Delhi: રાજ્યસભામાં CISF જવાનો તૈનાત કરાતાં હોબાળો, લોકતંત્રને ખતમ કરવાનો પ્રયાસ

  • India
  • August 1, 2025
  • 0 Comments

Delhi: રાજ્યસભામાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ની તૈનાતી પર વિપક્ષી પાર્ટીઓએ વિરોધ કર્યો છે. વિપક્ષી નેતાઓએ કહ્યું છે કે વેલમાં અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે જે વિરોધને રોકવાનો પ્રયાસ છે. મહાસચિવને મૌખિક ફરિયાદ કરવામાં આવી છે. ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ સાંસદો પ્રમોદ તિવારી, જયરામ રમેશ અને રાજ્યસભામાં વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે CISF કર્મચારીઓની હાજરી સંસદની ગરિમાની વિરુદ્ધ છે.

વિપક્ષનો આરોપ છે કે CISFનો ઉપયોગ વિપક્ષી સાંસદોના લોકશાહી વિરોધને દબાવવા અને ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા માટે થઈ રહ્યો છે. વિપક્ષ આ મુદ્દે મૌખિક અને લેખિત ફરિયાદો કરશે.

રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ઉપસભાપતિને ઉલ્લેખીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે  “હું રાજ્યસભામાં વિરોધ પક્ષો વતી તમને લખી રહ્યો છું. જ્યારે સભ્યો વિરોધ કરવાના તેમના લોકશાહી અધિકારનો ઉપયોગ કરી રહ્યા હોય ત્યારે CISF કર્મચારીઓને ગૃહના વેલમાં આવવાની ફરજ પાડવામાં આવે છે તે જોઈને અમને આઘાત લાગ્યો છે… અમે ગઈકાલે અને આજે પણ તે જોયું… શું આપણી સંસદ આ આટલો સ્તરે નચી ઉતરી ગઈ છે? આ અત્યંત વાંધાજનક છે, અમે તેની નિંદા કરીએ છીએ. અમને આશા છે કે ભવિષ્યમાં જ્યારે સભ્યો જાહેર હિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવશે ત્યારે CISF કર્મચારીઓ ગૃહમાં નહીં આવે.”

કોંગ્રેસના સાંસદ અને રાજ્યસભામાં ઉપનેતા પ્રમોદ તિવારીએ CISF ની તૈનાતી પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું, ‘ગૃહના વેલમાં અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે જે વિપક્ષી સાંસદોને રોકવાનો પ્રયાસ છે. આ કાર્યવાહીમાં અવરોધ ઉભો કરી રહ્યું છે.’

તિવારીએ કહ્યું કે  આ મુદ્દે રાજ્યસભાના મહાસચિવને મૌખિક ફરિયાદ કરી છે અને ટૂંક સમયમાં લેખિત ફરિયાદ પણ નોંધાવશે.

જયરામ રમેશે પણ નિશાન સાધ્યું

કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે રાજ્યસભામાં CISF કર્મચારીઓની તૈનાતી સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું, ‘રાજ્યસભાના અધ્યક્ષના અચાનક અને અભૂતપૂર્વ રાજીનામા પછી, હવે આપણે રાજ્યસભા ગૃહને CISF કર્મચારીઓ દ્વારા કબજે કરવામાં આવી રહ્યું છે તે જોઈ રહ્યા છીએ. રાજ્યસભામાં વિપક્ષના નેતાએ આ ચોંકાવનારા ઘટનાક્રમ પર રાજ્યસભાના ઉપાધ્યક્ષને પત્ર લખ્યો છે.’

આ પણ વાંચો:

UP: વિદ્યાર્થિની બસમાં દિલ્હી જતી હતી, બસ રોકતાં શૌચાલય જવા ઉતરી, પછી 4 શખ્સોએ પીછો કરી જે કર્યું તે જાણી ચોકી જશો!

UP: પ્રેમીએ પ્રેમિકાને પીડાવ્યો દારુ, પછી ગુપ્તાંગમાં હાથ નાખી મોતને ઘાટ ઉતારી, આ રીતે લીધો પિતાનો મોતનો બદલો, હચમચાવી નાખતો કિસ્સો

Wankaner: લુણસરીયામાં હનુમાનજીનો મુગટ ચોરાયો, નવ મહિનામાં ત્રીજીવાર ચોરી, છતાં પોલીસ સદંતર નિષ્ક્રિય

Panchmahal: પંચમહાલમાંથી 2 પ્રેમિકાને લઈ યુવકો મહેમદાવાદ ભાગી ગયા, સંબંધીઓએ ઉઠાવી લાવી બાંધીને માર માર્યો, જાણો સમગ્ર ઘટના

Rajkot: હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી રીબડા પેટ્રોલપંપ પર ફાયરિંગ કરનારા બે શખ્સો ઝડપાયા, મોટા ખૂલાસા

Kheda: દારુ કેસમાંથી બચાવવા ખેડા LCBનો પોલીસકર્મી 25 હજારની લાંચ લેતાં ઝડપાયો, જુઓ પછી શું થયા હાલ?

સુવેન્દુ અધિકારીને જોતાં જ TMC સમર્થકે ‘જય બાંગ્લા’ ના નારા લગાવ્યા, શુંભેન્દુ ગુસ્સે ભરાઈ ચાલતી પકડી

 

Related Posts

NALSAR University CJI: NALSARના વિદ્યાર્થીઓનો CJI સૂર્યકાંત સામે વિરોધ, દીક્ષાંત સમારોહના મુખ્ય અતિથિ બદલવા માંગ
  • August 10, 2026

NALSAR University CJI: હૈદરાબાદ સ્થિત નેશનલ એકેડમી ઑફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ (NALSAR) યુનિવર્સિટીના 2026 બેચના વિદ્યાર્થીઓએ પોતાના દીક્ષાંત સમારોહમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંતને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત…

Continue reading
Anandiben Patel: યોગી સરકાર પર રાજ્યપાલ આનંદીબેન પટેલના કડક સવાલ! લખનઉથી ગોરખપુર સુધી વહીવટ પર નિશાન
  • August 9, 2026

Anandiben Patel: ઉત્તર પ્રદેશના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યપાલ આનંદીબેન પટેલના નિવેદનો ભારે ચર્ચાનો વિષય બન્યા છે. ગોરખપુર બાદ હવે લખનઉમાં પણ તેમણે સરકારી યોજનાઓના અમલ, વંચિત સમાજ સુધી લાભ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NALSAR University CJI: NALSARના વિદ્યાર્થીઓનો CJI સૂર્યકાંત સામે વિરોધ, દીક્ષાંત સમારોહના મુખ્ય અતિથિ બદલવા માંગ

  • August 10, 2026
  • 3 views
NALSAR University CJI: NALSARના વિદ્યાર્થીઓનો CJI સૂર્યકાંત સામે વિરોધ, દીક્ષાંત સમારોહના મુખ્ય અતિથિ બદલવા માંગ

Anandiben Patel: યોગી સરકાર પર રાજ્યપાલ આનંદીબેન પટેલના કડક સવાલ! લખનઉથી ગોરખપુર સુધી વહીવટ પર નિશાન

  • August 9, 2026
  • 4 views
Anandiben Patel: યોગી સરકાર પર રાજ્યપાલ આનંદીબેન પટેલના કડક સવાલ! લખનઉથી ગોરખપુર સુધી વહીવટ પર નિશાન

Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ

  • August 9, 2026
  • 4 views
Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ

Supreme Court PKCL-RRVUNL Case: અદાણી-રાજસ્થાન સરકાર વિવાદમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય, આર્બિટ્રેશન કેસમાં મોટો ફેરફાર

  • August 9, 2026
  • 9 views
Supreme Court PKCL-RRVUNL Case: અદાણી-રાજસ્થાન સરકાર વિવાદમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય, આર્બિટ્રેશન કેસમાં મોટો ફેરફાર

RSS BJP Strategy: અયોધ્યા વિવાદથી Gen Z આંદોલન સુધી… RSS-BJPની અંદરની રાજનીતિનો ખુલાસો

  • August 9, 2026
  • 10 views
RSS BJP Strategy: અયોધ્યા વિવાદથી Gen Z આંદોલન સુધી… RSS-BJPની અંદરની રાજનીતિનો ખુલાસો

Northeast India News: પૂર્વોત્તરમાં સરકાર સામે બળવો? બંધ, ભ્રષ્ટાચાર અને સરહદી વિવાદે મચાવી હલચલ

  • August 9, 2026
  • 8 views
Northeast India News: પૂર્વોત્તરમાં સરકાર સામે બળવો? બંધ, ભ્રષ્ટાચાર અને સરહદી વિવાદે મચાવી હલચલ