Ahmedabad: શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઈને શરમજનક બોર્ડ લગાવવા મામલે પોલીસે હાથ ખંખેર્યા, જાણો શું કહ્યું?

Ahmedabad: અમદાવાદ ગુજરાતનું હૃદય ગણાતું શહેર, આજે એક શરમજનક વાસ્તવિકતાને ઉજાગર કરતા બોર્ડથી ચર્ચામાં છે. સોલા વિસ્તારમાં બોર્ડ લગાવવામાં આવ્યા હતા જેના પર લખાયું હતુ કે  , “રાતની પાર્ટીઓમાં જવું નહીં, રેપ-ગેંગરેપ થઈ શકે છે.” આ પોસ્ટર અમદાવાદ ટ્રાફિક પોલીસના સહયોગમાં લગાવવામાં આવ્યા હતા. આ બોર્ડ ગુજરાતની ભાજપ સરકારના મહિલા સશક્તિકરણ અને સુરક્ષાના દાવાઓની પોલ ખોલે છે. કારણ કે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સરકારના નેતાઓ એવા બણગાં ફૂકે છે કે, ગુજરાતમાં અડધી રાત્રે પણ મહિલાઓ સુરક્ષિત છે ત્યારે પોલીસ પોતે જ એવા બોર્ડ લગાવે છે કે, રાતની પાર્ટીઓમાં જવું નહીં, રેપ-ગેંગરેપ થઈ શકે છે આ મહિલા સુરક્ષાના દાવાઓ પર સણસણતો તમાચો છે.ત્યારે આ મામલે વિવાદ વકરતા પોલીસે તેનાથી હાથ ખંખેરી લીધા છે અને કહી દીધું કે, આ બોર્ડ પોલીસની જાણ બહાર લગાવવામાં આવ્યા છે ત્યારે સવાલ તે થાય છે કે, આવું બની શકે ખરું કો કોઈ પણ પોલીસની જાણ બહાર તેમના નામનો ઉપયોગ કરીને બોર્ડ લગાવે અને પોલીસને તેની જાણ ન હોય ? ચાલો માની લીધું કે, કોઈએ જાણ બહાર આ બોર્ડ લગાવ્યા તો પછી આવું કરનાર સામે પોલીસે શું પગલા લીધા ?

અમદાવાદમાં મહિલાઓને રાત્રે બરા ન નિકળવાની સુચન આપતા બોર્ડ લાગ્યા 

ઉલ્લેખનીય છે કે,  છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 6,500થી વધુ બળાત્કારની ઘટનાઓ અને 36થી વધુ ગેંગરેપના કેસ નોંધાયા છે, એટલે કે રાજ્યમાં દરરોજ સરેરાશ 5થી વધુ બળાત્કારની ઘટનાઓ બની રહી છે. આ આંકડાઓ ગુજરાત સરકાર અને પોલીસ વિભાગની નિષ્ફળતાને સ્પષ્ટ કરે છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટે આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, “મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓ મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરે છે, પરંતુ અમદાવાદ જેવા મહાનગરમાં આવા બોર્ડ લાગવા એ ગુજરાતની શરમજનક વાસ્તવિકતા છે. શું ગુજરાતની મહિલાઓએ રાત્રે ઘરની બહાર ન નીકળવું? શું આ રીતે સરકાર મહિલા સશક્તિકરણની વાત કરે છે?”

મહિલાઓને સુરક્ષા આપવામાં પોલીસ નિષ્ફળ 

આ બોર્ડ એક તરફ મહિલાઓની સુરક્ષા માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ હોઈ શકે, પરંતુ બીજી તરફ તે ગુજરાત સરકાર અને અમદાવાદ પોલીસની નિષ્ફળતાનો પુરાવો છે. કેટલી શરમની વાત છે કે સરકાર અને પોલીસ મહિલાઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહ્યા છે, જેના કારણે સામાન્ય નાગરિકોને આવા બોર્ડ લગાવવાની ફરજ પડે છે. અમદાવાદ જેવા શહેરમાં, જ્યાં પોલીસ વિભાગનું માળખું બે ક્ષેત્રોમાં વહેંચાયેલું છે અને મહિલા સંબંધિત ગુનાઓ માટે ખાસ મહિલા પોલીસ સ્ટેશન પણ સ્થાપિત છે, ત્યાં આવા બોર્ડની જરૂર પડે એ ચોંકાવનારું છે.

આ મામલે અમદાવાદ પોલીસે શું જવાબ આપ્યો?  

આ પોસ્ટરો મામલે સવાલો ઉઠતા અમદાવાદ પોલીસે ટ્વિટ કરી જવાબ આપ્યો છે કે, અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગને ટ્રાફિક ઓવેરનેસ માટે મદદ કરવા માટે સતર્કતા ગ્રુપ NGO દ્વારા ટ્રાફિક અવેરનેસના પોસ્ટરો ટ્રાફિક પોલીસના સંકલનમાં લગાવામાં આવતા હતા અને અમદાવાદ શહેરમાં ટ્રાફિક અવેરનેસ નું કામ કરી રહ્યા હતા. પરંતુ આ પોસ્ટર NGO એ પોલીસની જાણ બહાર લગાવેલા હતા. અમદાવાદ શહેર પોલીસને જાણ થતા તાત્કાલિક બધા પોસ્ટરો હટાવી દેવાયા છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા આવા પોસ્ટર લગાવવા કોઇ પણ સૂચના આપવામાં આવી ન નથી. NGO એ પોતાની રીતે આ પોસ્ટર લગાવેલા હતા.

અમદાવાદ પોલીસે બોર્ડ લગાવવાની વાતથી હાથ ખંખેર્યા

આમ પોલીસે NGO એ પોતાની રીતે આ પોસ્ટર લગાવ્યા હતા તેવું કહીને હાથ ખંખેરી લીધા પરંતુ અહીં સવાલ તે થાય છે કે, કોઈ NGO પોસ્ટર મારે એ પણ ટ્રાફિક પોલીસના નામ લોગો સાથે અને આ મામલે ટ્રાફિક પોલિસને ખબર ન હોય તો આવા પોસ્ટર લગાવવા બદલ અમદાવાદ પોલીસે NGO સામે શું કાયૅવાહી કરી? શું કોઈ પણ NGO પોલીસના લોગોનો આવી રીતે ઉપયોગ કરી શકે ?

આ ઘટના એ સવાલ ઉભો કરે છે કે શું ગુજરાતમાં મહિલાઓ માટે ખરેખર સુરક્ષિત વાતાવરણ છે? ભાજપ સરકારે મહિલા સશક્તિકરણ માટે અનેક યોજનાઓ જાહેર કરી છે, પરંતુ જમીની હકીકત તેનાથી સાવ વિપરીત છે. આમ આદમી પાર્ટીએ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે, જેમાં તેઓએ પૂછ્યું છે કે જો મહિલાઓએ રાત્રે બહાર નીકળવું બંધ કરી દેવું હોય તો આવી સરકારની શું જરૂર?

અમદાવાદના આ બોર્ડે ગુજરાતની મહિલા સુરક્ષાના દાવાઓ પર મોટો પ્રશ્નાર્થ ઉભો કર્યો છે. જો સરકાર અને પોલીસ વિભાગ આવી ઘટનાઓને રોકવામાં સફળ નહીં થાય, તો મહિલાઓનો વિશ્વાસ ખોવાઈ જશે, અને આવા બોર્ડ રાજ્યની શાંતિ અને સુરક્ષાના દાવાઓ પર કાળો ડાઘ લગાવશે.

આ પણ વાંચો:

Kheda: દારુ કેસમાંથી બચાવવા ખેડા LCBનો પોલીસકર્મી 25 હજારની લાંચ લેતાં ઝડપાયો, જુઓ પછી શું થયા હાલ?

SSC CGL Protest: વિરોધ કરતા શિક્ષકોને પોલીસે લાકડીઓ મારી, કલાકો સુધી વાનમાં ફેરવ્યા, મહિલાઓને વોશરુમ પણ ન જવા દીધી…

Repressive Countries: મોદીની બ્રિટન મુલકાત બાદ ભારતને દમનકારી દેશોની યાદીમાં મૂક્યો, જાણો સમગ્ર મામલો

LPG Cylinder Rate: મહિનાના પહેલા દિવસે સારા સમાચાર; LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો નવી કિંમત શું છે?

Lumpy virus in Gujarat: ગુજરાતના પશુપાલકો માટે માઠાં સમાચાર, ફરી આવ્યો આ ખતરનાક વાયરસ

Related Posts

Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા
  • May 10, 2026

Gujarat Tribal Politics: ગુજરાતની ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં મોટા રાજકીય પક્ષો અને મંત્રીઓની ફોજ ઉતારવામાં આવી હતી, ત્યાં આદિવાસી નેતા ચૈતર વસાવા એક પ્રભાવક ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.…

Continue reading
Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!
  • May 9, 2026

Sabarmati Jail Sewage Water Farming: અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ગુજરાતની સૌથી મોટી જેલ છે, જ્યાં અંદાજે 4000 જેટલા કેદીઓ વસવાટ કરે છે. આ જેલ માત્ર ગુનેગારોને રાખવાનું સ્થળ નથી, પણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

  • May 11, 2026
  • 3 views
Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

  • May 11, 2026
  • 3 views
Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

  • May 11, 2026
  • 4 views
INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 9 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 11 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 10 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં