Gujarat Drug News: કફ સિરપના નશાથી યુવાનો બરબાદ, આયુર્વેદિક દવાના નામે કાળો ધંધો

Gujarat Drug News: ગુજરાતમાં નશીલી દવાઓ અને કફ સિરપના ગેરકાયદે વેચાણે રાજ્યને નાર્કો ઈકોનોમીનું હબ બનાવી દીધું છે. ગુજરાતમાં 3 વર્ષોમાં 9 હજાર કરોડનું ગુજરાતના પોલી અને અદાણીના મુંદરા બંદરેથી 21,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. રાજ્યમાં કફ સિરપના નશાએ યુવાનોને બરબાદ કરવાનું શરૂ કર્યું છે, જે દારૂ કરતાં પણ વધુ ખતરનાક સાબિત થઈ રહ્યું છે. ત્યારે આ મામલે મેડિકલ ક્ષેત્રે સારો એવો અનુભવ ધરાવતા જશવંત પટેલે ધ ગુજરાત રિપોર્ટ સાથેની વાતચીતમાં અનેક મોટા ખુલાસા કર્યા હતા.

કફ સિરપનો કાળો ધંધો

રાજ્યની 20 ટકા દવાની દુકાનો મહિને 50,000 રૂપિયાનો કફ સિરપનો ધંધો કરે છે. 30 રૂપિયાની બોટલ 350 રૂપિયામાં વેચાય છે, જે યુવાનોને શારીરિક અને માનસિક રીતે નુકસાન પહોંચાડે છે. ગ્રામ્ય વિસ્તારો, ખાસ કરીને ગોધરા અને ખેડા જિલ્લામાં, આ સિરપનું સેવન સૌથી વધુ થાય છે. આયુર્વેદિક દવાના નામે 12 ટકા નશીલા પદાર્થો ઉમેરીને ગૃહ ઉદ્યોગ ચાલે છે. અમદાવાદના દાણીલીમડામાં ઊંઘની ગોળીઓ અને અન્ય દવાઓ ઉમેરીને સિરપ બનાવવાનું રેકેટ પકડાયું હતું.

સિરપના સેવનથી મોતના કિસ્સા 

ગુજરાતમાં 1,000 આયુર્વેદિક દવા ઉત્પાદકો છે, જેમાંથી 150 સ્થળોએ ઉત્પાદન થાય છે. આમાંથી થોડા ઉત્પાદકો આવા નશીલા સિરપનો કાળો ધંધો ચલાવે છે. ખેડા જિલ્લામાં આવા સિરપના સેવનથી 5 લોકોના મોત થયા હતા, જ્યારે ઉઝબેકિસ્તાનમાં ભારતીય કફ સિરપથી 18 બાળકો મૃત્યુ પામ્યા હતા.

ઝડપાયેલા કેસો

ઊંઝા: ગોકુલ ડેરી પાર્લરમાંથી 16,400 રૂ.ની 121 સિરપ બોટલો ઝડપાઈ.

ભાવનગર: 397 બોટલો (64,480 રૂ.) પકડાઈ, 17 રૂ.ની બોટલ 162 રૂ.માં વેચાઈ.

જામનગર: દીપ પાન ગલ્લામાંથી 96 કે.ફી. બોટલો મળી.

અમરેલી: ભાજપ નેતા મૂળશંકર તેરૈયા પાસેથી 4.50 લાખ અને 60 લાખની સિરપ ઝડપાઈ.

અમદાવાદ: 2018માં 42,358 બોટલો (3 લાખ રૂ.) પકડાઈ.

કફ સિરપમાં કોડીન શું છે ? વધુ પડતા ઉપયોગથી થતા નુકસાન

કફ સિરપમાં કોડીન ફોસ્ફેટનું પ્રમા 5 મિલિલિટરમાં 10 મિલિગ્રામ હોય છે, જે ઓપિયોઈડ પીડા નિવારક છે. આ દવા ખાંસી અને દુખાવામાં ઉપયોગી છે, પરંતુ તેનો દુરુપયોગ નશા તરફ દોરી જાય છે. લાંબા સમયના ઉપયોગથી નપુંસકતા, શ્વાસની તકલીફ, ચક્કર, અને મોતનું જોખમ રહે છે. ઉચ્ચ કોડીન ધરાવતા સિરપનું વેચાણ પ્રિસ્ક્રિપ્શન વિના ગેરકાયદેસર છે, છતાં ઓનલાઈન ફાર્મસીઓ ડ્રગ એન્ડ કોસ્મેટિક્સ એક્ટનો ભંગ કરીને અબજોનું વેચાણ કરે છે.

દોષનો ટોપલો એકબીજાના માથે

પોલીસ આરોગ્ય વિભાગને જવાબદાર ગણાવે છે, જ્યારે GFDC નાર્કો વિભાગને દોષ આપે છે. એક વેપારી પકડાય તો 30 લાખમાં સમાધાન થઈ જાય છે. ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે, પરંતુ આરોપીઓને સજા થતી નથી. ઓનલાઈન ફાર્મસીઓ ડોક્ટરોને ભાડે રાખી ગેરકાયદે પ્રિસ્ક્રિપ્શન બનાવે છે, જેના આધારે દવાઓનું વેચાણ થાય છે.

મજૂર વર્ગ અને કારખાનાના કામદારો નશાની આદતે ચડી રહ્યા છે. સિરપનો વધુ પડતો ઉપયોગ યુવાનોને વ્યસની બનાવે છે. ગુજરાતમાં નશીલી દવાઓની હોમ ડિલિવરી અને ઓનલાઈન વેચાણે સમસ્યા વધારી છે.

ગુજરાતમાં કફ સિરપના નશાએ યુવા પેઢીને ખોખલી કરી રહી છે. આયુર્વેદિક દવાના નામે ચાલતો ગેરકાયદે ધંધો, પોલીસ અને વહીવટની નિષ્કાળજી, અને ઓનલાઈન ફાર્મસીઓની ગેરરીતિઓ આ સમસ્યાને વધારી રહી છે. સરકાર અને સમાજે સાથે મળીને આ નાર્કો ઈકોનોમી સામે લડવાની જરૂર છે, નહીં તો રાજ્યનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ જશે.

 ગુજરાતમાં કફ સિરપના વેચાણને  કેવી રીતે ઘટાડી શકાય ? 

મહારાષ્ટ્રમાં કફ સિપરનું વેચાણ કરતી કંપનીઓએ ઓનલાઈ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. તેમને બતાવવાનું હોય છે કે, કોને કેટલું વેચાણ કર્યું છે. ત્યારે ગુજરાતમાં પણ આવું કંઈ થાય તો કઈ કંપનીએ કોને કેટલો જથ્થો આપ્યો તે જાણી શકાય છે. અને ગુજરાતમાં તેનું ચલણ ઘટાડી શકાય તેમ છે.

જુઓ આયુર્વેદિક દવાના નામે ચાલતા કફ સિરપના કાળા ધંધા પર અમારો ખાસ વીડિયો… 

આ પણ વાંચો:

CBSE 10th Board Exam New Rules: ધો. 10ની બોર્ડ પરીક્ષા વર્ષમાં બેવાર લેવાશે, 2026થી લાગુ

Shubhanshu Shukla: “41 વર્ષ પછી આપણે ફરીથી અવકાશમાં…” અંતરિક્ષથી શુભાંશુ શુક્લાનો પ્રથમ સંદેશ

TATA કંપનીના પ્રદૂષણથી દ્વારકાના પર્યાવરણની હાલત ભયજનક, સ્વાસ્થ્ય પર સંકટ

Iran Israel War: ઈરાને ‘3 ઇઝરાયલી જાસૂસો’ને આપી ફાંસી! 700 થી વધુની ધરપકડ

સુરત પાલિકાનું બજેટ 10 હજાર કરોડ, પણ રેસ્ક્યૂ માટે ઢોરના ટ્રેક્ટર! | Heavy rain in Surat

Gram Panchayat Election Result: રિબડા ગ્રામ પંચાયતમાં જાડેજા પરિવારનો દબદબો, અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રનો ભવ્ય વિજય

  • Related Posts

    Sujalam Sufalam Canal Deodar Farmers Protest: 3 હજાર ક્યુસેકની સુજલામ સુફલામ નહેર કોરી, ખાલી નહેરમાં આંદોલન, ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી પાણી ન આપ્યું
    • June 30, 2026

    Sujalam Sufalam Canal Deodar Farmers Protest: 3 હજાર ક્યુસેકની સુજલામ સુફલામ નહેર કોરી, ખાલી નહેરમાં આંદોલન, ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી પાણી ન આપ્યું – ખેડૂત આગેવાન અમરાભાઈ આર. ચૌધરી 11…

    Continue reading
    Bharuch Bhadbhut Barrage: ભરૂચનો ભાડભૂત બેરેજ, વિકાસના નામે માટી ચોરીનું મોટું કૌભાંડ!
    • June 30, 2026

    Bharuch Bhadbhut Barrage: ભરૂચ નજીક નર્મદા નદી પર નિર્માણ પામી રહેલો ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ આજે વિકાસની ગાથાને બદલે ભ્રષ્ટાચારના કિસ્સા તરીકે વધુ ચર્ચાઈ રહ્યો છે. આશરે 1.77 કિમી લાંબા આ બેરેજનું…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    SIR Voter List Revision: SIR બાદ પણ ચૂંટણી પંચ ‘ગેરકાયદેસર પ્રવાસીઓ’ની સંખ્યા જાહેર કરવામાં નિષ્ફળ

    • June 30, 2026
    • 3 views
    SIR Voter List Revision: SIR બાદ પણ ચૂંટણી પંચ ‘ગેરકાયદેસર પ્રવાસીઓ’ની સંખ્યા જાહેર કરવામાં નિષ્ફળ

    IIT Faculty Shortage: પ્રતિષ્ઠિત સંસ્થાઓનું કડવું સત્ય, આઈઆઈટીમાં કેમ નથી ભરાઈ રહ્યા આરક્ષિત વર્ગોના પદો?

    • June 30, 2026
    • 6 views
    IIT Faculty Shortage: પ્રતિષ્ઠિત સંસ્થાઓનું કડવું સત્ય, આઈઆઈટીમાં કેમ નથી ભરાઈ રહ્યા આરક્ષિત વર્ગોના પદો?

    Sujalam Sufalam Canal Deodar Farmers Protest: 3 હજાર ક્યુસેકની સુજલામ સુફલામ નહેર કોરી, ખાલી નહેરમાં આંદોલન, ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી પાણી ન આપ્યું

    • June 30, 2026
    • 6 views
    Sujalam Sufalam Canal Deodar Farmers Protest: 3 હજાર ક્યુસેકની સુજલામ સુફલામ નહેર કોરી, ખાલી નહેરમાં આંદોલન, ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી પાણી ન આપ્યું

    Akal Takht Ultimatum: અકાલ તખ્તનો આદેશ, પંજાબ સરકારને બેઅદબી વિરોધી કાયદામાં સુધારા કરવા માટે એક મહિનાની મહોલત

    • June 30, 2026
    • 8 views
    Akal Takht Ultimatum: અકાલ તખ્તનો આદેશ, પંજાબ સરકારને બેઅદબી વિરોધી કાયદામાં સુધારા કરવા માટે એક મહિનાની મહોલત

    Tamil Nadu Politics: વિધાનસભામાં TVK નો દબદબો વધારવા વિજયની નવી વ્યૂહરચના, ગઠબંધન સહયોગીઓ પર નિર્ભરતા ઘટાડવાની તૈયારી

    • June 30, 2026
    • 4 views
    Tamil Nadu Politics: વિધાનસભામાં TVK નો દબદબો વધારવા વિજયની નવી વ્યૂહરચના, ગઠબંધન સહયોગીઓ પર નિર્ભરતા ઘટાડવાની તૈયારી

    Ram Mandir Donation Scam: રામ મંદિર દાનમાં કરોડોનું કૌભાંડ, ટ્રસ્ટની આંતરિક લડાઈએ ખોલી ભ્રષ્ટાચારની પોલ!

    • June 30, 2026
    • 10 views
    Ram Mandir Donation Scam: રામ મંદિર દાનમાં કરોડોનું કૌભાંડ, ટ્રસ્ટની આંતરિક લડાઈએ ખોલી ભ્રષ્ટાચારની પોલ!