9 મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરને કાર્યભાર સોંપાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકે રાજ્યમાં નવી 9 મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાની મંજૂરી ગઈકાલે આપી છે. નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા  નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત જિલ્લા કલેકટર મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજ બજાવશે.

મહેસાણા, નવસારી, નડિયાદ (ખેડા), વાપી (વલસાડ), આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, ગાંધીધામ (કચ્છ)ના જિલ્લા કલેકટર આ મહાનગરપાલિકાના વહીવટીદાર તરીકે કાર્યભાર સંભાળશે.

રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકા થઈ

ગુજરાતમાં અત્યાર સુધી 8 મહા નગરપાલિકા હતી. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર સામેલ છે. પરંતુ રાજ્ય સરકારે 9 નવી મહા નગરપાલિકાને મંજૂરી આપતાં હવે મનપાની સંખ્યા વધીને 17 અને નગરપાલિકાઓની સંખ્યા 149 થઈ ગઈ છે. છેલ્લા ઘણાં સમયથી આ તમામ શહેરના લોકોની માગ હતી, જે હવે પૂર્ણ થઈ છે. જેને લઈને હાલ અહીંના લોકોમાં ખુશીનો માહોલ છે.

આ અધિકારીઓને મ્યુનિસિપલ કમિશનર તરીકે મળી જવાબદારી

  • નડિયાદ મ્યુ. કમિશનર તરીકે મીરાંત પરીખ
  • પોરબંદર મ્યુ. કમિશનર એચ. જે. પ્રજાપતિ
  • મહેસાણા મ્યુ. કમિશનર રવીન્દ્ર ખટાલે
  • વાપી મ્યુ. કમિશનર તરીકે યોગેશ ચૌધરી
  • સુરેન્દ્રનગર મ્યુ. કમિશનર તરીકે જી. એચ. સોલંકી
  • આણંદ મ્યુ. કમિશનર તરીકે મિલિન્દ બાપના
  • નવસારી મ્યુ. કમિશનર તરીકે દેવ ચૌધરી
  • ગાંધીધામ મ્યુ. કમિશનર તરીકે એમ. પી. પંડ્યા
  • મોરબી મ્યુ. કમિશનર તરીકે સ્વપ્નિલ ખરે

નવી મનપા બનાવવાનો હેતુ શું?

નીતિ આયોગની ‘સિટીઝ એઝ એન્જિન્સ ઓફ ગ્રોથ’ સંકલ્પના સાર્થક કરવા પ્રમાણમાં મોટા શહેરી વિસ્તારોનું ભવિષ્યલક્ષી આયોજન અને સુચારૂ વહીવટતંત્ર સ્થાપી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાઓની રચના કરીને તેમાં વિકાસલક્ષી કામો અને વહીવટીતંત્રમાં અસરકારકતા તેમજ પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં આવી છે.

 

Related Posts

Chhota Udepur: છોટાઉદેપુરના તમામ સરપંચો મેદાને, સરપંચોએ કેમ ઉચ્ચારી રાજીનામાની ચીમકી ?
  • August 8, 2025

Chhota Udepur: છોટાઉદેપુર તાલુકાના સરપંચો ગ્રાન્ટની ફાળવણીમાં અન્યાયનો આક્ષેપ કરી મેદાને આવ્યા છે. તાલુકાના તમામ સરપંચોએ પ્રાયોજના વહીવટદાર સાથે મુલાકાત કરી એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં…

Continue reading
Bhavnagar: નદીમાથી માટી ભરવા બાબતે માથાભારે ઈસમોએ વૃદ્ધને ઢોર માર માર્યો, પટેલ સમાજમાં ભારે રોષ
  • August 8, 2025

Bhavnagar: ભાવનગર જિલ્લામાં તાજેતરના સમયમાં ગુનાખોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે ચિંતાનો વિષય બન્યો છે. તાજેતરમાં વલ્લભીપુર તાલુકાના કાળા તળાવ ગામે 74 વર્ષીય વૃદ્ધ અરજણભાઈ દિયોરા પર લાકડી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP નેતા રવિ સતીજા સામે બળાત્કાર કેસના ફસાયા, કેસ પાછો ખેંચવા ખંડણી માગી, જાણો પછી શું થયું?

  • August 8, 2025
  • 3 views
BJP નેતા રવિ સતીજા સામે બળાત્કાર કેસના ફસાયા, કેસ પાછો ખેંચવા ખંડણી માગી, જાણો પછી શું થયું?

Iraqi parliament Video: ઇરાકની સંસદમાં શિયા અને સુન્ની સાંસદો વચ્ચે હાથાપાઈ, જૂતાં ચપ્પલ ઉછળ્યાં, એક બીજાને માર માર્યો

  • August 8, 2025
  • 5 views
Iraqi parliament Video: ઇરાકની સંસદમાં શિયા અને સુન્ની સાંસદો વચ્ચે હાથાપાઈ, જૂતાં ચપ્પલ ઉછળ્યાં, એક બીજાને માર માર્યો

Chhota Udepur: છોટાઉદેપુરના તમામ સરપંચો મેદાને, સરપંચોએ કેમ ઉચ્ચારી રાજીનામાની ચીમકી ?

  • August 8, 2025
  • 25 views
Chhota Udepur: છોટાઉદેપુરના તમામ સરપંચો મેદાને, સરપંચોએ કેમ ઉચ્ચારી રાજીનામાની ચીમકી ?

Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ? વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો

  • August 8, 2025
  • 14 views
Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ?  વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો

Delhi Tubata Restaurant: ટુંકા કપડા પહેરો તો જ મળશે એન્ટ્રી! સલવાર- સૂટ પહેરેલા હોવાથી કપલને રેસ્ટોરન્ટમાં ન જવા દીધા

  • August 8, 2025
  • 17 views
Delhi Tubata  Restaurant: ટુંકા કપડા પહેરો તો જ મળશે એન્ટ્રી!  સલવાર- સૂટ પહેરેલા હોવાથી કપલને રેસ્ટોરન્ટમાં ન જવા દીધા

Vote theft: મોદી વોટ ચોરી કરી PM બન્યા, 25 સીટ 35 હજાર કે પછી ઓછા મતથી જીત્યા, રાહુલના આરોપ

  • August 8, 2025
  • 14 views
Vote theft: મોદી વોટ ચોરી કરી PM બન્યા, 25 સીટ 35 હજાર કે પછી ઓછા મતથી જીત્યા, રાહુલના આરોપ