Mehul Choksi: ભાગેડું મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ થઈ પણ ભારત ક્યારે લવાશે?

Mehul Choksi extradition: પંજાબ નેશનલ બેંક (PNB) માં 13,000 કરોડ રૂપિયાના છેતરપિંડીના આરોપી ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતીય તપાસ એજન્સીઓ દ્વારા પ્રત્યાર્પણની અપીલ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. ચોક્સીની 12 એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવી હતી. 65 વર્ષીય મેહુલ ચોક્સી નવેમ્બર 2023માં સારવાર માટે બેલ્જિયમ ગયો હતો. ત્યારથી જ તે ત્યા હતો. ચોક્સી 2018 માં ભારત છોડી એન્ટિગુઆમાં જતો રહ્યો હતો. એવું કહેવાય છે કે ભારતીય નાગરિકતા જાળવી રાખીને મેહુલ ચોક્સીએ એન્ટિગુઆ અને બાર્બુડાની નાગરિકત્વ મેળવ્યું છે. જો તે હવે ભારતીય નાગરિક ગણાશે નહીં. ચોક્સીએ 2018માં ભારતીય પાસપોર્ટ (નંબર Z1933108) સરેન્ડર કરી દીધો હતો, જેના કારણે તે હવે ભારતીય નાગરિક નથી. ભારતીય કાયદા મુજબ, બીજા દેશનું નાગરિકત્વ લેવાથી ભારતીય નાગરિકત્વ આપોઆપ રદ થાય છે. જ્યારે તેની પત્ની પાસે બેલ્જિયમની નાગરિકતા છે.

મેહુલ ચોક્સીના વકીલ સિમોન બિકાયતે કહ્યું કે તેઓ પ્રત્યાર્પણને પડકારશે. કહ્યું કે અમે (ભારતમાં) પરિસ્થિતિ વિશે ગંભીર પ્રશ્નો પણ પૂછી રહ્યા છીએ. સિમોને કહ્યું કે અમે આગામી દિવસોમાં આ માટે જરૂરી પ્રક્રિયાઓ શરૂ કરીશું. અન્ય બાબતોની સાથે અમે દલીલ કરીશું કે અમારા ક્લાયન્ટને ભારતમાં ન્યાયી ટ્રાયલ મળી શકતી નથી.

ભારત લાવવામાં ક્યારે?:

મેહુલને ભારત લાવવા પ્રત્યાર્પણ પ્રક્રિયા લાંબી અને જટિલ છે. બેલ્જિયમની કોર્ટમાં કેસ ચાલશે, જેમાં ચોક્સીની ટીમ બે મુદ્દાઓ પર લડશે. રાજકીય કેસ: તેઓ દાવો કરે છે કે આ કેસ રાજકીય બદલાનો ભાગ છે. ચોક્સીના વકીલો ભારતની જેલોની સ્થિતિ અને તેના સ્વાસ્થ્ય (કેન્સરની સારવાર, PTSD)નો હવાલો આપીને વિરોધ કરશે.

પૂર્વ CBI ડિરેક્ટર એ.પી. સિંહે કહ્યું કે બેલ્જિયમમાંથી પ્રત્યાર્પણ ખૂબ જટિલ છે, કારણ કે ભારતે બેલ્જિયન કોર્ટને પુરાવા અને ન્યાયી ટ્રાયલની ખાતરી આપવી પડશે. જો ચોક્સી અપીલ કરે અને બેલ્જિયન કોર્ટમાં લડત લંબાવે. તો નિષ્ણાતો અનુસાર આ પ્રક્રિયામાં 1-3 વર્ષ લાગી શકે. મેહુલના વકીલો તેની બીમારી (કેન્સર, PTSD)ને કારણે પ્રત્યાર્પણ રોકવાનો પ્રયાસ કરે છે. જેથી હવે ભારત સરકારને લાંબા ગાળે તેને ભારત લાવવો શક્યો બની શકે છે. આ જ મુદ્દે વીડિયોમાં ચર્ચા જુઓ.

Related Posts

Ahmedabad plane crash: જાણો કેવી રીતે તૈયાર થાય છે DNA રિપોર્ટ?
  • June 15, 2025

Ahmedabad plane crash,  DNA report:  12 જૂન, 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના ક્રેશમાં 242 મુસાફરોમાંથી માત્ર એક વ્યક્તિ બચી, જ્યારે 241 લોકોના મૃત્યુ થયા. આ ભયાનક દુર્ઘટનામાં…

Continue reading
Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video
  • June 13, 2025

Ahmedabad Plane Crash: 12 જૂન ગુજરાતમાં માટે ખૂબ ખરાબ દિવસ રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ દેશના દરેક વ્યક્તિને શોકમાં ડૂબાડી દીધા છે. એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન અમદાવાદ એરપોર્ટ…

Continue reading

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 17 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ