બાબા રામદેવનું “શરબત-જીહાદ”, મંદિર – મસ્જિદના નામે કર્યો પતંજલિના જ્યુસનો પ્રચાર | BABA RAMDEV

  • India
  • April 11, 2025
  • 2 Comments
  • “એમનાં શરબતના પૈસે મસ્જિદ – મદરસા બને છે” બાબા રામદેવનો બફાટ
  • પતંજલિની પ્રોડક્ટ્સના ભ્રામક પ્રચાર બાબતે અગાઉ સુપ્રિમ કોર્ટે બાબાને ફટકાર લગાવી હતી

BABA RAMDEV SHARBAT JIHAD । વાહ રે બાબા… વાહ… પતંજલિનાં જ્યુસ – શરબતના પ્રચાર માટે તમે મંદિર – મસ્જિદ કરી નાંખ્યું. ક્યાંથી તમને આવું જ્ઞાન આવે છે? મોદી રાજમાં મનફાવે તેવી વાતો કરવાનો અધિકાર મળી ગયો છે? સુપ્રિમ કોર્ટે તમને ફટકાર લગાવી છતાં તમારી શાન ઠેકાણે આવી નથી? પતંજલિની પ્રોડક્ટ્સ ના વેચાતી હોય તો ગરીબોને દાનમાં આપી દો. પણ, તમારો ધંધો કરવા માટે આવો પ્રચાર કરો છો એ સામાન્ય ભારતીય માટે યોગ્ય નથી. શું તમે તમારી વાતોની સાર્થકતા સાબિત કરવા સક્ષમ છો?

યોગ ગુરુ તરીકે ઓળખ ધરાવતાં, એક આંખથી જ વિશ્વને નિહાળતાં તેમજ પતંજલિના સહ-સંસ્થાપક એવા સ્વામી રામદેવનો એક વિડીયો સોશિયલ મિડીયામાં અપલોડ કરાયો છે. વિડીયોમાં બાબા રામદેવ પતંજલિના શરબતનો પ્રચાર કરતાં જોવા મળે છે. લગભગ 10 મિનિટના વિડીયોમાં બાબા રામદેવ પોતાના શરબતની ગુણવત્તા પર વધારે વાત નથી કરતાં, પણ બાબા રામદેવ નામ લીધા વગર એક કંપનીના શરબતને ટાર્ગેટ કરે છે.

બાબાનો ઇશારો આમ તો રૂહઅફ્ઝા શરબત તરફ હોય તેવું લાગે છે. પણ, બાબા રામદેવે નામ લેવાની હિંમત નથી કરી એટલે એ મુદ્દામાં વધારે પડ્યા વગર આગળની વાત કરીએ તો, બાબા વિડીયોમાં કહે છે કે, એક અન્ય કંપનીનાં શરબતની કમાણીથી મસ્જિદ અને મદ્રસા બને છે. ઠીક છે, એ એમનો ધર્મ છે. પણ એ કંપનીનું શરબત પીવાથી મસ્જિદ અને મદ્રસા બનાવવામાં મદદ થાય છે. જ્યારે પતંજલિનું શરબત પીવાથી ગુરુકુળ, આચાર્યકુલમ્, પતંજલિ વિશ્વવિદ્યાલય અને ભારતીય શિક્ષા બોર્ડને મદદ થાય છે.

રામદેવે કોલ્ડ ડ્રિક્સને ટોઈલેટ ક્લિનર કહી દીધાં છે. જ્યારે પતંજલિની પ્રોડક્ટ્સને સ્વદેશી, સનાતન અને સાત્વિક ગણાવ્યા છે. પતંજલિ કે બાબા રામદેવ તરફથી શરબદ જીહાદના વિડીયો અંગે કોઈ સ્પષ્ટીકરણ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ, આ બાબતે ભારે વિવાદ સર્જાયો છે.

બાબા રામદેવ જેવાં ધર્મના નામે ધંધો કરનારા તત્વો ફુલી ફાલી રહ્યાં છે. કરોડો રૂપિયાનો ધંધો ધરાવતાં પતંજલિને સરકારનું રક્ષણ જરૂર મળતું હશે. તેથી જ મોદી સરકારના રાજમાં સામાન્ય નાગરિકોને આવા બાબાઓ છેતરી રહ્યાં છે. એમનો ધંધો કરવા માટે મંદિર – મસ્જિદ અને જિહાદ જેવાં શબ્દોનો ઉપયોગ કરી રહ્યાં છે. બાબા રામદેવ સામે મોદી સરકાર કોઈ કાર્યવાહી કરશે? કે પછી રામદેવના ધંધામાં મોદી સરકારનો મજબૂત બોન્ડ છે?

આ પણ વાંચોઃ

મોઘલના નામે ભૂવીના ધતિંગ, 20 મિનિટમાં 250 સિગારેટ પીતી, ભક્તો વસ્તુ ચઢાવે તે પતિને પાછી આપી આવતી! | Saravkundla | Bhuvi |

અમેરિકા નદીમાં હેલિકોપ્ટર ક્રેશ, 3 બાળકો સહિત 6ના મોત, કેવી રીતે બની ઘટના? | Helicopter crash

તહવ્વુર રાણાના 18 દિવસના રિમાન્ડ મંજૂર, રાત્રે 2 વાગ્યે કોર્ટે આપ્યા રિમાન્ડ | Rahawwur Rana Remand

Surat: ગૃહમંત્રી હર્ષ સંઘવીની સોસયટીમાં આગ, સંઘવી દોડી ગયા | Fire | Harsh Sanghvi|

 

 

 

 

Related Posts

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?
  • June 18, 2026

Freedom of Religion: કવિ તુલસીદાસે વિનય પત્રિકામાં લખ્યું હતું કે જે રામ અને સીતાના પ્રિય નથી, તેમને ત્યજી દેવા જોઈએ. પરંતુ આજના આધુનિક ‘હિંદુત્વ’એ આ પંક્તિનો અર્થ સંપૂર્ણપણે બદલી નાખ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 3 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 4 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 7 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 8 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 8 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 10 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!