Rajkot: નર્સને છરીથી રહેંસી નાખી, પાડોશીની ધરપકડ, અમદાવાદથી રાજકોટ થઈ હતી બદલી

Rajkot Crime: ગુજરાતમાં દિવસે દિવસે ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યા છે. અપરાધીઓ બેલગામ બની રહ્યા છે. ગુજરાતમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. ખાસ કરીને રાજકોટ જીલ્લલામાં ગુજરાત સરકાર ન હોય તેવા હાલ સર્જાયા છે. રાજકોટમાં અનેક હત્યા-આપઘાત હત્યાના સીલસીલા ચાલું છે. ત્યારે આ જ જીલ્લામાંથી એક 52 નર્સને છરીના ઘા મારી રહેંસી નાખવામાં આવી છે. હાલ પોલીસે નર્સની હત્યા કરનાર પાડોશ કાનજી વાંજાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક મહિલા મૂળ અમદાવાદના વતની

મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરમાં ઋષિકેશ સોસાયટીમાં રહેતી 52 વર્ષીય ચૌલાબેન પટેલની તેમના પાડોશમાં રહેતા કાનજી વાંજા(ઉ.વ.34) નામના ઈસમે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. નોંધનીય છે કે, મૃતક મહિલા મૂળ અમદાવાદની રહેવાસી હતી. અને હાલ રાજકોટની કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી.

આરોપીની ધરપકડ

જાણવા મળી રહ્યું છે કે મૃતક ચૌલાબેન પટેલના ઘરે આરોપીએ આવી બળજબરી કરી હતી. જેનો પ્રતિકાર કરતાં આરોપી કાનજીએ નર્સને છરીના ઘા મારી દીધા હતા. જેમાં તેમનું મોત થઈ ગયું. આ બનાવ અંગે મહિલાના પરિવારજનની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

અમદાવાદ સિવિલમાંથી રાજકોટ બદલી થઈ હતી

મૂળ અમદાવાદના વતની ચૌલાબેન ઋષિકેશ સોસાયટીમાં તેમના ઘરની પાછળ જ રહેતા શખસે હત્યા કરી નાખી હતી. આ મહિલા અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતા હતા અને ચારેક માસથી તેમની રાજકોટ બદલી થઈ હતી. જાણવા મળી રહ્યું છે કે નર્સ ભાડાના મકાનમાં રહેતી હતી.

નર્સની હત્યાનો અમદાવાદમાં વિવાદ

રાજકોટમાં નર્સની હત્યાના પડઘાં અમદાવાદમાં પડ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નર્સોએ વિરોધ નોધાવ્યો છે. મોટી સંખ્યામાં મહિલા નર્સ વિરોધ પ્રદર્શનમાં જોડાઈને આરોપીને કડક સજા કરવાની માગ કરી છે.

રાજકોટ જીલ્લામાં અપરાધિક ઘટનાઓમાં વધારો!

રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટની હત્યા અને અમિત ખૂંટના આપઘાત બાદ ચકચાર મચી ગઈ છે. અહીં રાજકોટ જીલ્લામાં હત્યાઓનો સીલસીલો યથાવત રહ્યો છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર ડબલ ખૂનના આરોપ છે. તેમના પુત્ર ગણેશ પર ખૂનના આરોપ છે. આ પહેલા પણ તેણે દલિત સાથે મારપીટ કર્યાના આરોપ છે.

આ પણ વાંચોઃ

Punjab woman death: પાકિસ્તાની ડ્રોન હુમલામાં ઘાયલ થયેલી મહિલાનું મોત, પિતા-પુત્રની હાલત કેવી?

ભારતનો જવાન પાકિસ્તાનના કબજામાં, ગર્ભવતી મહિલાના પતિને કોણ છોડાવશે? | Operation Sindoor

પહેલગામ હુમલાનો બદલો ન લેવાઈ તો સન્માન નહીં, શું પાટીલ હવે સન્માન સ્વીકારશે? | Pahalgam terrorist attack

Amreli  Madrasa Demolition: પાકિસ્તાન કનેક્શનના આરોપમાં ઝડપાયેલા મૌલાનાની મદરેસા તોડી પડાઈ

પહેલગામ હુમલાનો બદલો ન લેવાઈ તો સન્માન નહીં, શું પાટીલ હવે સન્માન સ્વીકારશે? | Pahalgam terrorist attack

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

 

Related Posts

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!
  • June 18, 2026

Gujarat Teachers Protest: ગુજરાતમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષણ જગતમાંથી પણ સરકાર સામે મોટો બળવો શરૂ થયો છે. રાજ્યભરના હજારો પ્રાથમિક શિક્ષકો હાલ TET (Teacher Eligibility Test) પરીક્ષામાંથી મુક્તિની માંગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 2 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 4 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 6 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 8 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 7 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 10 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!