Jagganath Rath Yatra: પુરીની રથયાત્રામાં ભક્તોમાં નાસભાગ, 3ના મોત, 50થી વધુને ઈજાઓ

  • India
  • June 29, 2025
  • 0 Comments

Jagganath Rath Yatra: આજે ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ગુંડીચા મંદિર પાસે ભાગદોડની સ્થિતિ સર્જાતા અરાજકતા ફેલાઈ ગઈ. સવારના અંધારામાં થયેલી ભાગદોડમાં સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું. આ ઘટનામાં 3 શ્રદ્ધાળુઓના મોત થયા, જ્યારે 50 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ટ્રકોના પ્રવેશને કારણે નિયંત્રણ બગડ્યું!

મળતાં અહેવાલો અનુસાર આજે(29 જૂન, 2025) રવિવારે સવારે 4 થી 5 વાગ્યાની વચ્ચે જ્યારે હજારો શ્રદ્ધાળુઓ દેવદર્શન માટે ગુંડીચા મંદિર પાસે હાજર હતા, ત્યારે બે ટ્રકોના અજાણતામાં પ્રવેશવાના પ્રયાસથી વાતાવરણ બગડી ગયું. સાંકડી જગ્યા, પહેલેથી જ ભારે ભીડ, રથ પાસે વિખરાયેલા ખજૂરના લાકડા અને સુરક્ષા દળોની મર્યાદિત તૈનાતી, આ બધા કારણો મળીને ભાગદોડનું કારણ બન્યા.

મૃતકોની ઓળખ 

સ્થાનિક મીડિયા અનુસાર જીવ ગુમાવનારા 3 લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. પ્રેમકાંત મોહંતી (80 વર્ષ), બસંતી સાહુ (36 વર્ષ), પ્રભાતી દાસ (42 વર્ષ). તેમના પરિવારના સભ્યો અને નજીકના ભક્તોમાં શોક અને ભયનું વાતાવરણ છે.

ઉચ્ચ સ્તરીય તપાસના આદેશો

ઓડિશાના કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને અકસ્માતને દુ:ખદ ગણાવ્યો છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. સરકાર ઉચ્ચ સ્તરીય તપાસ કરશે અને આ બેદરકારી માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

 750 ભક્તો થાક અને ગરમીને કારણે બેભાન થઈ ગયા હતા

Image

ઉલ્લેખનીય છે કે અહીં એક દિવસ પહેલા લગભગ 750 ભક્તો થાક અને ગરમીને કારણે બેભાન થઈ ગયા હતા. તેમાંથી 230 લોકોને તાત્કાલિક પુરીની ID હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે 520 થી વધુ ભક્તોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ગંભીર રીતે બીમાર એક વ્યક્તિને કટકની SCB મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો:
 

Related Posts

Deepali Tiwari Mohanlal Controversy: ‘પદ અપાવવાના બદલામાં હમબિસ્તરની માંગ કરી’, દીપાલી તિવારીના આરોપોથી ઉત્તર પ્રદેશ ભાજપમાં મચ્યો વિવાદ
  • April 30, 2026

Deepali Tiwari Mohanlal Controversy: ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની અંદર આંતરિક વિવાદે એક ગંભીર અને શરમજનક વળાંક લીધો છે. ભાજપના પૂર્વ જિલ્લા મંત્રી દીપાલી તિવારીએ પોતાની જ પાર્ટીના…

Continue reading
Abhishek Banerjee West Bengal Election: પશ્ચિમ બંગાળમાં મતદાન વચ્ચે અભિષેક બેનર્જીના આકરા પ્રહાર: “પાકિસ્તાન-બાંગ્લાદેશ જેવું વર્તન બંગાળ સાથે કેમ?”
  • April 29, 2026

Abhishek Banerjee West Bengal Election: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના મતદાન દરમિયાન રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ મતદાનના દિવસે કેન્દ્ર સરકાર અને સુરક્ષા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Post-Election Violence in Gujarat: ચૂંટણીમાં હાર બાદ ભાજપના ઉમેદવારોનો બખેડો, ક્યાંક તલવાર સાથે ધમકી તો ક્યાંક તોડફોડના આરોપ

  • May 1, 2026
  • 4 views
Post-Election Violence in Gujarat: ચૂંટણીમાં હાર બાદ ભાજપના ઉમેદવારોનો બખેડો, ક્યાંક તલવાર સાથે ધમકી તો ક્યાંક તોડફોડના આરોપ

Caste Discrimination in Junagadh: જૂનાગઢના ભૂતડી ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન મંદિરના જમણવારમાં દલિતો માટે અપમાનજનક શરતો

  • May 1, 2026
  • 8 views
Caste Discrimination in Junagadh: જૂનાગઢના ભૂતડી ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન મંદિરના જમણવારમાં દલિતો માટે અપમાનજનક શરતો

Great Indian Bustard Chick Missing: કચ્છમાં ભારે સુરક્ષા છતાં ઘોરાડનું બચ્ચું ગાયબ, લુપ્તપ્રાય પ્રજાતિના સંવર્ધન પર મોટું સંકટ

  • May 1, 2026
  • 10 views
Great Indian Bustard Chick Missing: કચ્છમાં ભારે સુરક્ષા છતાં ઘોરાડનું બચ્ચું ગાયબ, લુપ્તપ્રાય પ્રજાતિના સંવર્ધન પર મોટું સંકટ

Barbeque world hotel sealed: અમદાવાદની પ્રખ્યાત Barbeque World હોટલ સીલ, ખોરાકમાં જીવાત મળતાં AMCની મોટી કાર્યવાહી

  • May 1, 2026
  • 11 views
Barbeque world hotel sealed: અમદાવાદની પ્રખ્યાત Barbeque World હોટલ સીલ, ખોરાકમાં જીવાત મળતાં AMCની મોટી કાર્યવાહી

Farzana murder case vatva: 35 વર્ષ બાદ ખુલ્યો ફરઝાના હત્યાકાંડનો ભેદ, પતિએ જ રચ્યું હતું ખૂનનું ષડયંત્ર?

  • April 30, 2026
  • 15 views
Farzana murder case vatva: 35 વર્ષ બાદ ખુલ્યો ફરઝાના હત્યાકાંડનો ભેદ, પતિએ જ રચ્યું હતું ખૂનનું ષડયંત્ર?

Colombia Hippos Vantara: કોલંબિયાના ‘ડ્રગ લોર્ડ’ના હિપ્પો હવે જામનગરમાં? વન્યજીવ સંરક્ષણ કે જોખમી પ્રયોગ?

  • April 30, 2026
  • 15 views
Colombia Hippos Vantara: કોલંબિયાના ‘ડ્રગ લોર્ડ’ના હિપ્પો હવે જામનગરમાં? વન્યજીવ સંરક્ષણ કે જોખમી પ્રયોગ?