Vadodara: ગણેશમૂર્તિ પર ઈંડા ફેંકનાર 3 શખ્સો ઝડપાયા, પછી પોલીસે આવા કર્યા હાલ?

Vadodara 3 Accused Throwing Eggs: વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ભારે રોષ ફેલાવ્યો હતો. આ ઘટના માંજલપુરના ગણેશ મંડળ દ્વારા શ્રીજીની પ્રતિમાની સ્થાપના દરમિયાન બની હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા અને બે આરોપીઓનું જાહેર સરઘસ કાઢીને તેમને માફી મંગાવી હતી. આ ઘટનાએ શહેરમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે, પરંતુ પોલીસની સમયસર કાર્યવાહીએ મામલો થાળે પાડ્યો.

રાત્રે ફેંક્યા હતા ઈંડા

ગણેશોત્સવની ઉજવણીના ભાગરૂપે માંજલપુરમાં ગણેશ મંડળ દ્વારા શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. મોડી રાત્રે 25 ઓગસ્ટના રોજ અંદાજે 2:30 વાગ્યાની આસપાસ, પાણીગેટ પાસેના મદાર માર્કેટ નજીક કેટલાક અજાણ્યા શખ્સોએ પ્રતિમા પર ઈંડા ફેંક્યા હતા. આ ઘટનાએ સ્થાનિક ગણેશ મંડળો અને ભક્તોમાં ભારે રોષ ફેલાવ્યો હતો. ગણેશજીની પ્રતિમાનું અપમાન થતાં સ્થાનિક ભાજપ કાર્યકરો અને ભક્તોમાં પણ આક્રોશ જોવા મળ્યો.

સગીર સહિત ત્રણની ધરપડ

આ ઘટનાની જાણ થતાં વડોદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઝડપી પગલાં લીધાં. પોલીસે 12 અલગ-અલગ ટીમો બનાવી અને ઘટનાસ્થળની નજીકના સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી. ગણતરીના કલાકોમાં જ પોલીસે એક સગીર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓની ઓળખ સુફિયાન મન્સૂરી અને શાહ નવાઝ ઉર્ફે બડબડ કુરેશી તરીકે થઈ, જ્યારે ત્રીજો આરોપી સગીર હોવાનું જાણવા મળ્યું.

બે શખ્સોને જાહેરમાં માફી મંગાવી

પોલીસે આરોપી સુફિયાન મન્સૂરી અને શાહનવાઝ કુરેશીનું સીટી પોલીસ મથક વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આ દરમિયાન બંને આરોપીઓ હાથ જોડીને ઘૂંટણિયે પડી માફી મંગાવી હતી.

આ ઘટનાએ ગણેશ મંડળો અને સ્થાનિક ભાજપ કાર્યકરોમાં ભારે આક્રોશ ઉભો કર્યો હતો. જોકે, પોલીસની ઝડપી કાર્યવાહી અને કડક પગલાંઓએ મામલો થાળે પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. સ્થાનિક ગણેશ મંડળના એક સભ્યએ જણાવ્યું, “અમે આ ઘટનાથી ખૂબ જ દુઃખી છીએ, પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ન્યાયની ખાતરી આપી છે. અમે શાંતિ જાળવીશું અને ગણેશોત્સવની ઉજવણી ચાલુ રાખીશું.”

આ પણ વાંચો:

Vadodara: ભગવાન ગણેશની મૂર્તિ પર ઈંડા કોણે ફેંક્યા?, ભક્તોમાં રોષ

Vote Scam: મોદી ભલે ડિગ્રી છૂપાવે, વોટ કૌભાંડથી કેવી રીતે બચશે?, શું મોદીના વળતાં પાણી?

વોટ ચોરી ગુજરાતથી શરૂ થઈ, ગુજરાત મોડલ વોટ ચોરીનું મોડલ: Rahul Gandhi

Punjab: પૂરના પાણીમાં 400 વિદ્યાર્થીઓ અને 40 શિક્ષકો ફસાયા, જુઓ સ્થિતિ

સુરતની BRTS બસમાં પાર્ટીની મંજૂરી કોણે આપી?, ગોવાની પાર્ટીને ટક્કર મારતા જલસા કર્યા

Related Posts

Dwarka GSPL Gas Pipeline: દ્વારકામાં GSPL ગેસ પાઈપલાઈન સામે ખેડૂતોનો વિરોધ, 39 ગામોમાં ઉગ્ર આંદોલન
  • July 26, 2026

દિલીપ પટેલ અમદાવાદ, 26 જૂલાઈ 2026 Dwarka GSPL Gas Pipeline: 21 જૂલાઈ 2026ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં GSPL કંપની દ્વારા વડાલિયા–સિંડણથી પાડલી સુધી નાખવામાં આવી રહેલી 100 કિલોમીટરની 18 ઇંચની ગેસ…

Continue reading
Modi Gujarat protests: પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના સમયમાં ગુજરાતમાં અનેક વખત લાઠીચાર્જ, 4 વખત જનતાના આંદોલન પર ક્રૂરતાથી પોલીસ તૂટી પડી હતી
  • July 24, 2026

Modi Gujarat protests: પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના સમયમાં ગુજરાતમાં અનેક વખત લાઠીચાર્જ, 4 વખત જનતાના આંદોલન પર ક્રૂરતાથી પોલીસ તૂટી પડી હતી દિલીપ પટેલ અમદાવાદ, 23 જૂલાઈ 2026 Modi Gujarat…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surya Press Narendra Modi Book: સૂર્યા પ્રેસે મોદીનું પુસ્તક છાપ્યું, પેપર લીક કરવાનો પરવાનો લીધો

  • July 27, 2026
  • 4 views
Surya Press Narendra Modi Book: સૂર્યા પ્રેસે મોદીનું પુસ્તક છાપ્યું, પેપર લીક કરવાનો પરવાનો લીધો

Delhi DCW-DMC Appointments: દિલ્હી મહિલા આયોગનું તાળું ખુલ્યું! અઢી વર્ષ બાદ અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક

  • July 27, 2026
  • 3 views
Delhi DCW-DMC Appointments: દિલ્હી મહિલા આયોગનું તાળું ખુલ્યું! અઢી વર્ષ બાદ અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક

Bankipur By Election: બાંકીપુર પેટાચૂંટણીમાં ‘આપણો વોટ ભગવાને’ પોસ્ટરથી વિવાદ, ચૂંટણી પંચ પર સવાલ

  • July 27, 2026
  • 6 views
Bankipur By Election: બાંકીપુર પેટાચૂંટણીમાં ‘આપણો વોટ ભગવાને’ પોસ્ટરથી વિવાદ, ચૂંટણી પંચ પર સવાલ

Ayodhya Ram Temple SIT: શ્રીરામ જન્મભૂમિ મંદિરના ચઢાવા વિવાદમાં નવી SITની એન્ટ્રી, સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ તપાસને મળશે નવી દિશા

  • July 27, 2026
  • 6 views
Ayodhya Ram Temple SIT: શ્રીરામ જન્મભૂમિ મંદિરના ચઢાવા વિવાદમાં નવી SITની એન્ટ્રી, સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ તપાસને મળશે નવી દિશા

Koniamman Temple Donation Theft: તમિલનાડુના કોનિયમ્મન મંદિરમાં ચઢાવાની ચોરીનો આરોપ, 8 અધિકારીઓ અને કર્મચારીઓ સસ્પેન્ડ

  • July 27, 2026
  • 6 views
Koniamman Temple Donation Theft: તમિલનાડુના કોનિયમ્મન મંદિરમાં ચઢાવાની ચોરીનો આરોપ, 8 અધિકારીઓ અને કર્મચારીઓ સસ્પેન્ડ

Education crisis India: શિક્ષણથી રોજગાર સુધીનો તૂટતો પુલ, ભારતના યુવાનો સામે ઊભા થયેલા મોટા પ્રશ્નો

  • July 27, 2026
  • 6 views
Education crisis India: શિક્ષણથી રોજગાર સુધીનો તૂટતો પુલ, ભારતના યુવાનો સામે ઊભા થયેલા મોટા પ્રશ્નો