાં પણ ભાગ લીધો. આજે ગોપાલ ઇટાલીયા સહિત આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, હિતેશ વઘાસિયા, હરેશભાઈ, મહેન્દ્રભાઈ, રાજુભાઈ જયસુખભાઈ સહિત ખેડૂત આગેવાનો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પ્રચાર અભિયાનને આગળ વેગવંતુ બનાવ્યું હતું.
તમામ સ્થળે આમ આદમી પાર્ટીને અને ગોપાલ ઇટાલીયાને લોકોનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું હોવાના દાવા થઈ રહ્યા છે. AAP પાર્ટી દાવો કરી રહી છે કે ગોપાલ ઇટાલીયાએ ખેડૂતોનો અવાજ ઉઠાવવાનો મક્કમ નિર્ધાર કર્યો જેના કારણે વિસાવદરના ખેડૂતો, યુવાનોએ સંપૂર્ણપણે ગોપાલ ઇટાલીયા અને આમ આદમી પાર્ટીનું સમર્થન કર્યું છે. હાલ ચૂંટણીના પ્રચાર અભિયાનની સાથે સાથે સંગઠન નિર્માણ માટે પણ રણનીતિઓ બની રહી છે. વિસાવદર વિધાનસભામાં મજબુત સંગઠન નિર્માણ માટે ચાર દિવસ પહેલા ત્રિદિવસીય મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર સંનિષ્ઠ કાર્યકર્તાઓ માટે પ્રશિક્ષણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. સાથે સાથે આ કાર્યક્રમમાં જાહેરાત કરવામાં આવી કે વિસાવદર વિધાનસભાનાં તમામ બુથો પર ઝડપથી બુથ સમિતી અને પન્ના પ્રમુખોની નિમણુંક કરવામાં આવશે.
ભાજપની શું સ્થિતિ?
આ પણ વાંચોઃ મોદીનું 100 સ્માર્ટ સીટીનું સ્વપ્ન 10 વર્ષે પણ અધૂરું, મતવિસ્તાર વડોદરાની શું હાલત? | Smart City Mission
આ પણ વાંચોઃ PM મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે મુલાકાત, યુનુસે શું આપ્યું હતુ નિવેદન?
આ પણ વાંચોઃ Ahmedabad: પોલીસે ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં જવાનો સમય નક્કી કર્યો
આ પણ વાંચોઃ પીઢ અભિનેતા મનોજ કુમારે 87 વર્ષે દુનિયાને કર્યું અલવિદા, રાજકીય સંબંધો કેવા હતા?| Manoj Kumar
આ પણ વાંચોઃ UP: CM યોગીના કાર્યાલય બહાર મહિલા પોતાની જાતને આગ લગાડી!