Chhota Udepur ની 13 આશ્રમ શાળાઓની ભોજન ગ્રાન્ટ 10 મહિનાથી અટકાવાઈ, સંસ્થાઓ પર 72 લાખનું દેવું

Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લાની 13 આશ્રમ શાળાઓની ભોજન ગ્રાન્ટ છેલ્લા 10 મહિનાથી ચૂકવવામાં ન આવતાં સંસ્થાઓ આર્થિક સંકટનો સામનો કરી રહી છે. આ શાળાઓમાં ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ ગ્રાન્ટ ન મળવાને કારણે ભોજન વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડી રહી છે. આ શાળાઓમાં નવસર્જન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત રૂનવાડની આશ્રમ શાળા પણ સામેલ છે, જે 30 વર્ષથી ગ્રામીણ વિસ્તારના 460 વિદ્યાર્થીઓને શિક્ષણ અને રહેઠાણ પૂરું પાડે છે. આ શાળાનું ધોરણ 12નું પરિણામ છેલ્લા 5 વર્ષથી 100% અને ધોરણ 10નું 90% રહ્યું છે, જે જિલ્લાની શ્રેષ્ઠ આશ્રમ શાળાઓમાં તેનું સ્થાન દર્શાવે છે.

ગ્રાન્ટ રોકવાનું કારણ

30 ઓગસ્ટ, 2024ના રોજ જિલ્લા અધિકારીઓએ આશ્રમ શાળાઓની ઓચિંતી મુલાકાત લીધી હતી, જેમાં અનેક ખામીઓ બહાર આવી હતી. રૂનવાડ આશ્રમ શાળામાં રસોડું અસ્વચ્છ, મેનૂ પ્રમાણે ભોજન ન આપવું, ગેરહાજરીની નોંધણીમાં ગેરરીતિ, સ્ટાફ માટે રહેવાની અપૂરતી સગવડો અને ગંદા સૌચાલયો જેવી સમસ્યાઓ જોવા મળી હતી. આ અંગેનો અહેવાલ આદિજાતિ કમિશનરને મોકલવામાં આવ્યો, જેના આધારે ગ્રાન્ટ રોકી દેવાઈ.

સંસ્થાની રજૂઆત

આશ્રમ શાળાએ 14 ઓક્ટોબર, 2024ના રોજ ગાંધીનગર ખાતે આદિજાતિ કમિશનર સમક્ષ ખામીઓ સુધારી લેવાના ફોટોગ્રાફ્સ અને સ્થાનિક અધિકારીઓના અહેવાલ સાથે રજૂઆત કરી હતી. જોકે, ઓક્ટોબર 2024થી ગ્રાન્ટ બંધ રહી છે. સંસ્થાએ 14 વખત રૂબરૂ અને લેખિત રજૂઆતો કરી, પરંતુ ગ્રાન્ટ ચૂકવવામાં આવી નથી. આના કારણે સંસ્થા પર 72 લાખ રૂપિયાનું દેવું થયું છે, અને વેપારીઓ ઉધાર આપવામાં આનાકાની કરી રહ્યા છે, જેનાથી વિદ્યાર્થીઓની ભોજન વ્યવસ્થા જોખમાઈ છે.

વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિરોધ

આ મુદ્દે આશ્રમ શાળા ખાતે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉગ્ર રજૂઆત કરી હતી. તેઓએ વહેલી તકે ગ્રાન્ટ ચૂકવવાની માગણી કરી છે, જેથી શિક્ષણ અને ભોજન વ્યવસ્થા અવિરત ચાલુ રહે.

અધિકારીનું નિવેદન

આશ્રમ શાળાના અધિકારી પીયુષ શાહે જણાવ્યું કે, કલેક્ટરની મુલાકાત દરમિયાન જે ખામીઓ બહાર આવી હતી, તેનો રિપોર્ટ કમિશનરને મોકલાયો હતો, જેના આધારે 13 આશ્રમ શાળાઓની ગ્રાન્ટ રોકાઈ છે. તેમણે આશા વ્યક્ત કરી કે કમિશનર દ્વારા ટૂંક સમયમાં આ બાબતે નિર્ણય લેવાશે.આ મુદ્દો ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓના શિક્ષણ અને ભોજનની વ્યવસ્થા સાથે જોડાયેલો હોવાથી, તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે, જેથી આ શાળાઓની કામગીરી અવિરત ચાલુ રહે.

 અહેવાલ : ઉમેશ રોહિત

આ પણ વાંચો:

Madhya Pradesh: 12 વર્ષના બાળકે ઓનલાઈન ગેમમાં રૂપિયા ગુમાવતા માતા-પિતાના ડરથી જીવન ટુંકાવ્યું

Bhavnagar: ઘરેલું ઝઘડામાં પતિએ બોથર્ડ પદાર્થના ઘા ઝીંકી પત્નીને પતાવી દીધી, બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

Junagadh: મોડી રાત્રે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કેમ પોલીસ સ્ટેશન માથે લીધું? કોને બચાવે છે પોલીસ?

Ahmedabad: શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઈને શરમજનક બોર્ડ લગાવવા મામલે પોલીસે હાથ ખંખેર્યા, જાણો શું કહ્યું?

Surendranagar: મૂકબધિર પિતાએ સગી દીકરીને જ હવસનો શિકાર બનાવી, સગીરા ગર્ભવતી થતા ફૂંટ્યો ભાંડો

Related Posts

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ
  • October 29, 2025

Bhavnagar News: ભાવનગર મહાનગરપાલિકાનાં વર્તમાન શાસકોની લાપરવાહી અને તંત્રની બેદરકારીના કારણે બોરતળાવ ની કૈલાશ બાલવાટીકાની સ્થિતિ દિવસેને દિવસે બદતર થતી જતી હોય છે. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં કમોસમી વરસાદે નબળી…

Continue reading
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
  • October 29, 2025

Bhavnagar: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાકમાર્કેટ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વર્ષો જૂની આ માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યા છે, જેના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

  • October 29, 2025
  • 3 views
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 13 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 17 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 18 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 18 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 13 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં