Vadodara: ધારાસભ્ય શૈલેશ મહેતાના ઈશારે ભાજપે આશિષ જોષીને પાર્ટીમાંથી કાઢી મુક્યા, આશિષ જોષીના MLA પર ગંભીર આક્ષેપ

Vadodara: હરણી બોટકાંડ (Harni boat incident) પિડિતોનું સમર્થન કરનાર ભાજપ કોર્પોરેટર આશિષ જોશીને (Ashish Joshi)  પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાનો મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપે તેમના પર પાર્ટીની છબી બગાડવાનો આરોપ લગાવ્યો છે. તેમને પાર્ટીમાંથી કાઢી મુકવાનું સાચુ કારણ તાજેતરમાં વડોદરામાં યોજાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં તેમની ભૂમિકાઓ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આશિષ જોશી પર આરોપ લાગ્યો હતો કે ચાલુ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સમક્ષ શું બોલવાનું છે, તેની સ્ક્રિપ્ટ પણ આશિષ જોષીએ જ તૈયાર કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે પાર્ટીમાંથી કાઢી મુક્યા બાદ હવે આશિષ જોષીએ નવો ઘટસ્ફોટ કર્યો છે. The gujarat report સાથે વાત કરતા આશિષ જોષીએ અનેક મોટા ખુલાસાઓ કર્યા છે.

આશિષ જોષીએ માંગ્યા પુરાવા

કયા આધારે હકાલપટ્ટી કરવાનો નિર્ણય લીધો તેના જરૂરી દસ્તાવેજો આશિષ જોશીએ પક્ષ પાસેથી માગ્યા છે. આ સાથે તેમણે શિસ્તભંગનું કોઈ કૃત્ય ન કર્યું હોવાનું જણાવીને ખોટી રીતે તેમને સસ્પેન્ડ કરવામા આવ્યા હોવાનું જણાવ્યુ હતું.

શૈલેશ મહેતા પર મોટા આક્ષેપ

ભાજપમાંથી સસ્પેન્ટ થયા બાદ આશિષ જોષીએ ખુલાસો કર્યો છે કે, ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતાનાના ઈશારે તેમને સસ્પેન્ડ કરી દેવામા આવ્યા છે. શૈલેશ મહેતાએ ખોટી ફરિયાદો કરીને મને સસ્પેન્ડ કરાવ્યો હોવાનું આશિષ જોષીએ નિવેદન આપતા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યોછે કે, શૈલેશ મહેતા બોટકાડમાં શાળાના સંચાલકોને બચાવી રહ્યા છે અને પાલિકાને કાર્યવાહી કરતા રોકી રહ્યા છે. તેમજ પક્ષ તેમને રાખે કે ન રાખે પરંતુ તેઓ હરણી બોટ કાંડના પીડિતો માટે લડતા રહેશે તેવો હુંકાર પણ તેમણે કર્યો છે.

આશિષ જોષી શૈલેશ મહેતા વિશે વધુ શું ખુલાસા કર્યા ?  

આ સાથે આશિષ જોષીએ આગામી સમયમાં શૈલેશ મહેતા અંગે પણ પુરાવા આપવા જણાવ્યુ હતુ. ધારાસભ્ય શૈલેશ મહેતાનું હરણી બોટમાં કઈ રીતે કનેક્શન છે ? ધારાસભ્ય આ બધુ કરીને કોને બચાવી રહ્યા છે તેના અંગે શું મોટા ખુલાસા કર્યા જુઓ વીડિયો…

આ પણ વાંચોઃ

India Pakistan War:પાકિસ્તાને હુમલામાં ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું? સેના અને વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી મહત્વની જાણકારી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

World Migratory Bird Day 2025 : પક્ષીઓને પણ પાકિસ્તાનમાં નથી ગમતું! લાખો પક્ષીઓ સ્થળાંતર કરીને ગુજરાતમાં આવી ગયા

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?

 PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?

Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ

Related Posts

Bharuch Bhadbhut Barrage: ભરૂચનો ભાડભૂત બેરેજ, વિકાસના નામે માટી ચોરીનું મોટું કૌભાંડ!
  • June 30, 2026

Bharuch Bhadbhut Barrage: ભરૂચ નજીક નર્મદા નદી પર નિર્માણ પામી રહેલો ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ આજે વિકાસની ગાથાને બદલે ભ્રષ્ટાચારના કિસ્સા તરીકે વધુ ચર્ચાઈ રહ્યો છે. આશરે 1.77 કિમી લાંબા આ બેરેજનું…

Continue reading
Gujarat Land Conflicts: મોદીના 2011ના વચનો અને 2026ની કડવી વાસ્તવિકતા
  • June 30, 2026

Gujarat Land Conflicts: વર્ષ 2011માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એક જાહેર મંચ પરથી ધારાસભ્યોને નૈતિકતાનો પાઠ ભણાવતા કહ્યું હતું કે, “તમે જે ધારાસભ્યોને ચૂંટીને મોકલ્યા છે, તેમણે પ્રજાની વચ્ચે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tamil Nadu Politics: વિધાનસભામાં TVK નો દબદબો વધારવા વિજયની નવી વ્યૂહરચના, ગઠબંધન સહયોગીઓ પર નિર્ભરતા ઘટાડવાની તૈયારી

  • June 30, 2026
  • 2 views
Tamil Nadu Politics: વિધાનસભામાં TVK નો દબદબો વધારવા વિજયની નવી વ્યૂહરચના, ગઠબંધન સહયોગીઓ પર નિર્ભરતા ઘટાડવાની તૈયારી

Ram Mandir Donation Scam: રામ મંદિર દાનમાં કરોડોનું કૌભાંડ, ટ્રસ્ટની આંતરિક લડાઈએ ખોલી ભ્રષ્ટાચારની પોલ!

  • June 30, 2026
  • 7 views
Ram Mandir Donation Scam: રામ મંદિર દાનમાં કરોડોનું કૌભાંડ, ટ્રસ્ટની આંતરિક લડાઈએ ખોલી ભ્રષ્ટાચારની પોલ!

BJP Leadership Strategy: ભારતીય યુવાનો અને Gen Z પર ભાજપ અધ્યક્ષનું નિવેદન, ‘અમારા યુવાનો અરાજકતામાં નહીં, પણ રાષ્ટ્ર નિર્માણમાં વિશ્વાસ રાખે છે’

  • June 30, 2026
  • 6 views
BJP Leadership Strategy: ભારતીય યુવાનો અને Gen Z પર ભાજપ અધ્યક્ષનું નિવેદન, ‘અમારા યુવાનો અરાજકતામાં નહીં, પણ રાષ્ટ્ર નિર્માણમાં વિશ્વાસ રાખે છે’

Bhagirath Chaudhary Subsidy Controversy: ભાગીરથ ચૌધરીની 99 લાખની સબસિડીનો વિવાદ, કોંગ્રેસે ગણાવી ‘ખુલ્લી લૂંટ’

  • June 30, 2026
  • 7 views
Bhagirath Chaudhary Subsidy Controversy: ભાગીરથ ચૌધરીની 99 લાખની સબસિડીનો વિવાદ, કોંગ્રેસે ગણાવી ‘ખુલ્લી લૂંટ’

Bharuch Bhadbhut Barrage: ભરૂચનો ભાડભૂત બેરેજ, વિકાસના નામે માટી ચોરીનું મોટું કૌભાંડ!

  • June 30, 2026
  • 7 views
Bharuch Bhadbhut Barrage: ભરૂચનો ભાડભૂત બેરેજ, વિકાસના નામે માટી ચોરીનું મોટું કૌભાંડ!

Gujarat Land Conflicts: મોદીના 2011ના વચનો અને 2026ની કડવી વાસ્તવિકતા

  • June 30, 2026
  • 7 views
Gujarat Land Conflicts: મોદીના 2011ના વચનો અને 2026ની કડવી વાસ્તવિકતા