
ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર બંધારણની પ્રસ્તાવનામાંથી “સમાજવાદી” (Socialist) અને “ધર્મનિરપેક્ષ” (Secular) શબ્દોને હટાવવાની સતત માગ કરી રહી છે. આ મુદ્દે સતત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને BJPના કેટલાક નેતાઓના નિવેદનો આપતાં રહે છે. આ શબ્દો 1976માં 42મા બંધારણીય સુધારા દ્વારા ઇન્દિરા ગાંધી સરકારે બંધારણની પ્રસ્તાવનામાં ઉમેર્યા હતા.
BJP અને RSSના કેટલાક નેતાઓએ “સમાજવાદી” અને “ધર્મનિરપેક્ષ” શબ્દોને બંધારણની પ્રસ્તાવનામાંથી હટાવવાની હિમાયત કરી છે, દલીલ કરીને કે આ શબ્દો મૂળ બંધારણનો ભાગ ન હતા અને ઇમરજન્સી દરમિયાન ઉમેરાયા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે “ધર્મનિરપેક્ષતા” બંધારણની મૂળ રચનાનો હિસ્સો છે. BJPનું સત્તાવાર વલણ એ છે કે તેઓ બંધારણમાં ફેરફાર નહીં કરે, પરંતુ વિપક્ષ આ મુદ્દે સતત સરકારની નીયત પર સવાલ ઉઠાવે છે.
ભાજપ પર મતદારો ખતમ કરવાનો આરોપ
બીજી તરફ હવે બિહારમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે એક મહિના પહેલા જ ભારતનું ચૂંટણી પંચ (ECI) નિયમિત અંતરે મતદાર યાદીઓનું સુધારણા કરવા તૈયારી કરી છે. ઈલેક્શન કમિશનનું કહેવું છે કે દરેક યોગ્ય નાગરિકનું નામ યાદીમાં શામેલ થાય અને બિનજરૂરી અથવા ખોટા નામો દૂર થાય. બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી 2025ને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચે વિશેષ ગહન પુનરીક્ષણ (Special Intensive Revision – SIR) ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ 1 જુલાઈ, 2025થી શરૂ થવાની છે, જેમાં ઘરે-ઘરે ચકાસણી અને યોગ્ય મતદારોની ઓળખનો સમાવેશ થાય છે.
જોકે ઈલેક્શન કરમિશનનના આ નિર્ણય સામે પણ વિરોધ થઈ રહ્યો છે. કારણ ઈલેક્શન કમિશન મતદારોની ખરાઈ કરવાનું છે. જેમાં મતદારોને પુરાવા આપવા પડશે. આવું થશે ઘણા મતદારો મતદાન કરી શકશે નહીં. ભાજપ સરકાર પર મતદારો ખતમ કરવાનો આરોપો લગાવવામાં આવી રહ્યા છે. જેનો વિપક્ષ અને લોકો વિરોધ કરી રહ્યા છે.
રાજકીય કારસો
બિહારમાં NDA (ભાજપ અને જેડીયુ) અને મહાગઠબંધન વચ્ચે તીવ્ર રાજકીય સ્પર્ધા છે. વિપક્ષનું માનવું છે કે આ ઝુંબેશ NDAના રાજકીય હિતોને અનુકૂળ થવા માટે હાથ ધરવામાં આવી છે, જેમાં વિપક્ષના મતદાર આધાર (ખાસ કરીને લઘુમતી અને ગરીબ વર્ગ) ને નબળો પાડવાનો પ્રયાસ થઈ શકે.
આ ઝુંબેશને 2025ની વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય ફાયદો મેળવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.
ત્યારે વધુ ચર્ચા જુઓ આ વીડિયોમાં.