બધી કોંગ્રેસની ભૂલ છે, નેપાળ આજે ભારતનું અંગ હોત તો… ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરીનું નિવેદન | Nepal

  • India
  • September 11, 2025
  • 0 Comments

ભારતના પાડોશી દેશ નેપાળ( Nepal)માં વિરોધ પ્રદર્શન અને હિંસા વચ્ચે વડા પ્રધાન કે.પી. ઓલીએ રાજીનામું આપી વિદેશ ભાગી ગયા છે. ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોએ પોલીસે ગોળીબાર કર્યા બાદ હિંસક વળાંક લીધો. નેપાળની સંસદ, નેતાઓના ઘરો, સરકારી કચેરીઓ અને ખાનગી મિલકતોને પણ પ્રદર્શનકારીઓએ ફૂકી મારી. આ પછી નેપાળ સેનાએ સુરક્ષાની કમાન સંભાળી છે. જો કે તેમ છતાં સ્થિતિ કાબૂમાં આવી રહી નથી. આ સમગ્ર ઘટના અંગે નેપાળને અડીને આવેલા ભારતીય રાજ્ય બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી તરફથી મોટું નિવેદન આવ્યું છે. સમ્રાટ ચૌધરીએ નેપાળમાં થયેલી હિંસા માટે કોંગ્રેસની ભૂલ જવાબદાર ગણાવી છે. ચાલો જાણીએ કે તેમણે આવું કેમ કહ્યું.

સમ્રાટ ચૌધરીએ શું કહ્યું?

નેપાળની પરિસ્થિતિ અંગે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું, “આ બધું કોંગ્રેસની ભૂલ છે. અરાજકતા એટલા માટે થઈ રહી છે કારણ કે કોંગ્રેસે આ દેશોને અલગ કરી દીધા છે. જો નેપાળ આજે ભારતનો ભાગ હોત તો નેપાળમાં શાંતિ, સમૃધ્ધિ અને ખુશી હોત.” નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ વધુમાં કહ્યું “લોકોમાં અસંતોષ છે, પરંતુ અરાજકતા ન હોવી જોઈએ. મેં કહ્યું હતું કે જો નેપાળ આજે ભારતનો ભાગ હોત, તો નેપાળ પણ સમૃદ્ધ હોત. જો પાકિસ્તાન ભારતનો ભાગ હોત, તો તે આજે ભારતની સાથે સમૃદ્ધ હોત. હું સ્પષ્ટ કરી રહ્યો છું કે આ કોંગ્રેસની ભૂલ છે, જેના કારણે આપણે આ બધું સહન કરવું પડી રહ્યું છે.”

‘સમય આવી ગયો છે…’

બિહાર નેપાળ સાથે સરહદ ધરાવે છે. પીટીઆઈ અનુસાર, રાજ્યના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ સ્પષ્ટપણે કહ્યું છે કે કોંગ્રેસની આ ભૂલોને કારણે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયા રાજકીય અને આર્થિક અસંતુલનનો સામનો કરી રહ્યું છે. સમ્રાટ ચૌધરીએ એમ પણ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે જનતા આ ઐતિહાસિક સત્યને સમજે અને કોંગ્રેસની નીતિઓને જવાબદાર ઠેરવે.

આ પણ વાંચો:

નેપાળમાં થયેલા હિંસક પ્રદર્શનોથી ભારત સરકારે શું શીખવું જોઈએ? | Nepal | India

Nepal Protest: નેપાળના પૂર્વ PM અને નાણામંત્રીને યુવાનોએ દોડાવી દોડાવીને માર્યા, જાણો અત્યારે કેવી છે સ્થિતિ?

Viral Video: ‘મોદી સરકાર ભારતમાં હિંદુ રાષ્ટ્ર બનાવી શકતી નથી, તો નેપાળમાં કેમ દબાણ કરે છે?’

UP: એક ઘરમાંથી 4 લાશ નીકળી, માતાએ 3 પુત્રીને કાયમ માટે ઊંગાડી દીધી, પછી પોતે…

MP: પત્નીના વાંધાજનક ફોટા જોઈ ના શક્યો CRPF જવાન, પોતાને જ મારી દીધી ગોળી, મિત્ર જ પત્નીને હેરાન કરતો

Gujarat: ભાજપની ચાર સરકારોએ મજૂરોનું કલ્યાણ કરવાને બદલે બિલ્ડરોને ફાયદો કરાવ્યો

 

 

 

 

 

Related Posts

Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!
  • December 15, 2025

Congress Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસે મોદી સરકાર સામે મોરચો માંડ્યો છે અને આ તકે ‘વોટ ચોર ગદ્દી છોડ’ બેનર હેઠળ રેલી કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા…

Continue reading
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?
  • December 13, 2025

H3N2 Virus: બ્રિટનમાં દેખાયેલો H3N2 વાયરસ પાકિસ્તાન સુધી પ્રસરી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસ ઈન્ફલ્યુએન્ઝા A નો એક પ્રકાર છે,જેને સબક્લેડ K તરીકે ઓળખવામાં આવે છે,તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

  • December 15, 2025
  • 10 views
Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

  • December 15, 2025
  • 12 views
FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!

  • December 15, 2025
  • 8 views
Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!

Sydney Attack: ઓસ્ટ્રેલિયામાં થયેલા હત્યાકાંડમાં હુમલાખોરો પિતા-પુત્ર નીકળ્યા! મૃત્યુઆંક 16 થયો

  • December 15, 2025
  • 15 views
Sydney Attack: ઓસ્ટ્રેલિયામાં થયેલા હત્યાકાંડમાં હુમલાખોરો પિતા-પુત્ર નીકળ્યા! મૃત્યુઆંક 16 થયો

MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરેએ શુ કહ્યું?

  • December 14, 2025
  • 22 views
MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી  શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરેએ શુ કહ્યું?

Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

  • December 14, 2025
  • 22 views
Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત