Sofiya Qureshi-Vyomika Singh In KBC: આઝાદ ભારતમાં પહેલીવાર સેનાની વર્દી પહેરી ટીવીના મનોરંજક કાર્યક્રમમાં જવાની પરવાનગી આપતી મોદી સરકાર

  • India
  • August 15, 2025
  • 0 Comments

Sofiya Qureshi-Vyomika Singh In KBC: તાજેતરમા રાહુલ ગાંધીએ ભાજપ અને ચૂંટણીપંચ પર વોટચોરીનો આક્ષેપ કર્યો જેનો તેમની પાસે કોઈ જવાબ નથી હવે આ મામલે લોકો પણ સવાલ કરી રહ્યા છે રાહુલ ગાંધીએ પુરાવા સાથે વોટચોરીનો પર્દાફાશ કર્યો છે જેના કારણે ચૂંટણીપંચ અને ભાજપ ભીંસમાં આવી છે ત્યારે તેઓ આ મુદ્દાને ડાયવર્ટ કરવા માટે હવે ભારતીય સેનાની વિરાંગનાઓનો ઉપયોગ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

KBC માં ઓપરેશન સિંદૂરની મુખ્ય મહિલા અધિકારીઓની હાજરી

બોલિવૂડ સુપરસ્ટારનો રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ એટલે કે કેબીસી-17 આ દિવસોમાં ચર્ચામાં છે. 15 ઓગસ્ટે શો કેબીસી 17નો ‘મહા ઉત્સવ’ સ્પેશિયલ એપિસોડ આવશે, જેમાં ઓપરેશન સિંદૂરની મુખ્ય મહિલા અધિકારીઓ – કર્નલ સોફિયા કુરેશી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કમાન્ડર પ્રેરણા દેવસ્થલી ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC) સ્વતંત્રતા દિવસના ખાસ એપિસોડમાં જોવા મળશે.

મનોરંજન કાર્યક્રમમાં લશ્કરી અધિકારીઓની હાજરીથી વિવાદ

KBC 17નો ‘મહા ઉત્સવ’ સ્પેશિયલ એપિસોડ સ્વતંત્રતા દિવસ પર રિલીઝ થવા જઈ રહ્યો છે. ટ્રેલરમાં, મહિલા અધિકારી અમિતાભ બચ્ચન સાથે ઓપરેશન સિંદૂરને લઈને વાત કરતી અને પ્રશ્નોના જવાબ આપતી જોવા મળે છે. આ શોમાં સૌથી વધુ ઓપરેશન સિંદૂરની જ થાય છે જેની એક ક્લિપ સોશિયલ મીડિયા પર સામે આવી છે. જે બાદ આ કાર્યક્રમમાં લશ્કરી અધિકારીઓની હાજરીએ વિવાદ ઉભો કર્યો છે. કારણ કે, કોઈ પણ સેનાના અધિકારી સરકારની મંજૂરી વગર યુનિફોર્મમાં આવી રીતે ટીવી શોમાં ન ભાગ લઈ શકે એટલે સ્પષ્ટ છે કે, સરકારે તેમને આ શો માટે મોકલ્યા છે. જેથી લોકો સવાલ કરી રહ્યા છે કે, શું સક્રિય સેવામાં રહેલા અધિકારીઓ આ રીતે સંપૂર્ણ ગણવેશ પહેરીને મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. ઘણા લોકોએ તેને પીઆર અથવા રાજકીય લાભ માટે સશસ્ત્ર દળોનો ઉપયોગ ગણાવ્યો હતો.

ભાજપનું વોટ ચોરીના મુદ્દાને ડાયવર્ટ કરવા નવું ગતકડું

ભારતીય સેનાના ડ્રેસ કોડ મુજબ, યુનિફોર્મ પહેરવાની આવી પરવાનગી ફક્ત લેખિત પરવાનગીથી જ શક્ય છે. એક તરફ, તે જાહેર સેવા અને દેશભક્તિ દર્શાવી રહ્યું હતું, તો બીજી તરફ, તે પ્રોટોકોલ અને લશ્કરી ગરિમા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. કારણે આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ભાજપ પર વોટ ચોરીના આક્ષેપ લાગ્યા છે એટલા માટે સવાલ થાય છે કે, શું ઓપરેશન સિંદૂરની મહિલા અધિકારીઓને મનોરંજન ટીવી શો KBC માં મોકલી સરકાર મત ચોરીના મુદ્દા પરથી લોકોને ભટકાવવા માંગે છે ?

રાજકીય વિશ્લેષકો શું કહે છે?

આ ઘટનાને રાજકીય રીતે પ્રેરિત ગણાવવામાં આવી રહ્યું છે, ખાસ કરીને એવા સમયે જ્યારે રાહુલ ગાંધીએ #VoteChori અભિયાન શરૂ કરીને ચૂંટણીમાં કથિત ગેરરીતિઓનો આરોપ લગાવ્યો છે. આ અભિયાને ભાજપ અને ચૂંટણી પંચની ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલો ઉભા કર્યા છે. વિશ્વેષકોનું માનવું છે કે સેનાના અધિકારીઓનો KBCમાં દેખાવ એ ભાજપ સરકારની એક રણનીતિ હોઈ શકે છે, જેનો હેતુ દેશભક્તિની ભાવના જગાડીને જનતાનું ધ્યાન આ વિવાદથી હટાવવાનો છે.

રાજુ પારુલેકરે શું કહ્યું?

આ મામલે રાજકીય વિશ્લેષક રાજુ પારુલેકરે ટ્વિટ કરીને જણાવ્યું કે, 1954ના આર્મી રૂલ્સના નિયમ 20 અને 21 મુજબ, ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાના અધિકારીઓને રાજકીય બાબતોમાં ભાગ લેવાની કે સેવા સંબંધિત માહિતી સરકારની પૂર્વ મંજૂરી વિના જાહેર કરવાની સખત મનાઈ છે. આ નિયમો અનુસાર, અધિકારીઓ કોઈપણ રાજકીય સંગઠન સાથે જોડાઈ શકે નહીં, રાજકીય બેઠકોમાં હાજરી આપી શકે નહીં કે રાજકીય હેતુઓ માટે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં ભાગ લઈ શકે નહીં. આવા સંજોગોમાં, ભારતીય સેનાના સેવારત અધિકારીઓનો ગણવેશમાં ‘કૌન બનૈગા કરોડપતિ’ (KBC) જેવા લોકપ્રિય ટેલિવિઝન શોમાં દેખાવ એ ચોક્કસપણે સરકારની મંજૂરી વિના શક્ય નથી. આ ઘટનાએ રાજકીય વિવાદને જન્મ આપ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દેખાવ નરેન્દ્ર મોદી શાસન દ્વારા દેશભક્તિનો ઉન્માદ ફેલાવવા અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા શરૂ કરાયેલા #VoteChori અભિયાનથી લોકોનું ધ્યાન ભટકાવવાની એક રાજકીય ચાલ હોઈ શકે છે.

પ્રિયંકા ચતુર્વેદીની ટિપ્પણી

શિવસેના (UBT) ના પ્રિયંકા ચતુર્વેદીએ પણ આ શો પર ટિપ્પણી કરી છે. X પરની એક પોસ્ટમાં, તેમણે કહ્યું, “ઓપરેશન સિંદૂરનો ચહેરો બનેલી આપણી બહાદુર ગણવેશધારી મહિલાઓને એક ખાનગી મનોરંજન ચેનલ દ્વારા તેના શોમાં આમંત્રિત કરવામાં આવી છે. આ ખાનગી મનોરંજન ચેનલની પેરેન્ટ કંપની, સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા (SPNI) એ 2031 સુધી એશિયા કપના પ્રસારણ અધિકારો પણ હસ્તગત કરી લીધા છે. હા, એ જ ચેનલ જે ભારત વિરુદ્ધ પાકિસ્તાન ક્રિકેટ મેચ દ્વારા પૈસા કમાવવા માંગે છે. હવે બંનેને કનેક્ટ કરો.”

ઓપરેશન સિંદૂરનો રાજકીય ઉપયોગ

ઓપરેશન સિંદૂરની આસપાસનો વિવાદ એ દાવા સાથે વધુ જટિલ બન્યો છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓને કારણે ભારતે આ ઓપરેશનને અટકાવ્યું હતું. આ દાવાઓએ ભાજપ સરકારની નીતિઓ અને તેની રાજકીય રણનીતિઓ પર પ્રશ્નો ઉભા કર્યા છે. વિશ્લેષકોનું માનવું છે કે ભાજપ આ ઓપરેશનનો ઉપયોગ રાજકીય ફાયદા માટે કરી રહી છે, ખાસ કરીને એવા સમયે જ્યારે રાહુલ ગાંધીના #VoteChori આરોપોએ ચૂંટણી પંચ અને સરકારને કટઘરામાં ઉભા કર્યા છે. આ આરોપોનો કોઈ સ્પષ્ટ જવાબ ન આપી શકતાં, સરકારે KBC જેવા લોકપ્રિય મંચનો ઉપયોગ કરીને દેશભક્તિની ભાવના જગાડવાનો પ્રયાસ કર્યો હોવાનું મનાય છે.

રાજનાથસિંહ સંસદમાં જુઠ્ઠું બોલ્યા

ઓપરેશન સિંદૂર, જે હજુ પૂર્ણ થયું નથી, તેની આસપાસ પણ ઘણો વિવાદ ચાલી રહ્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદમાં દાવો કર્યો હતો કે આ ઓપરેશનમાં ભારતીય સેનાને કોઈ નુકસાન થયું નથી. જોકે, આ નિવેદનની વિરુદ્ધમાં, ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે તાજેતરમાં રાજસ્થાનના ઝુનઝુનુમાં શહીદ સાર્જન્ટ સુરેન્દ્ર સિંહ મોગાના પરિવારની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે શહીદ સુરેન્દ્રના બલિદાનની પ્રશંસા કરી અને કહ્યું કે તેમનું બલિદાન ક્યારેય ભૂલાશે નહીં. શહીદના પરિવારે પણ સરકારના વલણ પર નારાજગી વ્યક્ત કરી, એમ કહીને કે સરકાર વળતર આપવામાં નિષ્ફળ રહી છે અને શહીદીને નકારવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાએ ઓપરેશન સિંદૂરની સફળતા અને સરકારની નીતિઓ પર સવાલો ઉભા કર્યા છે.

સરકારે સેનાની જવાનની શહિદીને ભુલાવી

શહીદ સાર્જન્ટ સુરેન્દ્ર સિંહ મોગાના બલિદાને નજર અંદાજ કરવાનો આરોપ સરકાર પર લાગી રહ્યો છે. એર ચીફ માર્શલની મુલાકાતે આ વિવાદને વધુ હવા આપી છે, કારણ કે તેમની મુલાકાતે સ્પષ્ટ કર્યું છે કે સુરેન્દ્ર સિંહ ઓપરેશન સિંદૂરના હીરો હતા. જનતા અને શહીદના પરિવારનું માનવું છે કે સરકાર દેશના જવાનોના બલિદાનને રાજકીય હેતુઓ માટે ઉપયોગ કરી રહી છે, જ્યારે તેમની શહાદતની કિંમત આપવામાં નિષ્ફળ રહી છે. આ ઘટનાએ સરકારની નીતિઓ અને તેની પ્રાથમિકતાઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

આ ઘટનાઓ સૂચવે છે કે સરકાર દેશભક્તિની ભાવનાનો ઉપયોગ રાજકીય વિવાદોમાંથી ધ્યાન ભટકાવવા માટે કરી રહી  છે. જોકે, આવા પ્રયાસો શહીદોના બલિદાન અને સેનાની નિષ્ઠા પર પણ પ્રશ્નો ઉભા કરે છે. જનતા હવે આ મુદ્દાઓ પર વધુ પારદર્શિતા અને જવાબદારીની માંગ કરી રહી છે, જેથી દેશના જવાનોનું સન્માન અને તેમના બલિદાનની કદર થઈ શકે.

આ પણ વાંચો 

ચૂંટણી પંચે એક પંચાયતમાં 50 લોકોને મારી નાખ્યા, Rahul gandhi એ મૃતકો સાથે ચા પીધી, જાણો તેમણે શું કહ્યું?

Shilpa And Raj Kundra:બોલિવૂડની ફિટનેસ ગુરુ શિલ્પા અને રાજનું 60 કરોડનું ‘ફિટનેસ ફ્રોડ’ ! ઉદ્યોગપતિ કેવી રીતે ઠગાયો?

Surat: અર્ધનગ્ન હાલતમાં 60 ફૂટ ઉંચા ઝાડ પર કેમ ચઢી મહિલા? ભારે જહેમત બાદ ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

UP News: દીકરી બે વાર ઘરેથી ભાગી, બદનામીથી નારાજ પિતાએ આપ્યું ભયાનક મોત

Uttar Pradesh: માતાને પ્રેમી સાથે રંગરેલિયા મનાવતા જોયા, લફરું ખુલ્લું પડી જવાના ડરથી બાળક સાથે કર્યુ આવું

UP news:છોકરી બોયફ્રેન્ડ સાથે પિઝા ખાવા ગઈ, તેનો ભાઈ લોખંડનો સળિયો લઈને આવ્યો, પછી જે થયું તે જાણી ચોંકી જશો

 

  • Related Posts

    Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ
    • June 24, 2026

    Shiv Sena Rebellion History: મુંબઈના રાજકીય ગલિયારાઓમાં શિવસેનાનું નામ આવે એટલે મનમાં બાળાસાહેબ ઠાકરેનું પ્રચંડ વ્યક્તિત્વ અને રસ્તા પરના પ્રચંડ આંદોલનો યાદ આવે. પરંતુ, ૧૯૬૬માં સ્થાપિત થયેલી આ પાર્ટી આજે…

    Continue reading
    Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ
    • June 24, 2026

    Lucknow Coaching Centre Fire: સોમવારે લખનૌના અલીગંજ વિસ્તારમાં જે હૃદયદ્રાવક ઘટના બની, તેમાં ૧૫ નિર્દોષ લોકોના મૃત્યુએ માત્ર તેમના પરિવારોને જ નહીં, પણ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ૧૯ થી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

    • June 24, 2026
    • 3 views
    Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

    Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

    • June 24, 2026
    • 3 views
    Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

    Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

    • June 24, 2026
    • 4 views
    Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

    Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

    • June 23, 2026
    • 6 views
    Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

    Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

    • June 23, 2026
    • 12 views
    Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

    Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

    • June 23, 2026
    • 13 views
    Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને