Gujarat teachers Recruitment: ભારે વિરોધ બાદ ઝૂકી સરકાર, નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ

Gujarat teachers Recruitment: ગુજરાત સરકારે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ્દ કર્યો છે. આ નિર્ણયનો શિક્ષક સંઘો, શાળા સંચાલક મંડળો અને યુવાનો દ્વારા સોશિયલ મીડિયા પર ઉગ્ર વિરોધ થયો હતો, જેના પગલે સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. હવે બેરોજગાર શિક્ષકોને નોકરીની તકો મળવાની આશા જાગી છે.

નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ

મળતી માહિતી મુજબ શાળા સંચાલક મંડળે સરકારને પત્ર લખીને નિવૃત શિક્ષકોને બદલે બેરોજગાર શિક્ષકોની ભરતીની માંગ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે 2011 પછી કાયમી શિક્ષકોની ભરતી થઈ નથી, અને સરકાર માત્ર પ્રવાસી શિક્ષકો કે જ્ઞાન સહાયકોની નિમણૂક કરી રહી છે. શિક્ષક સંઘોએ પણ આ નિર્ણયનો આક્રમક વિરોધ કર્યો હતો, જેની વાત શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી સુધી પહોંચી હતી. ટેટ-ટાટ પાસ યુવાનોને વયમર્યાદાના કારણે નોકરી મળવામાં મુશ્કેલી પડી રહી છે, ત્યારે નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય નારાજગીનું કારણ બન્યો હતો. આ વિરોધને ગંભીરતાથી લઈને સરકારે નિવૃત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ્દ કર્યો છે. તેમજ એવું પણ કહેવાય છે કે, સરકાર હવે ભરતીના નિયમોમાં જરૂરી છૂટછાટ આપવા અંગે વિચારણા કરી રહી છે.

 Gujarat teachers Recruitment

પરિપત્રમાં શું હતું?

25 જુલાઈ, 2025ના પરિપત્રમાં જણાવાયું હતું કે, નિયમિત ભરતી અને જ્ઞાન સહાયકોની નિમણૂક બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર નિવૃત શિક્ષકોને વચગાળાની વ્યવસ્થા તરીકે કામગીરી સોંપવામાં આવશે. જોકે, હવે આ નિર્ણય મૂળ અસરથી રદ્દ કરવામાં આવ્યો છે. આ નિર્ણય રદ્દ થતાં એક અઠવાડિયામાં શિક્ષણ વિભાગે બીજો વિવાદાસ્પદ નિર્ણય પાછો ખેંચવો પડ્યો છે.

આ પણ વાંચો:

Gujarat Weather Forecast: ગુજરાતમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, કામ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા સલાહ

Barabanki Stampede: યુપીમાં મંદિર પરિસરમાં વીજકરંટ ફેલાતા ભાગદોડ, 2 ના મોત, 29 ઘાયલ

Sehore Ganesh Mandir: મંદિરની અંદર ખુલ્લેઆમ ગુંડાગીરી, હથિયાર સાથે ઘૂસેલા શખ્સે પૂજારીને આપી ધમકી

 Bihar: સરકારની બેદરકારીનો ઉત્તમ નમૂનો, 1200 કરોડના નિર્માણાધીન પુલનો ભાગ ધરાશાયી, શ્રમિકો દટાયાની આશંકા

Related Posts

Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ
  • May 8, 2026

Gir Forest Land Allocation Controversy: નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, તે સમયે ગીરના જંગલ વિસ્તારમાં જમીન ફાળવણીનો એક બહુ મોટો વિવાદ ઊભો થયો હતો. આ વિવાદ માત્ર સામાન્ય જમીનનો…

Continue reading
Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ
  • May 8, 2026

Gift City Data Center Fraud: ગુજરાત હંમેશા સાહસિક અને વ્યાપારી પ્રજા તરીકે વિશ્વભરમાં જાણીતું રહ્યું છે. આ એ ભૂમિ છે જેણે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, રવિશંકર મહારાજ અને ઝવેરચંદ મેઘાણી જેવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

  • May 8, 2026
  • 4 views
West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

  • May 8, 2026
  • 6 views
Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

  • May 8, 2026
  • 8 views
Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

  • May 8, 2026
  • 9 views
Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

  • May 8, 2026
  • 9 views
Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે

  • May 8, 2026
  • 6 views
S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે