India Pakistan War2025: આજીવિકા રળવાના ખરા સમયે જ પડ્યું પાટુ, ગુજરાતના ગરીબ માછીમારોની શું છે સ્થિતિ ?

India Pakistan War2025: ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાતા ગુજરાત સરકારે અનેક મોટા નિર્ણયો લીધા છે. જેમાનો એક નિર્ણય ગુજરાતના માછીમારોને પરત બોલાવી લેવાનો છે. હાલ યુદ્ધની સ્થિતિને જોતા ગુજરાતના 4 લાખ માછીમારોને પરત બોલાવાયા છે. ત્યારે ગુજરાતના માછીમાર સંગઠન સમસ્ત માછીમાર સમાજના સેક્રેટરી ઉસ્માન ગનીએ The Gujarat Report સાથેની વાતચીતમાં રાજ્યના માછીમારોની સ્થિતિ વર્ણવી હતી.

ગુજરાતના 4 લાખ માછીમારોને પરત બોલાવી લેવાયા

ગુજરાત ભારતનો સૌથી લાંબો 1,600 કિ.મી.નો દરિયાકિનારો અત્યંત સંવેદનશીલ છે. તેમજ ગુજરાતમાં માછીમારીનો ધંધો રાજ્યની અર્થવ્યવસ્થામાં મહત્વનો ભાગ છે. માછલી ઉદ્યોગમાં 4 લાખ લોકો માટે આજીવિકાનું સાધન છે. માછીમારો દ્વારા સરેરાશ રોજની 30 હજાર ટન માછલીઓ પકડવામાં આવે છે.

માછીમારોને ઓપરેશન સિંદૂરની અસર

2020-21માં ગુજરાતે લગભગ 5,000 કરોડ રૂપિયાની મત્સ્ય નિકાસ કરી હતી જ્યારે 2021-22ના આંકડા અનુસાર, ગુજરાતનું કુલ મત્સ્ય ઉત્પાદન લગભગ 8.5 લાખ ટન હતું અને રોજની સરેરાશ રૂ. 20 કરોડની કિંમતની માછલીઓ પકડાય છે. જેમાં ઝીંગા, પાપલેટ, બાંગડા, અને બૂમલા જેવી માછલીઓ અરબી સમુદ્રમાં પકડાય છે. ત્યારે હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાતા ગુજરાતમાં 42 નાના-મોટા બંદરો પર 15 હજાર બોટ અને 4 લાખ માછીમારા પરત બોલાવાયા છે. જેમાં વેરાવળ, પોરબંદર, જખૌ અને માંગરોળ જેવા બંદરો પર માછીમારીની બોટો પરત ફરી છે. માછલી ઉદ્યોગ 14 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી આપે છે તેમને ઓપરેશન સિંદૂરની અસર થઈ છે. કલેકટરે માછીમારોને પરત આવી જવા ફોન અને પત્રોથી જાણ કરી હતી.

ગરીબ માછીમારોની શું છે સ્થિતિ ?

માછીમારો માટે હાલ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરી પરંતુ સંગઠનના લોકોને લોકલ માછીમારીનું કામ કરે પરંતુ હાલ દરિયો ન ખેડે તેવી સલાહ આપવામા આવી છે. પરંતુ આ પરિસ્થતિના કારણે માછીમારોની આજીવિકા પર મોટી અસર પડી છે.

માછીમારો અને બોટની સલામતિ માટે શું છે વ્યવસ્થા ?

દરિયા કિનારે બોટ પાર્કિંગ કરવામા આવી છે પરંતુ તેની સલામતી માટે કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી જેથી જો દરિયા કિનારે હુમલો થશે તો ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ શકે છે. બોટને નુકસાન થવાની સાથે જાનહાનીને પણ નુકસાન થઈ શકે છે.

આજીવિકા રળવાના ખરા સમયે પડ્યું પાટું

બીજી મહત્વની વાત તે છે માછીમારો પાસે 20 જ દિવસ છે. જુન મહિનામાં પવન હોવાના કારણે માછીમારો દરિયો ખેડવા નથી જતા. આમ મે મહિનામાં જ માછીમારો પાસે આજીવિકા રળવાનો સમય હોય છે ત્યારે આ જ સમયે માછીમારોને પરત ફરવું પડ્યું છે જેથી તેમને ખુબ મોટુ નુકસાન થયું છે આમ છતા માછીમારો દેશના હિતમાં સરકારને સાથ સહકાર આપી રહ્યા છે. ત્યારે ગુજરાતના માછીમાર સંગઠન સમસ્ત માછીમાર સમાજના સેક્રેટરી ઉશ્માનભાઈ ગનીએ ગુજરાતના માછીમારોની હાલની સ્થતિને અંગે શું જણાવ્યું ? , જુઓ વીડિયો.

આ પણ વાંચોઃ

India Pak Conflict: જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSF એ ઘૂસણખોરીના પ્રયાસને બનાવ્યો નિષ્ફળ , 7 આતંકવાદીઓને ઠાર માર્યા

India Pakistan News: ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાને સાથી દેશો પાસેથી આર્થિક મદદની ભીખ માંગી ? પાકિસ્તાને આપ્યો આ જવાબ

India Big Attack On Pakistan:પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ, 30 મિસાઇલો અને 50 થી વધુ ડ્રોન તોડી પાડ્યા

પાકિસ્તાનમાં આતંકીઓની લાશોને રાષ્ટ્રધ્વજમાં લપેટી અંતિમસંસ્કાર, મિશ્રીએ શું કહ્યું? | india

Nadiad માં મહિલાનો હાથ ખેંચી ગાડીમાં બેસાડી છેડતી કરનાર માથાભારે શખ્સ ઝડપાયો

Operation Sindoor: દેશભક્તિનો રંગ, બિહારમાં જન્મ્યા 12 સિંદૂર અને સિંદૂરી

Operation Sindoor: પંજાબના ગુરદાસપુરમાં રોજ 8 કલાક અંધકાર છવાશે, જાણો સૌથી મોટું કારણ?

‘ઓપરેશન સિંદૂર’ના નામે મુકેશ અંબાણી ધંધો કરવા કેમ માગે છે? | Operation Sindoor

  • Related Posts

    Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ
    • June 18, 2026

    Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ દિલીપ પટેલ અમદાવાદ, 18 જૂન 2026 ઉત્પાદન હબથી ગુજરાતને વિશ્વ સંશોધન અને ટેકનોલોજી હબ બનાવવાનો છે. રોકાણનું ગુજરાતનું…

    Continue reading
    Narendra Modi Gujarat Model: ચા વેચશે, દેશ નહીં વેચે… મોદીએ ગુજરાતને કેવી રીતે વેચી દીધું?
    • June 18, 2026

    Narendra Modi Gujarat Model: ચા વેચશે, દેશ નહીં વેચે… મોદીએ ગુજરાતને કેવી રીતે વેચી દીધું? દિલીપ પટેલ અમદાવાદ, 18 જૂન 2026 દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પહેલાં અને ચૂંટણી જીત્યા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

    • June 19, 2026
    • 3 views
    Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

    Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

    • June 19, 2026
    • 4 views
    Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

    NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

    • June 19, 2026
    • 6 views
    NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

    India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

    • June 19, 2026
    • 7 views
    India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

    Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

    • June 19, 2026
    • 13 views
    Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

    TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

    • June 19, 2026
    • 9 views
    TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ