બધી કોંગ્રેસની ભૂલ છે, નેપાળ આજે ભારતનું અંગ હોત તો… ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરીનું નિવેદન | Nepal

  • India
  • September 11, 2025
  • 0 Comments

ભારતના પાડોશી દેશ નેપાળ( Nepal)માં વિરોધ પ્રદર્શન અને હિંસા વચ્ચે વડા પ્રધાન કે.પી. ઓલીએ રાજીનામું આપી વિદેશ ભાગી ગયા છે. ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોએ પોલીસે ગોળીબાર કર્યા બાદ હિંસક વળાંક લીધો. નેપાળની સંસદ, નેતાઓના ઘરો, સરકારી કચેરીઓ અને ખાનગી મિલકતોને પણ પ્રદર્શનકારીઓએ ફૂકી મારી. આ પછી નેપાળ સેનાએ સુરક્ષાની કમાન સંભાળી છે. જો કે તેમ છતાં સ્થિતિ કાબૂમાં આવી રહી નથી. આ સમગ્ર ઘટના અંગે નેપાળને અડીને આવેલા ભારતીય રાજ્ય બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી તરફથી મોટું નિવેદન આવ્યું છે. સમ્રાટ ચૌધરીએ નેપાળમાં થયેલી હિંસા માટે કોંગ્રેસની ભૂલ જવાબદાર ગણાવી છે. ચાલો જાણીએ કે તેમણે આવું કેમ કહ્યું.

સમ્રાટ ચૌધરીએ શું કહ્યું?

નેપાળની પરિસ્થિતિ અંગે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું, “આ બધું કોંગ્રેસની ભૂલ છે. અરાજકતા એટલા માટે થઈ રહી છે કારણ કે કોંગ્રેસે આ દેશોને અલગ કરી દીધા છે. જો નેપાળ આજે ભારતનો ભાગ હોત તો નેપાળમાં શાંતિ, સમૃધ્ધિ અને ખુશી હોત.” નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ વધુમાં કહ્યું “લોકોમાં અસંતોષ છે, પરંતુ અરાજકતા ન હોવી જોઈએ. મેં કહ્યું હતું કે જો નેપાળ આજે ભારતનો ભાગ હોત, તો નેપાળ પણ સમૃદ્ધ હોત. જો પાકિસ્તાન ભારતનો ભાગ હોત, તો તે આજે ભારતની સાથે સમૃદ્ધ હોત. હું સ્પષ્ટ કરી રહ્યો છું કે આ કોંગ્રેસની ભૂલ છે, જેના કારણે આપણે આ બધું સહન કરવું પડી રહ્યું છે.”

‘સમય આવી ગયો છે…’

બિહાર નેપાળ સાથે સરહદ ધરાવે છે. પીટીઆઈ અનુસાર, રાજ્યના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ સ્પષ્ટપણે કહ્યું છે કે કોંગ્રેસની આ ભૂલોને કારણે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયા રાજકીય અને આર્થિક અસંતુલનનો સામનો કરી રહ્યું છે. સમ્રાટ ચૌધરીએ એમ પણ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે જનતા આ ઐતિહાસિક સત્યને સમજે અને કોંગ્રેસની નીતિઓને જવાબદાર ઠેરવે.

આ પણ વાંચો:

નેપાળમાં થયેલા હિંસક પ્રદર્શનોથી ભારત સરકારે શું શીખવું જોઈએ? | Nepal | India

Nepal Protest: નેપાળના પૂર્વ PM અને નાણામંત્રીને યુવાનોએ દોડાવી દોડાવીને માર્યા, જાણો અત્યારે કેવી છે સ્થિતિ?

Viral Video: ‘મોદી સરકાર ભારતમાં હિંદુ રાષ્ટ્ર બનાવી શકતી નથી, તો નેપાળમાં કેમ દબાણ કરે છે?’

UP: એક ઘરમાંથી 4 લાશ નીકળી, માતાએ 3 પુત્રીને કાયમ માટે ઊંગાડી દીધી, પછી પોતે…

MP: પત્નીના વાંધાજનક ફોટા જોઈ ના શક્યો CRPF જવાન, પોતાને જ મારી દીધી ગોળી, મિત્ર જ પત્નીને હેરાન કરતો

Gujarat: ભાજપની ચાર સરકારોએ મજૂરોનું કલ્યાણ કરવાને બદલે બિલ્ડરોને ફાયદો કરાવ્યો

 

 

 

 

 

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 2 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 3 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 8 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 7 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 10 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત