બધી કોંગ્રેસની ભૂલ છે, નેપાળ આજે ભારતનું અંગ હોત તો… ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરીનું નિવેદન | Nepal

  • India
  • September 11, 2025
  • 0 Comments

ભારતના પાડોશી દેશ નેપાળ( Nepal)માં વિરોધ પ્રદર્શન અને હિંસા વચ્ચે વડા પ્રધાન કે.પી. ઓલીએ રાજીનામું આપી વિદેશ ભાગી ગયા છે. ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોએ પોલીસે ગોળીબાર કર્યા બાદ હિંસક વળાંક લીધો. નેપાળની સંસદ, નેતાઓના ઘરો, સરકારી કચેરીઓ અને ખાનગી મિલકતોને પણ પ્રદર્શનકારીઓએ ફૂકી મારી. આ પછી નેપાળ સેનાએ સુરક્ષાની કમાન સંભાળી છે. જો કે તેમ છતાં સ્થિતિ કાબૂમાં આવી રહી નથી. આ સમગ્ર ઘટના અંગે નેપાળને અડીને આવેલા ભારતીય રાજ્ય બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી તરફથી મોટું નિવેદન આવ્યું છે. સમ્રાટ ચૌધરીએ નેપાળમાં થયેલી હિંસા માટે કોંગ્રેસની ભૂલ જવાબદાર ગણાવી છે. ચાલો જાણીએ કે તેમણે આવું કેમ કહ્યું.

સમ્રાટ ચૌધરીએ શું કહ્યું?

નેપાળની પરિસ્થિતિ અંગે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું, “આ બધું કોંગ્રેસની ભૂલ છે. અરાજકતા એટલા માટે થઈ રહી છે કારણ કે કોંગ્રેસે આ દેશોને અલગ કરી દીધા છે. જો નેપાળ આજે ભારતનો ભાગ હોત તો નેપાળમાં શાંતિ, સમૃધ્ધિ અને ખુશી હોત.” નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ વધુમાં કહ્યું “લોકોમાં અસંતોષ છે, પરંતુ અરાજકતા ન હોવી જોઈએ. મેં કહ્યું હતું કે જો નેપાળ આજે ભારતનો ભાગ હોત, તો નેપાળ પણ સમૃદ્ધ હોત. જો પાકિસ્તાન ભારતનો ભાગ હોત, તો તે આજે ભારતની સાથે સમૃદ્ધ હોત. હું સ્પષ્ટ કરી રહ્યો છું કે આ કોંગ્રેસની ભૂલ છે, જેના કારણે આપણે આ બધું સહન કરવું પડી રહ્યું છે.”

‘સમય આવી ગયો છે…’

બિહાર નેપાળ સાથે સરહદ ધરાવે છે. પીટીઆઈ અનુસાર, રાજ્યના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ સ્પષ્ટપણે કહ્યું છે કે કોંગ્રેસની આ ભૂલોને કારણે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયા રાજકીય અને આર્થિક અસંતુલનનો સામનો કરી રહ્યું છે. સમ્રાટ ચૌધરીએ એમ પણ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે જનતા આ ઐતિહાસિક સત્યને સમજે અને કોંગ્રેસની નીતિઓને જવાબદાર ઠેરવે.

આ પણ વાંચો:

નેપાળમાં થયેલા હિંસક પ્રદર્શનોથી ભારત સરકારે શું શીખવું જોઈએ? | Nepal | India

Nepal Protest: નેપાળના પૂર્વ PM અને નાણામંત્રીને યુવાનોએ દોડાવી દોડાવીને માર્યા, જાણો અત્યારે કેવી છે સ્થિતિ?

Viral Video: ‘મોદી સરકાર ભારતમાં હિંદુ રાષ્ટ્ર બનાવી શકતી નથી, તો નેપાળમાં કેમ દબાણ કરે છે?’

UP: એક ઘરમાંથી 4 લાશ નીકળી, માતાએ 3 પુત્રીને કાયમ માટે ઊંગાડી દીધી, પછી પોતે…

MP: પત્નીના વાંધાજનક ફોટા જોઈ ના શક્યો CRPF જવાન, પોતાને જ મારી દીધી ગોળી, મિત્ર જ પત્નીને હેરાન કરતો

Gujarat: ભાજપની ચાર સરકારોએ મજૂરોનું કલ્યાણ કરવાને બદલે બિલ્ડરોને ફાયદો કરાવ્યો

 

 

 

 

 

Related Posts

Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન
  • June 17, 2026

Jana Sena National Expansion: આંધ્રપ્રદેશના રાજકારણમાં જબરદસ્ત સફળતા મેળવ્યા બાદ હવે જનસેના પાર્ટી (JSP) ના અધ્યક્ષ કે. પવન કલ્યાણની નજર સમગ્ર દેશના ફલક પર છે. તાજેતરમાં દિલ્હીમાં આયોજિત પક્ષના ‘સેના…

Continue reading
Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ
  • June 17, 2026

Siliguri Corridor: પશ્ચિમ બંગાળના બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે એક નામ જે સૌથી વધુ ચર્ચાઈ રહ્યું છે તે છે શુભેન્દુ અધિકારી. રાજકીય હોર્ડિંગ્સ અને પોસ્ટર્સ તો સમયની સાથે બદલાતા રહે છે,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

  • June 17, 2026
  • 1 views
Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

  • June 17, 2026
  • 5 views
Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

  • June 17, 2026
  • 10 views
China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

  • June 17, 2026
  • 10 views
Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 10 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

  • June 17, 2026
  • 8 views
UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ