Gujarat teachers Recruitment: ભારે વિરોધ બાદ ઝૂકી સરકાર, નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ

Gujarat teachers Recruitment: ગુજરાત સરકારે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ્દ કર્યો છે. આ નિર્ણયનો શિક્ષક સંઘો, શાળા સંચાલક મંડળો અને યુવાનો દ્વારા સોશિયલ મીડિયા પર ઉગ્ર વિરોધ થયો હતો, જેના પગલે સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. હવે બેરોજગાર શિક્ષકોને નોકરીની તકો મળવાની આશા જાગી છે.

નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ

મળતી માહિતી મુજબ શાળા સંચાલક મંડળે સરકારને પત્ર લખીને નિવૃત શિક્ષકોને બદલે બેરોજગાર શિક્ષકોની ભરતીની માંગ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે 2011 પછી કાયમી શિક્ષકોની ભરતી થઈ નથી, અને સરકાર માત્ર પ્રવાસી શિક્ષકો કે જ્ઞાન સહાયકોની નિમણૂક કરી રહી છે. શિક્ષક સંઘોએ પણ આ નિર્ણયનો આક્રમક વિરોધ કર્યો હતો, જેની વાત શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી સુધી પહોંચી હતી. ટેટ-ટાટ પાસ યુવાનોને વયમર્યાદાના કારણે નોકરી મળવામાં મુશ્કેલી પડી રહી છે, ત્યારે નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય નારાજગીનું કારણ બન્યો હતો. આ વિરોધને ગંભીરતાથી લઈને સરકારે નિવૃત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ્દ કર્યો છે. તેમજ એવું પણ કહેવાય છે કે, સરકાર હવે ભરતીના નિયમોમાં જરૂરી છૂટછાટ આપવા અંગે વિચારણા કરી રહી છે.

 Gujarat teachers Recruitment

પરિપત્રમાં શું હતું?

25 જુલાઈ, 2025ના પરિપત્રમાં જણાવાયું હતું કે, નિયમિત ભરતી અને જ્ઞાન સહાયકોની નિમણૂક બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર નિવૃત શિક્ષકોને વચગાળાની વ્યવસ્થા તરીકે કામગીરી સોંપવામાં આવશે. જોકે, હવે આ નિર્ણય મૂળ અસરથી રદ્દ કરવામાં આવ્યો છે. આ નિર્ણય રદ્દ થતાં એક અઠવાડિયામાં શિક્ષણ વિભાગે બીજો વિવાદાસ્પદ નિર્ણય પાછો ખેંચવો પડ્યો છે.

આ પણ વાંચો:

Gujarat Weather Forecast: ગુજરાતમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, કામ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા સલાહ

Barabanki Stampede: યુપીમાં મંદિર પરિસરમાં વીજકરંટ ફેલાતા ભાગદોડ, 2 ના મોત, 29 ઘાયલ

Sehore Ganesh Mandir: મંદિરની અંદર ખુલ્લેઆમ ગુંડાગીરી, હથિયાર સાથે ઘૂસેલા શખ્સે પૂજારીને આપી ધમકી

 Bihar: સરકારની બેદરકારીનો ઉત્તમ નમૂનો, 1200 કરોડના નિર્માણાધીન પુલનો ભાગ ધરાશાયી, શ્રમિકો દટાયાની આશંકા

Related Posts

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ
  • October 29, 2025

Bhavnagar News: ભાવનગર મહાનગરપાલિકાનાં વર્તમાન શાસકોની લાપરવાહી અને તંત્રની બેદરકારીના કારણે બોરતળાવ ની કૈલાશ બાલવાટીકાની સ્થિતિ દિવસેને દિવસે બદતર થતી જતી હોય છે. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં કમોસમી વરસાદે નબળી…

Continue reading
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
  • October 29, 2025

Bhavnagar: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાકમાર્કેટ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વર્ષો જૂની આ માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યા છે, જેના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 13 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 14 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 18 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 17 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 13 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

  • October 29, 2025
  • 32 views
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો