
Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર કુઈ બ્રિજ પર ભયંકર અક્સ્માતની ઘટના સામે આવી છે જેમાં બ્રિજ પર રાત્રે આઇસરની પાછળ આઇસર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.
પ્રાંતિજના તાજપુર કુઈ બ્રિજ પર ભયંકર અક્સ્માત
મળતી માહિતી મુજબ પ્રાંતિજના તાજપુર કુઈ બ્રિજ પર રાત્રે બો આઈઝર અમદાવાદ તરફ જઈ રહી હતી. આ દરમિયાન આઇસરની પાછળ આઇસર ઘૂસી ગઈ હતી. આ અક્સ્માતમાં આઇસરના ડ્રાઇવર કંડકટરને ઈજાઓ પહોંચી હતી. જેથી આ ઇજાગ્રસ્તોને 108 તેમજ 1033 એમ્બ્યુલન્સ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતને પગલે ડ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
ઘટનાને પગલે ડ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે હાઇવે પેટ્રોલિંગ ટીમ ઘટના સ્થળે પહોંચી રોડ સેફ્ટી લગાવી ટ્રાફિક ડાયવર્ટ કર્યો હતો. આમ ડ્રાફિકને હળવો કરાયો હતો.
અહેવાલ : ઉમંગ રાવલ