સૈનિકોને મળી મોબાઈલ કનેક્ટિવિટી, ગલવાન, સિયાચીન ગ્લેશિયરમાં ઈન્ટરનેટ વાપરી શકશે | galwan

  • India
  • April 19, 2025
  • 0 Comments

5G Connectivity in galwan Valley: ગલવાન ખીણ અને સિયાચીન ગ્લેશિયર જેવા વિશ્વના સૌથી ઊંચા અને સૌથી દુર્ગમ યુદ્ધક્ષેત્રોમાં હવે 5G કનેક્ટિવિટી ઉપલબ્ધ કરવામાં આવી છે. ભારતીય સેનાએ પૂર્વી લદ્દાખ, પશ્ચિમ લદ્દાખ અને સિયાચીન ગ્લેશિયરના આગળના સ્થળોએ દૂરના સરહદી ગામડાઓને સશક્ત બનાવવા માટે આ સુવિધા પૂરી પાડી છે. જેથી નજીકના ગામડાંના લોકો પણ આ કનેક્ટિવિટીનો લાભ લઈ શકશે. ઉલ્લેખનીય છે કે સિયાચીન ગ્લેશિયર જેવા વિસ્તારમાં મોબાઈલ કનેક્ટીવીટી ચાલુ કરવી એ કઠિન કામ છે. કારણ કે અહીં ખૂબ જ બરફ પડે છે. આ બરફમાં સૈનિકો ફરજ બજાવે છે. જેથી તેમને પરિવાર સાથે પણ વાત કરવા મળતી ન હતી. જે બાદ આ મોબાઈલ કનેક્ટિવિટી શરુ કરાઈ છે.

ભારતીય સેનાના જણાવ્યા અનુસાર પ્રથમાવાર દૌલત બેગ ઓલ્ડી (DBO), ગલવાન, ડેમચોક, ચુમાર, બટાલિક, દ્રાસ અને સિયાચીન ગ્લેશિયર જેવા વિશ્વના કેટલાક સૌથી દુર્ગમ વિસ્તારોમાં તૈનાત સૈનિકોને હવે વિશ્વસનીય 4G અને 5G મોબાઇલ કનેક્ટિવિટીની સુવિધા મળશે.

ચીન સાથે અથડામણ થયા બાદ સેવા બંધ હતી

ગલવાનમાં ચીની સૈનિકો સાથેની અથડામણ બાદ મોબાઇલ સેવા બંધ કરવામાં આવી હતી, હવે 4G-5G કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવામાં આવી છે, સૈનિકો વીડિયો કોલ કરી શકશે.

સૈનિકોનું મનોબળ વધશે

મોબાઈલ કનેક્ટીવીટી મળવાથી સૈનિકોનું મનોબળ વધ્યું છે. જેનાથી તેઓ તેમના પરિવારો અને પ્રિયજનો સાથે જોડાયેલા રહી શકે છે. ખાસ વાત એ છે કે વર્ષ 2020 માં ચીન સાથે ગલવાન ખીણમાં થયેલી અથડામણ દરમિયાન પૂર્વી લદ્દાખમાં મોબાઇલ કનેક્ટિવિટી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કરવામાં આવ્યું હતું પરંતુ ગયા વર્ષે ઓક્ટોબરમાં ચીન સાથે થયેલી વાતચીત પછી પૂર્વી લદ્દાખને અડીને આવેલી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પરિસ્થિતિ સ્થિર છે. આવી સ્થિતિમાં, સેનાએ LAC ના આગળના સ્થળોએ 4G અને 5G સુવિધાઓ શરૂ કરી છે.

સિયાચીન ગ્લેશિયર પર 5G મોબાઇલ ટાવરની સ્થાપના એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે. આ પહેલ ભારતની ટેકનોલોજીકલ ક્ષમતા અને સંકલ્પશક્તિ દર્શાવે છે. સ્થાનિક લોકોએ આ પહેલનું ખૂબ કૃતજ્ઞતા સાથે સ્વાગત કર્યું છે. મોબાઇલ કનેક્ટિવિટી હવે દૂરના સમુદાયો માટે જીવનરેખા બની ગઈ છે, જે સમાવેશ, તક અને ગૌરવને પ્રોત્સાહન આપે છે.

 

આ પણ વાંચોઃ

Earthquake: અફઘાનિસ્તાન આવેલા ભૂકંપની ભારત અને પાકિસ્તાન અસર?

મોદી મિત્ર ટ્રમ્પના શાસનમાં 50 ટકા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ્દ!, શું છે કારણ? | Visa Cancellation

નડિયાદમાં પત્નીના હત્યા કેસમાં પતિને આજીવન કેદ, જાણો વધુ | Nadiad

‘ઉત્તરાખંડમાં મારું મંદિર…’ કહેતા જ ભક્તો ઉર્વશી રૌતેલા પર રોષે ભરાયા, વાંચો વધુ | Urvashi Rautela

Delhi માં ‘લેડી ડોન’ ઝિકારાનો ‘આતંક’, 17 વર્ષિય કિશોરની હત્યામાં હાથ!, હિંદુઓએ માંગી મદદ!

 

 

Related Posts

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ
  • October 29, 2025

Gold Ban: આપણા દેશમાં સોનુ પ્રાચીન કાળથી સંસ્કૃતિ અને સમાજ સાથે વણાયેલું હતું. દીકરીના લગ્ન હોયકે કોઈ ધાર્મિક પ્રસંગ સોનુ આપવાની પ્રથા પ્રાચીન કાળથી ચાલી આવતી હતી ત્યારે સોનાના ભાવો…

Continue reading
Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત
  • October 29, 2025

Cyclone Montha Hits Andhra Coast :  ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, ચક્રવાત મોન્થા બુધવારે (29 ઓક્ટોબર) સવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થયું હતું. IMD એ જણાવ્યું હતું કે ચક્રવાત પસાર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 7 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 12 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 10 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

  • October 29, 2025
  • 24 views
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

  • October 29, 2025
  • 13 views
ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

  • October 29, 2025
  • 17 views
કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh