Gujarat Politics: ગુજરાતમાં તમે નામ નહીં સાંભળ્યા હોય તેવી પાર્ટીઓને 4300 કરોડનું દાન ક્યાંથી મળ્યું?

Gujarat Politics: ગુજરાતમાં નોંધાયેલી 10 અનામી રાજકીય પક્ષોને ગત પાંચ વર્ષ (2019-20થી 2023-24) દરમિયાન કુલ 4300 કરોડ રૂપિયાનું દાન મળ્યું હોવાનું ચૂંટણી પંચના અહેવાલોમાંથી સામે આવ્યું છે. આ ચોંકાવનારી માહિતીએ રાજકીય વર્તુળમાં ખળભળાટ મચાવી દીધો છે, જેમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે આ પાર્ટીઓએ આટલી મોટી રકમનો ઉપયોગ કઈ રીતે કર્યો?

દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 2019ની લોકસભા ચૂંટણી, 2022ની વિધાનસભા ચૂંટણી અને 2019, 2024ની  લોકસભા ચૂંટણીઓના સમયગાળા દરમિયાન આ 10 પક્ષોએ મળીને માત્ર 43 ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને કુલ 54,069 મતો જ મેળવ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે, આ પક્ષોએ ચૂંટણી પંચને સુપરત કરેલા અહેવાલોમાં ચૂંટણી ખર્ચ માત્ર ₹39.02 લાખ દર્શાવ્યો છે, જેની સામે ઓડિટ રિપોર્ટમાં ₹3500 કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. આ મોટા તફાવતથી નાણાકીય અસ્પષ્ટતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓના સંદેહને જન્મ આપ્યો છે. આ દાન મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હરિયાણાનો લોકોએ કર્યું છે.

પાર્ટીઓના જવાબોમાં અસ્પષ્ટતા

2022-23માં 407 કરોડ રૂપિયાના દાન મળવાની ઘટના પર ન્યૂ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટીના રાષ્ટ્રીય વડા અમિત ચતુર્વેદીએ કહ્યું, “મને એકાઉન્ટની વિગતો બાબતે મારા CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)ને પૂછવું પડશે. ચૂંટણી ખર્ચનું નિવેદન અપલોડ કરવામાં આવ્યું છે, પરંતુ નાની પાર્ટી હોવાથી તે 15 દિવસમાં ગાયબ થઈ જાય છે.” બીજી તરફ, સત્યવાદી રક્ષક પાર્ટીના કાર્યકારી વડા બિરેન પટેલે ઓડિટ અને કોન્ટ્રીબ્યુશન રિપોર્ટ વચ્ચેના તફાવત પર કહ્યું, “મને એકાઉન્ટિંગની ખાસ સમજ નથી. તેથી CAના હિમાયતીઓ રિપોર્ટ સંભાળે છે. આ વખતે મ્યુનિસિપલ ચૂંટણીમાં 80-90 ઉમેદવારો ઉભા રાખવાની તૈયારીઓ છે.”

23 રાજ્યોમાંથી દાનનો સ્ત્રોત

ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનરના યોગદાન અહેવાલ મુજબ, આ પક્ષોને 23 રાજ્યોમાંથી દાતાઓ પાસેથી દાન મળ્યું હતું. જોકે, BNJD, સત્યવાદી રક્ષક અને જન-માન પાર્ટીએ બધા વર્ષો માટે ચૂંટણી અને ઓડિટ અહેવાલ રજૂ કર્યા છે, તો હ્યુમન રાઇટ્સ નેશનલ પાર્ટીએ એક પણ રજૂઆત નથી કરી.

ઓડિટ રિપોર્ટમાં ચૂંટણી ખર્ચ ₹353 કરોડનો અંદાજ  

5 વર્ષ દરમિયાન આ રાજકીય પક્ષોએ ઓડિટ રિપોર્ટમાં ચૂંટણી ખર્ચ તરીકે ₹352.13 કરોડ દર્શાવ્યા છે. આમાં, ભારતીય જન પરિષદે ₹177 કરોડ, સૌરાષ્ટ્ર જનતા પક્ષે ₹141 કરોડ, સત્યવાદી રક્ષકે ₹10.53 કરોડ, લોકશાહી સત્તા પાર્ટીએ ₹22.82 કરોડ દર્શાવ્યા છે. અન્ય પક્ષોએ ઓડિટ રિપોર્ટમાં ચૂંટણી ખર્ચની વિગતો દર્શાવી નથી અથવા નિર્ધારિત ફોર્મેટ મુજબ ખર્ચ દર્શાવ્યો નથી.

10 અનામી રાજકીય પક્ષોના નામ

લોકશાહી સત્તા પાર્ટી
ભારતીય નેશનલ જનતા દળ
સ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટી
ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી
સત્યવાદી રક્ષક પાર્ટી
ભારતીય જન પરિષદ
સૌરાષ્ટ્ર જનતા પક્ષ
જન મન પાર્ટી
માનવ અધિકાર નેશનલ પક્ષ
ગરીબ કલ્યાણ પાર્ટી

આ માહિતીથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતની આ રાજકીય પક્ષોના નાણાકીય વ્યવહારોમાં ગંભીર અસ્પષ્ટતા છે. ચૂંટણી પંચ અને સંબંધિત અધિકારીઓ હવે આ મામલે તપાસની શક્યતા શોધી રહ્યા છે. જો આ દાવાઓ સાચા સાબિત થયા, તો આ પક્ષો સામે કડક કાર્યવાહી થઈ શકે છે, જે રાજકીય નાણાકીય નિયમોની કડક અમલ માટે પણ એક મહત્વપૂર્ણ પગલું બની શકે છે.

રાહુલ ગાંધીની પ્રતિક્રિયા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ અંગે x પર પોસ્ટ કરતાં લખ્યું ગુજરાતમાં કેટલીક અનામી પાર્ટીઓ છે ,જેમનું નામ કોઈએ સાંભળ્યું નથી,પણ તેમને 4300 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે! આ પાર્ટીઓએ બહુ ઓછી ચૂંટણી લડી છે, અથવા તેમના પર ખર્ચ કર્યો છે. આ હજારો કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા? તેમને કોણ ચલાવી રહ્યું છે? અને પૈસા ક્યાં ગયા? શું ચૂંટણી પંચ તપાસ કરશે – અથવા તે અહીં પણ સોગંદનામું માંગશે? અથવા તે કાયદો જ બદલશે, જેથી આ ડેટા પણ છુપાવી શકાય?

 

આ પણ વાંચો:

Meerut: ગુર્જરોને છાતીમાં ગોળી વાગે અને ખભે લખેલું હોય રાજપૂત, ‘ગુર્જરોને રાજપૂત રેજિમેન્ટથી અલગ કરો’, કેમ માંગ ઉઠી?

સુરતની BRTS બસમાં પાર્ટીની મંજૂરી કોણે આપી?, ગોવાની પાર્ટીને ટક્કર મારતા જલસા કર્યા

Trump Tariff: મોદી મિત્ર ટ્રમ્પનો ભારત પર 50 ટકા ટેરિફ લાગુ, ભારતની કેટલી તૈયારઓ?

Jamnagar: અંબાણી ક્યાંથી પ્રાણીઓ પકડી લાવે છે?, અનંત અંબાણીનું વનતારા શંકાના ઘેરામાં કેમ આવ્યું?

Ahmedabad: ‘નયનની હત્યાને હિન્દુ-મુસ્લિમનો રંગ ના આપો’, VHPના ધર્મેન્દ્ર ભવાની અંગે મુસ્લિમ સમાજે શું કહ્યું?

Ahmedabad: મોદીના બંદોબસ્ત માટે આવેલા બે મહિલા કર્મચારીઓના મોત કેવી રીતે થયા?

Lover Death: પ્રેમિકા સાથે સંબંધ બનાવતી વખતે પરણિત પુરુષનું મોત, કોર્ટે પ્રેમિકાને કેમ દંડ ફટકાર્યો?

  • Related Posts

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
    • September 13, 2026

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

    Continue reading
    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
    • September 13, 2026

    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Rahul Gandhi Indore: ઇન્દોરમાં રાહુલ ગાંધીનો મોટો દાવો, ‘દેશની સિસ્ટમ 6 લોકો ચલાવી રહ્યા છે’

    • September 20, 2026
    • 5 views
    Rahul Gandhi Indore: ઇન્દોરમાં રાહુલ ગાંધીનો મોટો દાવો, ‘દેશની સિસ્ટમ 6 લોકો ચલાવી રહ્યા છે’

    DUSU Election 2026 માં ABVPનો દબદબો યથાવત, 4માંથી 3 સીટો જીતી, NSUIનું ખાતું પણ ન ખુલ્યું

    • September 20, 2026
    • 5 views
    DUSU Election 2026 માં ABVPનો દબદબો યથાવત, 4માંથી 3 સીટો જીતી, NSUIનું ખાતું પણ ન ખુલ્યું

    Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

    • September 20, 2026
    • 6 views
    Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

    West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

    • September 19, 2026
    • 5 views
    West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

    Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

    • September 19, 2026
    • 7 views
    Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

    West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

    • September 19, 2026
    • 7 views
    West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી