શું બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પછી રોહિત નિવૃત્તિ લઈ રહ્યો છે? જાણો શું કહી રહ્યાં છે રિપોર્ટ

  • Sports
  • December 30, 2024
  • 0 Comments

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે રોહિતે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લઇ લીધો છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 (WTC)ની ફાઇનલમાં પહોંચશે નહીં તો તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની સિડની ખાતે રમાનારી છેલ્લી અને પાંચમી ટેસ્ટ પછી તે ક્રિકેટને અલવિદા કહી શકે છે. હકીકતમાં રોહિત શર્મા છેલ્લી કેટલીક ટેસ્ટ મેચોમાં પોતાના ખરાબ પ્રદર્શનને કારણે સંઘર્ષ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન ટેસ્ટ સીરિઝમાં તેણે 3 મેચમાં માત્ર 31 રન જ બનાવ્યા છે.

શું રોહિત ક્રિકેટને અલવિદા કરી દેશે?
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, હાલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના વરિષ્ઠ અધિકારીઓ અને પસંદગીકારો વચ્ચે ટીમમાં રોહિતના સ્થાનને લઈને ચર્ચા ચાલી રહી છે. જો ભારત WTC ફાઇનલમાં પહોંચી જશે તો કેપ્ટન રોહિત શર્મા પસંદગીકારોને પોતાને આગળ રમવા દેવા માટે મનાવવાનો પ્રયાસ કરશે. જો કે, અટકળો લગાવાઈ રહી છે કે આવું થવાની શક્યતાઓ ઓછી છે. તેથી સિડનીમાં રમાનારી પાંચમી ટેસ્ટ મેચ તેની છેલ્લી મેચ હોઈ શકે છે.

ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન રોહિત શર્મા સતત નિરાશાજનક પ્રદર્શન કરી રહ્યો છે. ઘરઆંગણે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે 3 મેચની સીરિઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. આ સીરિઝની 3 મેચમાં રોહિતે માત્ર 91 રન જ બનાવ્યા હતા. હાલમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાં ભારતે રોહિત શર્માની કેપ્ટન્શીપમાં ત્રણ મેચ રમી હતી જેમાં ભારતે 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે 3 મેચની 5 ઇનિંગ્સમાં માત્ર 31 રન બનાવ્યા હતા. જેમાં તેણે અનુક્રમે 3, 6, 10, 3 અને 9 રન બનાવ્યા હતા.

Related Posts

WTC Final 2O25 : WTC ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ તૂટ્યો, દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને રચ્યો નવો ઇતિહાસ
  • June 15, 2025

WTC Final 2O25 : દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)નો ખિતાબ જીતીને ક્રિકેટ ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે. લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાયેલી WTC ફાઇનલ 2025માં, દક્ષિણ આફ્રિકાની ટીમે…

Continue reading
RCB vs PBKS: IPL શરુ થતા પહેલા નંબર 18, ફાઈનલની તારીખનું ટોટલ પણ 18, શું આ માત્ર સંયોગ છે?
  • June 3, 2025

RCB vs PBKS Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025 ની ફાઇનલ મેચ રમાશે જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ વખતે IPL નો નવો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 3 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 7 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 12 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 13 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

  • June 16, 2025
  • 15 views
Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે  વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!