Jaipur Hit And Run: કારે રસ્તામાં જે કોઈ આવ્યા તેને કચડી નાખ્યા, બાઈકચાલકને દૂર સુધી ઢસડ્યો, 3ના મોત

  • India
  • April 8, 2025
  • 4 Comments

Jaipur Hit And Run: ગુજરાત સહિત દેશના ખૂણે ખૂણે કારચાલક બેફામ બની રહ્યા છે. ક્યાક દારુના નશામાં, ક્યાક મોજશોખ માટે ગાડી ઓવર સ્પીડે ચલાવી અકસ્માત સર્જી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના પાટનગર જયપુરમાં મોડી રાત્રે એક હાઇ સ્પીડ કારે ડરનો માહોલ ઉભો કર્યો હતો. નશામાં ધૂત ડ્રાઇવરે શહેરના ભીડભાડવાળા રસ્તાઓ પર 7 કિલોમીટર સુધી ગફલતફરી રીતે કાર હંકારી 9 જેટલાં લોકોને ઉલાળ્યા હતા. જેના કારણે 1 મહિલા સહિત 3 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સવાઈ માનસિંહ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ઘટનાથી ગભરાટ ફેલાયો

આ ઘટના ગત રાત્રે 9.30 વાગ્યે બની હતી. પ્રત્યક્ષદર્શી રવિ સિંહે જણાવ્યું કે અનિયંત્રિત કાર શહેરના રસ્તાઓ પર એક કલાક સુધી માતેલા સાંઢની જેમ દોડતી રહી હતી. ડ્રાઈવર તેના રસ્તામાં જે પણ આવતું તેને ટક્કર મારતો રહ્યો હતો.

રવિ સિંહે વધુમાં કહ્યું નાહરગઢ ચાર રસ્તા પાસેથી કાર ચાલકનો પીછો કરવામાં આવ્યો હતો. મેં ગાડીનો કાચ પકડી રાખ્યો અને ડ્રાઈવરે મને પણ ખેંચવાનું શરૂ કર્યું. પછી તેણે ગાડીનું સ્ટીયરીંગ દિવાલ તરફ ફેરવ્યું હતુ. આ કારણે કાર દિવાલ સાથે અથડાઈ અને અટકી ગઈ. જોકે ડ્રાઈવર કારમાંથી ઉતરીને ભાગી ગયો હતો.

કારમાં ફસાયેલી બાઇકને ખેંચી લીધી

અન્ય પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે કાર ચાલકે પહેલા નાહરગઢ પોલીસ સ્ટેશન ચોકડી પર એક સ્કૂટર અને એક રાહદારીને ટક્કર મારી હતી. આ પછી તેણે કાર સંતોષી માતા મંદિર તરફ હંકારી હતી. ત્યાં એક બાઇક અને એક રાહદારીને ટક્કર મારી. પછી થોડે દૂર એક યુવાન કચડાઈ ગયો હતો.

આરોપીઓએ પોલીસ સ્ટેશનની બહાર પાર્ક કરેલા વાહનોને પણ ટક્કર મારી હતી. પછી તે રસ્તા પર ઉભા રહેલા લોકોને કચડીને ભાગી ગયો હતો. પછી એક બાઇક આ કારની અડફેટમાં આવી ગઈ હતી. બાઈક કારમાં ફસાઈ હોવા છતાં કાર હંકારી હતી. આ ઘટના જોઈ લોકોના જીવ પણ તાળવે ચોટી ગયા હતા.

આરોપી કાર ચાલકની ઓળખ થઈ ગઈ
જ્યારે કાર ચાલક ઉતરીને ભાગવા જતાં સ્થાનિક લોકો પકડી લઈ પોલીસને સોંપ્યો હતો. આરોપીની ઓળખ શાસ્ત્રીનગરના રહેવાસી ઉસ્માન ખાન (ઉ.વ. 55) તરીકે થઈ છે. અકસ્માત સમયે કાર ચાલક નશામાં હતો. ઉસ્માન ખાનની વિશ્વકર્મામાં લોખંડની ફેક્ટરી છે.

આ પણ વાંચોઃ વડોદરામાં વિદ્યાર્થિનીનું મોત, ટેમ્પોએ એક્ટિવાને ટક્કર મારી | Vadodara

આ પણ વાંચોઃ વડોદરામાં વિદ્યાર્થિનીનું મોત, ટેમ્પોએ એક્ટિવાને ટક્કર મારી | Vadodara

આ પણ વાંચોઃ તમે ખેલ સહાયક શિક્ષકોના લીડર છો કહી, ઢોર માર મારવામાં આવ્યો | Sports Teachers | Gandhinagar|

 આ પણ વાંચોઃ Gujarat: અગ્નિજ્વાળા જેવી ગરમીનો અહેસાસ, તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાની સંભાવના

 

Related Posts

Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!
  • September 17, 2026

Rising Violence in India: દેશમાં રોજિંદા જીવનમાં નાની-નાની બાબતોને લઈને લોકો વચ્ચે વધતા વિવાદ, ગાળાગાળી, રોડ રેજ અને મારામારી અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. એક જાહેર ચર્ચામાં મયૂર જાનીએ…

Continue reading
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

  • September 17, 2026
  • 3 views
Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 10 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani