Odisha: 3 શખ્સોએ 15 વર્ષિય બાળકીને સળગાવી દીધી, સારવાર દરમિયાન થયું મોત, જાણો શું છે મોટું કારણ?

  • India
  • August 3, 2025
  • 0 Comments

Odisha Crime: ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ શનિવારે જણાવ્યું હતું કે, પુરી જિલ્લામાં પખવાડિયા પહેલા ત્રણ અજાણ્યા બદમાશોએ કથિત રીતે સળગાવી દેવામાં આવેલી 15 વર્ષની છોકરીનું દિલ્હીના ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)માં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. 19 જુલાઈની સવારે પુરી જિલ્લામાં ભાર્ગવી નદીના કિનારે ત્રણ અજાણ્યા વ્યક્તિઓએ છોકરીનું અપહરણ કરીને આગ લગાવી દેવામાં આવી હોવાનો આરોપ છે.

તેની માતાએ બાલંગા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી FIRમાં જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે બની જ્યારે સગીરા એક મિત્રને મળી ઘરે પરત ફરી રહી હતી. ત્રણ લોકોએ તેને રોકી, તેનું અપહરણ કર્યું અને તેના પર જ્વલનશીલ પદાર્થ છાંટીને તેને આગ લગાવી દીધી. પુત્રી 70 ટકાથી વધુ દાઝી ગઈ હતી. 19 જુલાઈના રોજ છોકરીને પહેલા પીપિલી કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં લઈ જવામાં આવી હતી. બાદમાં તે જ દિવસે ભુવનેશ્વરના એઈમ્સ લઈ જવામાં આવી હતી અને બીજા દિવસે એરલિફ્ટ કરીને દિલ્હીના એઈમ્સ લઈ જવામાં આવી હતી, જ્યાં ઓછામાં ઓછી બે ‘સર્જરી’ અને ‘ત્વચા કલમ’ કરવામાં આવી હતી. ઓડિશા પોલીસે શુક્રવારે દિલ્હી એઈમ્સના મેજિસ્ટ્રેટની હાજરીમાં પીડિતાનું નિવેદન નોંધ્યું હતું. જોકે તે જીવનનો જંગ હારી ગઈ. તે મોટને ભેટી છે.

‘મને ખૂબ જ આઘાત લાગ્યો છે’

ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “બાલંગા વિસ્તારની છોકરીના મૃત્યુના સમાચાર સાંભળીને મને ખૂબ જ આઘાત લાગ્યો છે. સરકારના તમામ પ્રયાસો અને દિલ્હીના AIIMSની નિષ્ણાત તબીબી ટીમના ચોવીસ કલાક પ્રયાસો છતાં, તેનો જીવ બચાવી શકાયો નહીં. હું છોકરીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તે તેના પરિવારને આ ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ સહન કરવાની શક્તિ આપે.” ઓડિશાના નાયબ મુખ્યમંત્રી કે.વી. સિંહ દેવ અને પી. પરિદાએ પણ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

નવીન પટનાયકે બાળકીના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું

બીજુ જનતા દળ (BJD) ના પ્રમુખ અને વિપક્ષી નેતા નવીન પટનાયકે સગીર બાળકીના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને મૃતક બાળકીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. રાજ્યસભાના સભ્ય સસ્મિત પાત્રાના નેતૃત્વમાં બીજેડી સાંસદોના એક પ્રતિનિધિમંડળે જણાવ્યું કે તેઓ દિલ્હી સ્થિત એઈમ્સ જઈ રહ્યા છે.

તપાસ તેજ

ઓડિશા પોલીસે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને દાવો કર્યો કે છોકરીને સળગાવી દેવાની ઘટનાની તપાસ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. પોલીસે દાવો કર્યો હતો કે આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી નથી અને દરેકને આ બાબતે કોઈ સનસનાટીભર્યા નિવેદનો ન આપવા વિનંતી કરી છે.

ઓડિશા પોલીસે ‘X’ પરની એક પોસ્ટમાં કહ્યું, “બલંગા ઘટનામાં પીડિત છોકરીના મૃત્યુના સમાચાર સાંભળીને અમને ખૂબ જ દુઃખ થયું છે. પોલીસે ખૂબ જ ઇમાનદારીથી તપાસ હાથ ધરી છે. તપાસ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. અત્યાર સુધી થયેલી તપાસ મુજબ, એ સ્પષ્ટ છે કે આમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી નથી. તેથી, અમે દરેકને વિનંતી કરીએ છીએ કે આ દુઃખદ ક્ષણ દરમિયાન આ કેસ અંગે કોઈ સંવેદનશીલ ટિપ્પણી ન કરો.”

ઓડિશા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (OPCC) ના પ્રમુખ ભક્ત ચરણ દાસે પણ શોક વ્યક્ત કર્યો અને છોકરીને આગ લગાડવામાં સંડોવાયેલા ત્રણ ગુનેગારોની સાત દિવસમાં ધરપકડ કરવાની માંગ કરી. “જો હવે સાત દિવસમાં ગુનેગારો પકડાશે નહીં, તો અમે DGP ઓફિસનો ઘેરાવ કરીશું,”.

તેમણે કહ્યું કે છોકરીને આગ લગાવવાની ઘટનાને 15 દિવસ વીતી ગયા છે, પરંતુ પોલીસ આ કેસમાં સંડોવાયેલા કોઈપણ ગુનેગારોની ધરપકડ કરી શકી નથી. દરમિયાન, સૂત્રોએ જણાવ્યું હતું કે પુરી પોલીસે બાલંગામાં મૃતક છોકરીના ઘર પાસે કેટલાક પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે.

આ પણ વાંચો:

Odisha: આત્મદાહ કરનાર વિદ્યાર્થિનીના મોતથી ભારે આક્રોશ, પ્રોફેસર સમીર સાહુએ વિદ્યાર્થીને કહ્યું હતુ ‘તું બાળક નથી, સમજી શકે છે કે હું શું કરવા માગું છું’

Ahmedabad: બાપુનગરમાં 7 વર્ષની બાળકીના રેપ-હત્યા કેસમાં 16 વર્ષ બાદ 2 શંકાસ્પદ શખ્સોની ધરપકડ, જાણો સમગ્ર મામલો

Chhota Udepur: રાયસીંગપુરા શાળાના શિક્ષક દંપતિની બદલી થતાં ગ્રામજનોએ કંઈક આ રીતે કર્યું સન્માન, જુઓ

Delhi: રાજ્યસભામાં CISF જવાનો તૈનાત કરાતાં હોબાળો, લોકતંત્રને ખતમ કરવાનો પ્રયાસ

UP: વિદ્યાર્થિની બસમાં દિલ્હી જતી હતી, બસ રોકતાં શૌચાલય જવા ઉતરી, પછી 4 શખ્સોએ પીછો કરી જે કર્યું તે જાણી ચોકી જશો!

UP: પ્રેમીએ પ્રેમિકાને પીડાવ્યો દારુ, પછી ગુપ્તાંગમાં હાથ નાખી મોતને ઘાટ ઉતારી, આ રીતે લીધો પિતાનો મોતનો બદલો, હચમચાવી નાખતો કિસ્સો

 

Related Posts

Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ
  • September 17, 2026

Modi Birthday School Celebration: દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે દિલ્હીની સરકારી શાળાઓમાં વિશેષ કાર્યક્રમો યોજવાના નિર્દેશને લઈને શિક્ષણ ક્ષેત્રે ચર્ચા શરૂ થઈ છે. દિલ્હીની ઓછામાં ઓછી 75 સરકારી…

Continue reading
Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ
  • September 17, 2026

Balaghat Baiga Children Deaths: મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લાના બિરસા-બૈહર વિસ્તારમાં ખસરો-રુબેલા સહિતના ચેપથી બૈગા સમુદાયના બાળકોનાં મૃત્યુએ આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. બોંદારી, કોંડેકસા,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ

  • September 17, 2026
  • 3 views
Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ

Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ

  • September 17, 2026
  • 4 views
Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ

Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

  • September 17, 2026
  • 5 views
Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 5 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં