Pahalgam Attack: હુમલા બાદ સેનાએ HAL ધ્રુવ હેલિકોપ્ટરની ફોજ ઉતારી, આતંકીઓને શોધી કાઢવા ઓપરેશન

  • India
  • April 23, 2025
  • 8 Comments

Pahalgam Attack Use HAL Dhruv Helicopter: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના એક્શનમાં આવી છે. સેનાએ તેના સૌથી શક્તિશાળી ધ્રુવ હેલિકોપ્ટરને શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં ઉડાન ભરવાની મંજૂરી આપી છે. લશ્કરી અધિકારીઓના મતે, આતંકવાદ સામેની કાર્યવાહીને વધુ ઝડપી બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 30 પ્રવાસીઓના મોત થયા છે. આમાં એક ઇઝરાયલી અને એક ઇટાલિયન નાગરિકનો સમાવેશ થાય છે. જ્યારે 3 ગુજરાતીનો સમાવેશ થાય છે. જ્યારે ઘણા અન્ય રાજ્ય અને સ્થાનિકનો સમાવેશ થાય છે. આ હુમલો છેલ્લા બે દાયકામાં પ્રવાસીઓ પરનો સૌથી મોટો હુમલો હતો. આ આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. આ કાર્યવાહીમાં HAL ધ્રુવ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

HAL ધ્રુવ એક સ્વદેશી હેલિકોપ્ટર

HAL ધ્રુવ એક સ્વદેશી હેલિકોપ્ટર છે. આ હેલિકોપ્ટર ખાસ કરીને પહાડી વિસ્તારો માટે બનાવવામાં આવ્યું છે. આ હેલિકોપ્ટરનું મુખ્ય કાર્ય જાસૂસી, સૈનિકો અને પુરવઠાનું પરિવહન અને કટોકટી તબીબી સેવાઓ પૂરી પાડવાનું છે. શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં આ હેલિકોપ્ટરની તૈનાતીથી આતંકવાદીઓ પર નજર રાખશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ધ્રુવ હેલિકોપ્ટરના અદ્યતન સેન્સર અને નાઇટ વિઝન સાધનો તેને દિવસ અને રાત બંને સમયે કામગીરી હાથ ધરવા સક્ષમ છે.

દુર્ગમ યુદ્ધ વિસ્તારોમાં પણ ખૂબ જ ઉપયોગી છે HAL ધ્રુવ

આ હેલિકોપ્ટર સિયાચીન જેવા દુર્ગમ યુદ્ધ વિસ્તારોમાં પણ ખૂબ અસરકારક છે. આ હેલિકોપ્ટર 5.5 ટન વર્ગનું છે. આ હેલિકોપ્ટરના ઘણા પ્રકારો છે. ધ્રુવ MK-3 અને AK-4 ખૂબ જ શક્તિશાળી એન્જિનથી સજ્જ છે. આ હેલિકોપ્ટર 6100 મીટરની ઊંચાઈ સુધી ઉડવા માટે સક્ષમ છે. આ હેલિકોપ્ટરનું રુદ્ર વેરિઅન્ટ 20 મીમી તોપ, રોકેટ અને મિસાઇલોથી સજ્જ છે. આ હેલિકોપ્ટરમાં કેવલર અને કાર્બન ફાઇબરથી બનેલું ક્રેશ રેઝિસ્ટન્ટ કોકપીટ છે. તેમાં ડ્યુઅલ એન્જિન છે. આવી સ્થિતિમાં એક એન્જિન નિષ્ફળ ગયા પછી પણ તે સામાન્ય ઉડાન ચાલુ રાખી શકે છે.

 

 

 

આ પણ વાંચોઃ

Pahalgam Attack: ખતરારુપ વિસ્તારમાં સુરક્ષા કેમ ન હતી?, લોકોના મોત માટે કોણ જવાબદાર?

Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરમાં થયેલા હુમલામાં 3 ગુજરાતીના મોત, કુલ મૃત્યુઆંક 30

આસારામના આશ્રમને ખાલી કરાવતાં વળતર મળશે કે નહીં? |  Olympics Planning

Pahalgam Terror Attack Update । આતંકવાદી હુમલામાં ગુજરાતી મુસાફરો સહિત 27ના મોત

NADIAD: સિરપકાંડના આરોપીના ઘરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશીએ વોચ રાખી

 

Related Posts

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે
  • June 17, 2026

Shiv Sena UBT MP Rebellion: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના ૯માંથી ૬ સાંસદોના દિલ્હી પહોંચવા અને ત્યાં મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે…

Continue reading
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ
  • June 17, 2026

NEET exam fraud: NEET-UG જેવી દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા ફરી એકવાર વિવાદોના વંટોળમાં છે, પરંતુ આ વખતે ખતરો માત્ર પેપર લીક પૂરતો સીમિત નથી. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

  • June 17, 2026
  • 6 views
China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

  • June 17, 2026
  • 7 views
Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 8 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

  • June 17, 2026
  • 8 views
UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

  • June 17, 2026
  • 20 views
Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 5 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!