Rajkot: ‘મોટા પપ્પા BJPમાં છે એટલે પોલીસ ફરિયાદ નથી લેતી’ ,પાટીદાર દીકરીએ રડતાં રડતાં કર્યા ગંભીર આક્ષેપ

Rajkot: રાજકોટમાં પાટીદાર સમાજની વિધવા મહિલા અંજુબેન અમૃતિયાને તેમના જ પરિવારજનો દ્વારા હેરાન કરવામાં આવી રહી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. મુંબઈમાં રહેતી તેમની દીકરી, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર રડતાં રડતાં વીડિયો અપલોડ કરી ન્યાયની માગ કરી છે.

અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે રાજકોટ પોલીસ પર આરોપ

અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે રાજકોટ પોલીસ પર આરોપ લગાવ્યો છે કે તેમના મોટા પપ્પા બિપિન અમૃતિયા ભાજપ સાથે સંકળાયેલા હોવાથી પોલીસ ફરિયાદ નોંધતી નથી. ક્રિસ્ટીનાએ શંકા વ્યક્ત કરી છે કે તેમના પિતા પરેશ અમૃતિયાની અચાનક મૃત્યુ પાછળ પણ આ જ લોકોનો હાથ હોઈ શકે છે.

પિતાના અવસાન બાદ પરિવારજનોએ મિલકત હડપ કરી લીધી

ક્રિસ્ટીનાએ જણાવ્યું કે તેમના પિતાના અવસાન બાદ પરિવારજનોએ તેમની તમામ મિલકત હડપ કરી લીધી છે. તેમની માતા રાજકોટમાં એકલાં રહે છે અને બિપિન અમૃતિયા, આનંદ અમૃતિયા સહિતના સબંધીઓ દ્વારા હેરાનગતિ અને હુમલાનો સામનો કરવો પડે છે. અંજુબેને રાજકોટ પોલીસ કમિશનરને અરજી કરી, આનંદ, દિનેશ, બિપિન અને અશોક અમૃતિયા વિરુદ્ધ ફરિયાદ કરી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી.

પોતાની અને માતાની સલામતીની કરી માંગ

ક્રિસ્ટીનાએ ગુજરાત પોલીસને તેમની માતાની સલામતી અને ન્યાયની માગ કરી છે, પ્રશ્ન ઉઠાવ્યો કે રાજકારણનો દુરુપયોગ કરી શું કોઈનો જીવ પણ લઈ શકાય? આ મામલે પોલીસની નિષ્ક્રિયતા પર સવાલ ઉભા થયા છે, ખાસ કરીને જ્યારે પાટીદાર સમાજ મહિલા સલામતી માટે સભાઓ કરી રહ્યો છે.

આનંદ અમૃતિયા અને દિનેશ અમૃતિયાનું નિવેદન

આ સમગ્ર મામલે જેમની પર આક્ષેપ થયા છે તેવા ક્રિષ્ટીના અમૃતિયા કૌટુંબીક ભાઈ આનંદ અમૃતિયા તેમજ કૌટુંબીક કાકા દિનેશ અમૃતિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે પોતાના પર લગાવવામાં આવેલા તમામ આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા હતા.

આનંદ અમૃતિયાએ જણાવ્યું હતું કે, ક્રિષ્ટીનાના પિતા તેમજ મારા કૌટુંબિક કાકા પરેશ અમૃતિયા દ્વારા તેમની તમામ મિલકતની એક વીલ બનાવવામાં આવી હતી. જે અંતર્ગત તેમણે તેમની જે કંઈ પણ સંપત્તિ હતી તે મારા નામ ઉપર કરી છે. મારા કાકી અંજુ અમૃતિયા તેમના પતિ પરેશ અમૃતિયાથી અલગ રહેતા હતા. તેમજ જુદા રહેતા હોવાના કારણે મારા કાકા વિરુદ્ધ પોતાનું તેમજ પોતાની દીકરી ક્રિસ્ટીનાના ભરણપોષણ મામલે કોર્ટમાં દાવો પણ દાખલ કરેલો હતો.

સીસીટીવી ફૂટેજ બાબતે શું કહ્યું ?

વધુમાં તેમણે કહ્યું કે, ક્રિષ્ટીના દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી જે સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે. તે મારું ઘર છે નહીં કે ક્રિષ્ટીનાના માતાનું ઘર. મારા કાકાએ નોમીનીમાં મારું નામ લખ્યું હતું. મારા કાકી દ્વારા જે ઘરેણા બાબતેના આક્ષેપો કરવામાં આવ્યા છે તે પણ પાયા વિહોણા છે. મારી પાસે કોઈપણ જાતના સોનાના દાગીના નથી. મારા કાકાની કાર જે નોમીનીમાં મારું નામ હતું તે પણ હાલ તેમની પાસે છે.

ક્રિષ્ટીના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે

વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતુ કે, આ મામલે અમે જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરીશું. દિનેશ અમૃતિયા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, જે વડીલો ઉપાર્જિત 12 વીઘા જમીનની વાત છે. તે મામલે હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

આ પણ વાંચો:

‘રસ્તા પર ખાડા પડે તો, ફોન ન કરવાના, પાવડો-તગારો, લઈ આવો અને જાતે પુરી દો : Kuber Dindor

Shibu Soren: ઝારખંડના પૂર્વ CM શિબુ સોરેનનું નિધન, લાંબા સમયથી બીમાર હતા

Dahod: અંધેરી નગરી ને ગંડુ રાજા જેવી સ્થિતિ! રસ્તો તો બની ગયો, પરંતુ તંત્ર વીજળીનો થાંભલો હટાવવાનું ભૂલી ગયું

Bihar Accident: બિહારમાં યાત્રાળુઓથી ભરેલી પિકઅપ વાન પલટી , 5 લોકોના મોત

Related Posts

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
  • October 29, 2025

Bhavnagar: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાકમાર્કેટ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વર્ષો જૂની આ માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યા છે, જેના…

Continue reading
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં
  • October 29, 2025

Narmada: આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવા દ્વારા AAP નેતાઓ પર કરવામાં આવેલા આક્ષેપોને નકારતા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 4 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 8 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

  • October 29, 2025
  • 18 views
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

  • October 29, 2025
  • 12 views
ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

  • October 29, 2025
  • 17 views
કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

  • October 29, 2025
  • 15 views
Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી