
Bhavnagar: ધોલેરા-ભાવનગર હાઈવે પર ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક જ પરિવારના 3 લોકોએ જીવ ગૂમાવ્યા છે. આ સાથે અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ ધોલેરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ધોલેરા-ભાવનગર હાઈવે પર ગંભીર અકસ્માત
મળતી માહિતી મુજબ ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક આજે હ્યુન્ડાઈ વરના અને મારૂતિ એસ-ક્રોસ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે,ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા જ્યારે એક એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો આ દરમિયાન તેણે દમ તોડ્યો હતો. આ અકસ્માતમાં બંને વાહનો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા હતા.
13 દિવસમાં કુલ 9 લોકોએ ગુમાવ્યા જીવ
નોંધનીયછે કે આ માર્ગ પર વારંવાર થતા અકસ્માતોની ઘટના બને છે. ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા પાસે 13 દિવસમાં કુલ 9 લોકોના મોત અકસ્માતમાં મૃત્યું થયા છે. તેનું કારણ તે છે કે, ધોલેરા ભાવનગર હાઇવે માર્ગનું કામ ચાલી રહ્યું છે ત્યારે ધીમીગતિએ ચાલતા આ કામ ને કારણે ઘણા સમયથી આ માર્ગ પર વારંવાર ગંભીર અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે વારંવાર અકસ્માતમાં લોકો મૃત્યું પામે છે છતા પણ તંત્રને જાણે કોઈ ચિંતા જ ન હોય તેમ લાગી રહ્યું છે.
આ પણ વાંચો:
Boycott of Pak name in India: મીઠાઈઓના નામમાંથી ‘પાક’ શબ્દ હટાવાયો, શું પહેલગામનો બદલો લેવાઈ ગયો?
લાલુ પ્રસાદ યાદવે Tej Pratap Yadav ને પાર્ટી અને પરિવારમાંથી તગેડી મુક્યા, જાણો શું છે મોટુ કારણ?
Praful Vasava ને કેવડીયા બચાવો આંદોલનથી દૂર કરવાનું ષડયંત્ર, Chaitar Vasava ને કેમ વાંધો પડ્યો ?
Boycott of Pak name in India: મીઠાઈઓના નામમાંથી ‘પાક’ શબ્દ હટાવાયો, શું પહેલગામનો બદલો લેવાઈ ગયો?
Taj Mahal ને RDX થી ઉડાવી દેવાની ધમકી, પોલીસ એક્શન મોડમાં
Gujarat માં આજે ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા ?
Vadodara: નશામાં ટલ્લી PSI એ 3 વાહનને લીધા અડફેટે, કારમાંથી મળી દારૂની બોટલો
Kadi અને Visavadar બેઠકની પેટાચૂંટણીની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે મતદાન
પૂર્વ CM મોદીના પહેલા મંત્રી મંડળના નેતાઓ ખતમ થયાં કે કરી દેવાયાં?। કાલચક્ર ભાગ 3 | KAAL CHAKRA