Maratha Reservation Andolan: “ગોળી મારી દે તો પણ પીછેહઠ નહીં કરું” મનોજ જરાંગેનો હુંકાર

  • India
  • August 30, 2025
  • 0 Comments

Maratha Reservation Andolan: સમુદાય માટે અનામતની માંગણી સાથે સામાજિક કાર્યકર્તામનોજ જરંગેએ આઝાદ મેદાનમાં ભૂખ હડતાળ શરૂ કરી છે. તેમણે કહ્યું કે તમે મને જેલમાં નાખો કે ગોળી મારી દો, આ વખતે હું પાછળ હટવાનો નથી. અમારી માંગણીઓ પૂર્ણ થયા પછી જ અમે અહીંથી નીકળીશું. સરકારે કહ્યું કે તે આનો ઉકેલ શોધવા માટે સતત કામ કરી રહી છે.

આઝાદ મેદાન ખાતે ભૂખ હડતાળ

મરાઠા સમુદાય માટે અનામતની માંગણી કરી રહેલા સામાજિક કાર્યકર્તા મનોજ જરંગે પાટીલે શુક્રવારે આઝાદ મેદાન ખાતે અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ શરૂ કરી હતી. તેઓ મરાઠા સમુદાય માટે OBC હેઠળ અનામતની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે.

હું મારો જીવ આપવા તૈયાર છું પણ માંગ પુરી ન થાય ત્યાં સુધી  મુંબઈ નહીં છોડીશ

આઝાદ મેદાન ખાતે એક જાહેર સભાને સંબોધતા, જરંગેએ કહ્યું, “હું મારો જીવ આપવા તૈયાર છું પણ જ્યાં સુધી અમને કુણબીનો દરજ્જો ન મળે ત્યાં સુધી હું મુંબઈ નહીં છોડીશ. ભલે તેઓ મને જેલમાં નાખે કે ગોળી મારી દે, હું આ વખતે પીછેહઠ નહીં કરું. આ એક અંતિમ યુદ્ધ છે અને અમારી માંગણીઓ પૂર્ણ થયા પછી જ અમે અહીંથી નીકળીશું

મુંબઈ પોલીસને ઘણા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી

શુક્રવારે, રાજ્યભરમાંથી હજારો લોકો હાથમાં ભગવા ધ્વજ અને ભગવા મફલર પહેરેલા જોવા મળ્યા હતા. આ સાથે, બધા વિરોધીઓએ ‘એક મરાઠા, લાખ મરાઠા’ ના નારા લગાવતા મુંબઈમાં કૂચ કરી, જેના કારણે ટ્રાફિક ખોરવાઈ ગયો અને મુંબઈ પોલીસને ઘણા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી. આ પછી, રાજ્ય સરકારે વાતચીત પછી રસ્તો ખોલ્યો, પરંતુ જરંગે પાટિલને લક્ષ્મણ રેખા પાર ન કરવાની ચેતવણી પણ આપી.

અધિકારો છીનવીને બીજા સમુદાયને આપી શકીએ નહીં

અનામત અંગે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે મરાઠા સમુદાય માટે કોઈપણ અનામત કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે તે OBC માટેના હાલના ક્વોટાના ભોગે નહીં આવે. વધુમાં, શિંદેએ કહ્યું કે આપણે એક સમુદાયના અધિકારો છીનવીને બીજા સમુદાયને આપી શકીએ નહીં. આ ન તો સરકારનું વલણ છે કે ન તો મરાઠાઓનું.

નાયબ મુખ્યમંત્રી અજિત પવારે શું કહ્યું?

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે જણાવ્યું હતું કે સરકાર મરાઠા અનામતની માંગણીઓ પ્રત્યે સકારાત્મક છે અને ઉકેલ શોધવા માટે કામ કરી રહી છે. પવારે કહ્યું, ‘રાજ્ય સરકારે કેબિનેટ મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી છે, જે આ મુદ્દા પર ચર્ચા કરી રહી છે. દરેકને વિરોધ કરવાનો અધિકાર છે, જો તે શાંતિપૂર્ણ રીતે કરવામાં આવે. મહાયુતિ સરકાર માંગણીઓનો ઉકેલ શોધવા માટે કામ કરી રહી છે અને અમને વિશ્વાસ છે કે ઉકેલ મળશે.’

અહેવાલ : સુમન ડાભી

આ પણ વાંચો:

Bihar: રાહુલ ગાંધીના નારાની સમગ્ર બિહારમાં ગૂંજ, બસમાં મુસાફરો, ડ્રાઈવર અને કંડક્ટરે “નરેન્દ્ર મોદી – વોટ ચોર” ના લગાવ્યા નારા

UP News: ઝાડ પરથી થયો પૈસાનો વરસાદ! લોકો રુ. 500 રૂપિયાની નોટો લૂંટવા કરી પડાપડી

UP News: પ્રયાગરાજમાં ગંગા નદી પર પુલના નિર્માણ દરમિયાન દુર્ઘટના, થાંભલાને લઈ જતી ટ્રકે મારી ગઈ પલ્ટી, કર્મચારીઓનું શું થયું?

That Critical Moment Of Crisis: કટોકટીની નિર્ણાયક પળ, આ માર્ગ પકડશો તો હારીને પણ જીતી જશો!

Related Posts

Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા
  • August 11, 2026

Start-Up Politics India: ભારતીય રાજકારણમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નવા પ્રકારની રાજકીય વિચારસરણી અને કાર્યશૈલી જોવા મળી રહી છે. લાંબા સમય સુધી દેશની રાજનીતિ જાતિ, ધર્મ, પરિવારવાદ, પરંપરાગત સંગઠન અને દાયકાઓથી…

Continue reading
VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો
  • August 11, 2026

VB-G RAM-G Employment: મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા)ના સ્થાને 1 જુલાઈ 2026થી દેશભરમાં અમલમાં આવેલી વિકસિત ભારત–ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) એટલે કે VB-G RAM-G…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

  • August 11, 2026
  • 4 views
Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

  • August 11, 2026
  • 7 views
VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

  • August 11, 2026
  • 8 views
Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

  • August 11, 2026
  • 10 views
RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

  • August 10, 2026
  • 5 views
Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

  • August 10, 2026
  • 9 views
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી