
Pahalgam Terrorist Attack: 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામાં થયેલા હુમલામાં 30 જેટલા લોકો મોત થઈ ગયા છે. જેમાં 3 ગજરાતીઓના સમાવેશ થાય છે. આ ત્રણેય ગુજરાતીઓના મૃતદેહ ગત મોડી રાત્રે ગુજરાતમાં લાવવામાં આવ્યા હતા. આજે તેમની અંતિમ યાત્રા નીકળી હતી.
સુરતમાં મૃતક યુવક શૈલેષભાઈ કળથિયા અને ભાવનગરમાં મૃતક પિતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને પુત્ર સ્મિત યતીશભાઈ પરમારની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા.
આ કેવી સરકાર છે?
View this post on Instagram
સુરતમાં શૈલેષ કળથિયાના પરિવારે સરકાર સામે સવાલો કર્યા છે. શૈલેષની પત્ની શીત્તલે સીઆર પાટીલ સમક્ષ રોષ ઠાલવી કહ્યું હતુ કે સરકાર સુરક્ષા પુરી પાડી શકી નથી. આજ પછી મત જ ન આપતા. વધુમાં કહ્યું જ્યાં ટુરિસ્ટ જગ્યા હતી ત્યા કોઈ પોલીસ કે અર્મીમેન ન હતુ. ફર્સ્ટ એડ કિટ સહિતની કોઈ સુવિધા ન હતી. એક આર્મીમને કહ્યું હતુ કે તમે ઉપર ફરવા શું કરવા જાવ છો?. જો જવાય એવું ન હતુ તો અમને જવા કેમ દીધા? પત્નીએ વધુમાં કહ્યું હતુ કે તમારા પાછળ કેટલાં વીઆઈપી હોય છે? કેટલી ગાડીઓ હોય છે? તમારો જીવ, જીવ છે, ટેક્સ પે કરે છે તેમના જીવ નથી. આ કેવી સરકાર છે?
આ હુમલા બાદ કેન્દ્ર સરકાર પર લોકો રોષે ભરાયા છે. કારણ કે તે સુરક્ષા પુરી પાડી શકી નથી. હવે સરકારે પાકિસ્તાન સામે નદી પાણી, વીઝા રદ્દ જેવી કાર્યવાહી કરી લોકોના રોષને ઠારવાનો પ્રયત્ન કર્યો છે. જો કે સરકારે જવાબદાર તંત્ર સામે અત્યાર સુધી કાર્યવાહી કરી નથી. શું પાકિસ્તાનનું જતુ પાણી બંધ કરી દેવું, વિઝા રદ કરી દેવા, પાકિસ્તાનીઓને ભારત ન આવવા દેવી જેવી કાર્યવાહીથી આતંકવાદ ખતમ થઈ શકે ખરો? તે પણ એક મોટો સવાલ છે. સુરતના મૃતકની પત્નીએ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. જો સરકાર તેને ધ્યાને લઈ સરકાર કાર્યવાહી કરી તો જ સારુ છે.
આ પણ વાંચોઃ
Terrorism Protest: ભાવનગર, રાજકોટમાં આતંકવાદનો વિરોધ, શું કરી માંગ?
મોદી સાહેબ જનતાને જવાબ ના આપી શક્યા, પણ સુરક્ષા બેઠક બાદ લેવાયાં પાકિસ્તાન સામે આકરાં 5 નિર્ણય
Pahalgam Terrorist Attack: પહેલગામ હુમલા મામલે પાકિસ્તાની રક્ષામંત્રીએ શું કહ્યું?