Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ

  • Gujarat
  • December 12, 2025
  • 0 Comments

Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી પર બ્રિજ બનાવવાની ચાલુ કામગીરી બ્રિજ બનાવવા માટે બાંધવામાં આવેલું ભારેખમ માળખું (સ્કેફોલ્ડિંગ) અચાનક ધડાકાભેર તૂટી પડતાં ભારે દોડધામ મચી ગઇ હતી.

આ ઘટનામાં 5 કામદારો દટાયા હતા જેઓનું રેસ્ક્યુ કરી વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.જે પૈકી ચારની હાલત સ્થિર છે, જ્યારે એક ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.શ્રમિકો જ્યારે ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા હતા તે સમયે સંભવિત રીતે જેકની ખામી અથવા લોડ બેલેન્સના કારણે ઘટના ઘટી હોવાનું કહેવાય છે.

મહત્વનું છે કે ઔરંગા નદીનો પુલ જર્જરિત થઈ જતા ચોમાસા દરમિયાન પુરના પાણી તે જર્જરીત બ્રિજ ઉપર ફરી વળતા હોય લોકોને પડતી મુશ્કેલી નિવારવા આ બ્રિજની બાજુમા નવા બ્રિજનું નિર્માણ કરવા સરકારે મંજૂરી આપી હતી.

આ બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ રોયલ ઇન્ફ્રા નામની એજન્સીને મળ્યો હતો ,₹42 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજને બે વર્ષ અગાઉ મંજૂરી આપવામાં આવી હતી અને આવતા એક વર્ષમાં કામ પૂર્ણ કરવાનું થતું હતું અને બ્રિજના બે પીલરને જોડતા સ્લેબ બનાવવા ઉભું કરાયેલું માળખું ધસી પડ્યું હતું જે ખૂબજ ગંભીર ગણી શકાય કેમકે જો તે નબળા માળખા ઉપર બ્રિજનો સ્લેબ ભરવાની કાર્યવાહી શરૂ થાતતો મોટી જાનહાની થઈ શકતે.જોકે,આ ઘટના બાદ કલેક્ટરે કમિટી રચી આગળની તપાસ કરવાનો નિર્ણય કર્યો છે.

તો બીજી તરફ મીડિયામાં દિવસભર અહેવાલો ચાલતા સરકારે આ મામલાની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપ્યા છે અને ઘટનાની તપાસ કરવાની જવાબદારી માર્ગ-મકાન વિભાગના સર્કલ ઓફિસર (CO)ને સોંપવામાં આવી છે.
બાદમાં સરકાર આ રિપોર્ટના આધારે બ્રિજની ગુણવત્તામાં કોઈ બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર કે જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદાકીય અને વહીવટી પગલાં લઈ શકે છે.જોકે,આ ઘટનાને પગલે નાના એવા વલસાડ ટાઉનમાં ભારે ચર્ચા ઉઠી હતી અને સ્ટક્ચરની ગુણવતા ઉપર સવાલો ઉઠવા પામ્યા હતા.

આ પણ વાંચો:

Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો

Gujarat Education: શિક્ષણ પાછળ કરોડોનું આંધણ છતાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ શાળા છોડી! આખરે કરોડો રૂપિયા ક્યાં જાય છે?

Russia Ukraine war: 21 વર્ષના યુવકની અજીબો ગરીબ કરુણ કહાની;પરિવારની સ્થિતિ સુધારવા રશિયાતો ગયો પણ પછી જે થયું તે જાણી ધ્રુજી જશો!!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરતથી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો
  • January 22, 2026

● એર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર 787-8 વિમાન 12 જૂનના રોજ અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જવા ઉડાન ભરી ત્યારે મિનિટોમાંજ ક્રેશ થઈ ગયું હતું જેની તપાસનો FAS દ્વારા અમેરિકન સંસદમાં જે…

Continue reading
Ahmedabad: કોંગી નેતા શક્તિસિંહના ભત્રીજાએ પોતાના પત્નીની ગોળી મારી હત્યા કર્યા બાદ પોતાના માથામાં ગોળી મારી આત્મહત્યા કરતા ચકચાર
  • January 22, 2026

●હજુતો બે મહિના પહેલા જ બન્નેના લગ્ન થયા હતા અને ઝગડો થતાં માળો વિખેરાઈ ગયો Ahmedabad: અમદાવાદમાં ક્લાસવન અધિકારીએ પોતાના પત્ની સાથે ઉગ્ર બોલાચાલી થતાં ઉશ્કેરાઈ જઈ પોતાના પત્નીને ગોળી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surendranagar: સુરેન્દ્રનગરના સરોડી ગામે સિલિકોસિસથી 30ના મોતથી હાહાકાર!

  • January 22, 2026
  • 3 views
Surendranagar: સુરેન્દ્રનગરના સરોડી ગામે સિલિકોસિસથી 30ના મોતથી હાહાકાર!

Narendramodi: ફરી એક વખત PM નરેન્દ્ર મોદીએ ટ્રમ્પથી દૂરી બનાવી! 71મી વાર કહ્યું ” ભારત-પાકનું યુદ્ધ મેં રોકાવ્યું!” મોદીજીનું ભેદી મૌન,જુઓ ખાસ વિશ્લેષણ

  • January 22, 2026
  • 4 views
Narendramodi: ફરી એક વખત PM નરેન્દ્ર મોદીએ ટ્રમ્પથી દૂરી બનાવી! 71મી વાર કહ્યું ” ભારત-પાકનું યુદ્ધ મેં રોકાવ્યું!” મોદીજીનું ભેદી મૌન,જુઓ ખાસ વિશ્લેષણ

Kashmir: ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 સૈનિકો શહીદ, 3 ગંભીર રીતે ઘાયલ!

  • January 22, 2026
  • 8 views
Kashmir: ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 સૈનિકો શહીદ, 3 ગંભીર રીતે ઘાયલ!

Bullet train: નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે કહ્યું હતું કે, ‘વો કોઈ બેઠને નહિ આને વાલા ! મચ્યો હોબાળો!

  • January 22, 2026
  • 8 views
Bullet train: નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે કહ્યું હતું કે, ‘વો કોઈ બેઠને નહિ આને વાલા ! મચ્યો હોબાળો!

Gujarat Politics: પૂર્વ CM આનંદી બેન ગુજરાતમાં સક્રિય? અનાર પટેલ ની એન્ટ્રી શુ સૂચવે છે? જુઓ, ખાસ વિશ્લેષણ

  • January 22, 2026
  • 7 views
Gujarat Politics: પૂર્વ CM આનંદી બેન ગુજરાતમાં સક્રિય? અનાર પટેલ ની એન્ટ્રી શુ સૂચવે છે? જુઓ, ખાસ વિશ્લેષણ

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

  • January 22, 2026
  • 9 views
FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો