Pahalgam Attack: 3 આતંકીઓના સ્કેચ જાહેર, ધાર્મિક ઓળખ પૂછ્યા બાદ પ્રવાસીઓ પર ફાયરિંગ

  • India
  • April 23, 2025
  • 6 Comments

Pahalgam Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ આખો દેશ શોક સાથે રોષે ભરાયો છે. જે રીતે આતંકવાદીઓએ નિઃશસ્ત્ર પ્રવાસીઓને પોતાનો શિકાર બનાવ્યા છે તેનાથી સમગ્ર દેશમાં ગુસ્સો છે. હાલ હુમલાખોર આતંકવાદીઓના સ્કેચ જાહેર કરાયા છે. સુરક્ષા એજન્સીઓએ 3 આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. આ આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા તરીકે થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓને ધાર્મિક ઓળખ પૂછી પછીને ગોળીબાર કર્યો છે. આ આતંકવાદીઓ હુમલો કરી ફરાર થઈ ગયા હતા. અહેવાલો અનુસાર હુમલા સમયે ઘટનાસ્થળે એક પણ સુરક્ષાકર્મી ન હતો. જેનો લાભ લઈ આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. જેમાં 30 પ્રવાસીઓના મોત થઈ ગયા છે.

આતંકવાદીઓની શોધખોળ

હુમલાની જાણ થતાં જ સુરક્ષાદળો ઘટના સ્થળે આવી પહોચ્યા હતા. જો કે આતંવાદીઓ હુમલો કરી ફરાર થઈ ગયા હતા. ગઈકાલથી પહેલગામના વિસ્તારમાં સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. બૈસરનના જંગલોમાં સેના અને CRPF ઉપરાંત, જમ્મુ અને કાશ્મીર પોલીસના જવાનો આતંકવાદીઓને શોધી રહ્યા છે.

હિન્દુ પ્રવાસીઓની ઓળખ કરી ગોળીઓ ધરબી

ગઈકાલે બપોરે પહેલગામમાં પાંચથી 6 TRF આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરી હતી. આતંકવાદીઓએ પહેલા ધર્મના આધારે હિન્દુ પ્રવાસીઓને ઓળખ્યા અને તે પછી ગોળી મારી દેવામાં આવી હતી. પહેલગામમાં જ્યાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબારમાં 30 લોકોના મોત થઈ ગયા છે. સમગ્ર વિસ્તાર લોહીથ લથપથ થઈ ગયો હતો.

પહેલગામના વિસ્તારને મિની સ્વિટ્ઝર્લૅન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે

વાસ્તવમાં, પહેલગામના બૈસરનને મીની સ્વિટ્ઝર્લૅન્ડ કહેવામાં આવે છે. બૈસરન પહેલગામ શહેરથી 6 કિલોમીટર દૂર છે. આ વિસ્તાર ગાઢ પાઈન જંગલો અને પર્વતોથી ઘેરાયેલો છે, જેના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ફરવા આવે છે. આ જ બૈસરનમાં AK-47 થી સજ્જ 6 જેટલા આતંકવાદીઓ ઘૂસી ગયા અને પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

 

આ પણ વાંચોઃ

 

Pahalgam Terrorist Attack: હુમલાનું આયોજન માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ 2 મહિનાથી કરી રહ્યો હતો!

Pahalgam Attack: ખતરારુપ વિસ્તારમાં સુરક્ષા કેમ ન હતી?, લોકોના મોત માટે કોણ જવાબદાર?

Pahalgam Attack: હુમલા બાદ સેનાએ HAL ધ્રુવ હેલિકોપ્ટરની ફોજ ઉતારી, આતંકીઓને શોધી કાઢવા ઓપરેશન

Ahmedabad: સરકાર આસારામના 3 આશ્રમ કેમ ખાલી કરાવી રહી છે?, શું છે આયોજન!

આસારામના આશ્રમને ખાલી કરાવતાં વળતર મળશે કે નહીં? |  Olympics Planning

NADIAD: સિરપકાંડના આરોપીના ઘરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશીએ વોચ રાખી

 

Related Posts

Delhi Child Trafficking Racket: દિલ્હીનું બાળ તસ્કરી નેટવર્ક: હોસ્પિટલ બની મંડી, જ્યાં લાખોમાં વેચાતા હતા બાળકો!
  • June 21, 2026

Delhi Child Trafficking Racket: દિલ્હીની રોહિણી જેવી પોશ ગણાતી જગ્યાએ આવેલી હીરા મલ્ટિસ્પેશાલિટી હોસ્પિટલની વેબસાઇટ પર દર્શાવવામાં આવેલું વિવેકીનું પ્રોફાઇલ એક આદર્શ ડોક્ટરની તસવીર ઊભી કરતું હતું. ‘દર્દીઓની સેવામાં અતૂટ…

Continue reading
India SIR Controversy: ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ના નામે લોકતંત્રનું ચીરહરણ!
  • June 21, 2026

India SIR Controversy: ભારતના લોકતંત્રમાં મતદાર યાદી એ માત્ર કાગળનો ટુકડો નથી, પરંતુ નાગરિકના અસ્તિત્વ અને તેના મતાધિકારનું પ્રમાણપત્ર છે. હાલમાં જ ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) ના નામે ચૂંટણી પંચે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi Child Trafficking Racket: દિલ્હીનું બાળ તસ્કરી નેટવર્ક: હોસ્પિટલ બની મંડી, જ્યાં લાખોમાં વેચાતા હતા બાળકો!

  • June 21, 2026
  • 3 views
Delhi Child Trafficking Racket: દિલ્હીનું બાળ તસ્કરી નેટવર્ક: હોસ્પિટલ બની મંડી, જ્યાં લાખોમાં વેચાતા હતા બાળકો!

India SIR Controversy: ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ના નામે લોકતંત્રનું ચીરહરણ!

  • June 21, 2026
  • 6 views
India SIR Controversy: ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ના નામે લોકતંત્રનું ચીરહરણ!

Bharat Tiwari Encounter: જે નીતિની તાળી વગાડતા હતા, તે જ નીતિએ ભરત તિવારીનો જીવ લીધો!

  • June 21, 2026
  • 6 views
Bharat Tiwari Encounter: જે નીતિની તાળી વગાડતા હતા, તે જ નીતિએ ભરત તિવારીનો જીવ લીધો!

Narendra Modi: અલંગમાં સ્વાગત ન કર્યું તો મોદીનો ઘમંડ દેખાયો

  • June 21, 2026
  • 8 views
Narendra Modi: અલંગમાં સ્વાગત ન કર્યું તો મોદીનો ઘમંડ દેખાયો

Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

  • June 20, 2026
  • 7 views
Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

  • June 20, 2026
  • 12 views
Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો