Corona Update: શું ભારતમાં ફરી કોરોના ખતરો બનશે!, જુઓ શું સ્થિતિ?

  • India
  • June 7, 2025
  • 0 Comments

Corona Update: ભારતમાં કોરોના વાયરસના કેસો ફરી એકવાર ઉછાળો આવ્યો છે.  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 391 નવા કેસ નોંધાયા છે, જ્યારે 4 દર્દીઓના મોત થયા છે. આ સાથે, દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 5,755 થઈ ગઈ છે. નિષ્ણાતોએ નાગરિકોને સતર્ક રહેવા, માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને નિયમિત સેનિટાઈઝેશન જેવી સાવચેતીઓ અપનાવવા પર ભાર મૂક્યો છે.

મહારાષ્ટ્રમાં 114 નવા કેસ, એક મોત

મહારાષ્ટ્રમાં કોરોનાના 114 નવા કેસ નોંધાયા છે, જેના કારણે આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીના કુલ કેસોની સંખ્યા 1,276 થઈ છે. રાજ્યમાં વધુ એક દર્દીનું મોત નોંધાયું છે, જેનાથી મૃત્યુઆંક 18 પર પહોંચ્યો છે.

કેરળમાં સૌથી વધુ નવા કેસ

કેરળમાં છેલ્લા 24 કલાકમાં 192 નવા કેસ નોંધાયા છે, જે દેશમાં સૌથી વધુ છે. આ ઉપરાંત, પશ્ચિમ બંગાળમાં 58 અને દિલ્હીમાં 30 નવા કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં 170 નવા કેસ, કોઈ મોત નહીં

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 170 નવા કોરોના કેસ નોંધાયા છે, જેનાથી રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 717 થઈ છે. હાલમાં માત્ર 23 દર્દીઓને હોસ્પિટલમાં સારવારની જરૂર પડી છે, જ્યારે 694 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. સારા સમાચાર એ છે કે છેલ્લા 24 કલાકમાં 68 દર્દીઓ સાજા થયા છે અને રાજ્યમાં કોઈ મોત નોંધાયું નથી.

કેન્દ્ર સરકારની તૈયારીઓ

કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને હોસ્પિટલોમાં ઓક્સિજન, આઈસોલેશન બેડ, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. આ સાથે, સુવિધાઓની તૈયારી ચકાસવા માટે મોક ડ્રીલ યોજવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

હળવા લક્ષણો, પરંતુ સાવચેતી જરૂરી

અહેવાલો અનુસાર, મોટાભાગના કેસોમાં દર્દીઓને હળવા લક્ષણો જોવા મળ્યા છે, અને તેમને હોમ આઈસોલેશનમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં દેશમાં કોરોનાથી 55 મોત નોંધાયા છે. 22 મેના રોજ દેશમાં સક્રિય કેસોની સંખ્યા 257 હતી, જેમાંથી ઝડપથી વધારો થઈને હવે 5,755 પર પહોંચી છે.

નિષ્ણાતો અને આરોગ્ય અધિકારીઓએ નાગરિકોને સાવચેતી રાખવા અને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરી છે, જેથી આ નવી લહેરને નિયંત્રણમાં રાખી શકાય.

આ પણ વાંચો:

Bihar Accident: માંડ માંડ બચ્યા તેજસ્વી યાદવ! બેકાબૂ ટ્રક કાફલામાં ઘૂસી ગઈ, 3 પોલીસકર્મી ઈજાગ્રસ્ત

Trump vs Musk: એલોન મસ્ક ટ્રમ્પને હરાવવા નવી પાર્ટી બનાવી?, શું મસ્ક બનશે રાષ્ટ્રતિ?

મોડે મોડે મોદીને કેનેડાથી ફોન આવ્યો, ‘આવો G7 સમિટમાં’, PM મોદી ખુશ થયા

Surat: ઓપરેશન સિંદૂરની થીમ પર બનેલુ સર્કલ રાતોરાત લાપતા, મંજૂરી ન લેતા ઉઠ્યા હતા સવાલો

ગુજરાતમાં મેગા સાયબર કૌભાંડનો પર્દાફાશ: કરોડોના ટ્રાન્ઝેક્શન સાથે 89 RBL બેંક ખાતા પકડાયા

Stampede Chinnaswamy Stadium: કર્ણાટક CMના સચિવનું પત્તુ કપાયું, અધિકારીઓ-પોલીસકર્મીઓ નિશાને

India Census: ભારતમાં વસ્તીગણતરીની તારીખ જાહેર, આ તારીખથી થશે ગણતરી ચાલુ!

 

 

Related Posts

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?
  • June 18, 2026

Freedom of Religion: કવિ તુલસીદાસે વિનય પત્રિકામાં લખ્યું હતું કે જે રામ અને સીતાના પ્રિય નથી, તેમને ત્યજી દેવા જોઈએ. પરંતુ આજના આધુનિક ‘હિંદુત્વ’એ આ પંક્તિનો અર્થ સંપૂર્ણપણે બદલી નાખ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 2 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 4 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 6 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 8 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 7 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 10 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!